1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાક.ની જેલમાં કેદ ગુજરાતના માછીમારોને સ્વજનો સાથે પત્ર કે ફોનથી વાત પણ કરવા દેવાતી નથી
પાક.ની જેલમાં કેદ ગુજરાતના માછીમારોને  સ્વજનો સાથે પત્ર કે ફોનથી વાત પણ કરવા દેવાતી નથી

પાક.ની જેલમાં કેદ ગુજરાતના માછીમારોને સ્વજનો સાથે પત્ર કે ફોનથી વાત પણ કરવા દેવાતી નથી

0
Social Share

વેરાવળઃ  ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો છે. જેમાં ગીર સોમનાથ.પોરબંદર,ઓખા, સહિત કાંઠા વિસ્તારના જિલ્લાના માછીમારો દરિયો ખેડીને માછલીઓ પકડીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘણીવાર માછીમારો ભૂલથી દરિયાઈ સરહદ ઓળંગી લેતા હોય છે, તેયારે રાહ જોઈને બેઠેલા પાકિસ્તાનના મરીન ફોર્સના જવાનો ભારતીય માછીમારોનું અપહરણ કરીને પાકિસ્તાન લઈ જતાં હોય છે. હાલ ગુજરાત ઘણાબધા માછીમારો પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે. ત્યારે પાક.જેલમાં બંધ માછીમારોને છોડાવવા માટે માછીમારોના પરિવારો માગણી કરી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના 350 થી વધુ પાક જેલમાં કેદ માછીમારો ને છોડાવવા મહિલાઓ મેદાનમાં આવી છે. કોડીનારમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ સુત્રોચ્ચાર કરી મામલતદારને  આવેદન પત્ર આપ્યું હતું. ટુંક સમયમાં પાક જેલમાંથી કેદ માછીમારોને છોડાવવા નહિ આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. પાક.જેલમાં કેદ કરાયેલા ગુજરાતના માછીમારોના  સ્વજનોએ જણાવ્યું હતું કે બે વર્ષથી પત્ર કે ફોનથી વાત પણ કરવા દેવાતી નથી. આથી ભારત સરકારે દરમિયાનગીરી કરવી જોઈએ.

ગીર સોમનાથ  જિલ્લાના કોડીનાર મામલતદાર કચેરી પાસે પાક.જેલમાં બંધ માછીમારોના પરિવારનોની મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ હતી. અને સુત્રોચાર સાથે આવેદન પત્ર આપ્યુ હતું.  માછીમાર પરિવારની મહિલાઓનું કહેવું છે કે છેલ્લા 4 -4 વર્ષ થી પાકિસ્તાન જેલમાં તેમના ઘરના મોભીઓ સબડી રહ્યા છે. તેમ છતાં સરકાર તેમને છોડાવવા માટે પ્રયત્ન કરતી નથી. કોરોના બાદ તો પત્ર વ્યવહાર અને ટેલિફોનિક વાતો પણ બંધ થઈ છે. મહિલાઓનો આક્ષેપ કર્યો હતો કે, માછીમારોને પાક જેલ માંથી છોડાવવા પ્રત્યે સરકાર ઉદાસીન દાખવી રહી છે. કોરોના કાળ દરમિયાન વિદેશમાં વસતા ભારતીયો પોતાના પતન પરત આવી શકે તો અમારા પરિજનો કેમ નહિ. મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ રોષ સાથે પાક વિરુદ્ધ અને ‘મોદી સરકાર મદદ કરો’ ના સુત્રોચાર કરી કોડીનાર મામલતદારને આવેદન આપી રજુઆત કરી હતી. અને ટુક સમયમાં માછીમારોને છોડાવવા સરકાર પ્રયત્ન નહિ કરે તો આંદોલનની ચીમકી પણ આપી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ  પાકિસ્તાન ની જેલમાં કેદ ગુજરાતના 500 થી વધુ માછીમારો પૈકી અનેક માછીમારો બે-બે વર્ષથી પાકિસ્તાન જેલમાં સબડી રહ્યા છે.   અનેક ને 3 -4 વર્ષ જેવો સમય થવા છતાં પાક જેલમાંથી મુક્તિ ન મળતા હવે માછીમારો ના પરિજનોની ધીરજ ખૂટી ગઈ છે.  અનેક પરિવારો મુશ્કેલીમાં પણ મુકાયા છે. ઘણા લોકો ના ઘરમાં બીમારીએ ભરડો લીધો છે. તો ઘણા ને પોતાના બાળકો ના અભ્યાસ ને લઈ ચિંતામાં છે.  પોતાના ઘરના મોભીના વિરહમાં નાના ભૂલકાઓ સહિત વૃધ્ધો પણ ચિંતામાં મુકાયા છે કે ક્યારે પોતાનો સંતાન પાક જેલ માંથી મુક્ત થઈ ઘરે આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code