1. Home
  2. Tag "forest department"

સાબરકાંઠાઃ વન્ય પ્રાણીઓની સંખ્યામાં પાંચ વર્ષમાં વધારો

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવી છે. જેમાં રીંછ -દીપડા સહિત અન્ય વન્ય પ્રાણીઓની સંખ્યા ૨૦૧૬ની સરખામણીએ વધી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લામાં આવેલ જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય જીવો જેવા કે રીંછ, દીપડો, જરખ, શિયાળ સહિતના વન્ય પ્રાણીઓની દર પાંચ વર્ષે […]

મહુવાના દરિયાકાંઠા નજીક સિંહનો મૃતદેહ મળતા વનવિભાગે તપાસ હાથ ધરી

ભાવનગરઃ જિલ્લાના મહુવા તાલુકાના કંઠાળ વિસ્તારમાંથી સિંહનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. છેલ્લા ઘણા થોડા દિવસોથી મહુવા-તળાજા પંથકમાં સિંહ દિપડાના આંટાફેરા વધી ગયા છે. ત્યારે  દરિયા નજીક  સિંહનો જ મૃતદેહ મળતા વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ મહુવાના ખરેડ-ગઢડા વિસ્તારમાં દરીયાકાંઠા પાસે પવનચક્કી નજીક  ગઇકાલે મંગળવારે સાંજના સમયે  સિંહનો મૃતદેહ હોવાની […]

મધ્યપ્રદેશઃ 5 વ્યક્તિઓ ઉપર હુમલો કરનાર દીપડાને ઝડપી લેવા માટે વનવિભાગે આધુનિક ટેકનોલોજી અપનાવી

ભોપાલઃ મધ્યપ્રદેશના અબખેડી ગામમાં દીપકાએ પ્રવેશ કરીને આતંક મચાવ્યો હતો. એક બે નહીં પાંચ વ્યક્તિ ઉપર દીપડાએ હુમલો કરતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. વનવિભાગ દ્વારા દીપડાને ઝડપી લેવા પ્રયાસો કરવા છતા દીપડો પાંજરે પુરાયો નથી. હવે વનવિભાગે દીપડાને શોધી કાઢવા માટે આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો છે. દીપડાને ડ્રોનની મદદથી શોધવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશના દમોહ […]

જૂનાગઢઃ લાયન શોના નામે સિંહની પજવણી કરનારાઓ સામે કાર્યવાહી, 3ની અટકાયત

અમદાવાદઃ એશિયનટીક લાયનનું ઘર ગણાતા ગિરના જંગલ વિસ્તારમાં અવાર-નવાર સાવજોની પજવણીના કિસ્સા સામે આવે છે. તાજેતરમાં જ સિંહની પજવણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને વનવિભાગે ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ શરૂ કરીને 14 વ્યક્તિઓની ઓળખ કરીને 3 વ્યક્તિઓની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. વનવિભાગની કાર્યવાહીથી સાવજોની પજવણી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત […]

જીવતા વાંદરાને ગળવુ અજગરને પડ્યું ભારે, વાંદરો નીકળ્યો કિસ્મતનો ધની

વાંદરાને અજગરના પેટમાંથી જીવીત બહાર કઢાયો બંનેની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે બંનેની હાલતમાં સુધારો થયા બાદ જંગલમાં છોડાશે અમદાવાદઃ અજગર શ્વાન અને બકરી સહિતના પશુઓને ગળી જવાના બનાવો અવાર-નવાર સામે આવે છે જો કે, વડોદરામાં એક વાંદરાને ગળી જવાનું અજગરને ભારે પડ્યું હતું. વાંદરાને જીવતો ગળી ગયા બાદ અજગરની હાલક કફોડી બની હતી. […]

ગુજરાતના વન વિભાગમાં અધિકારીઓની અનેક જગ્યાઓ ખાલી, ઈન્ચાર્જથી ચાલતો વહિવટ

અમદાવાદઃ રાજ્યમાં વન વિભાગમાં ક્લાસ વન અધિકારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. વન વિભાગના તાબા હેઠળ નક્કી કરવામાં આવેલી 77 નાયબ વન સંરક્ષકની જગ્યાઓ અને આઇએફએસ કેડરની 28 જગ્યાઓ પૈકી મોટાભાગની જગ્યાઓ પર વન સેવાના નાયબ વન સંરક્ષક ચાર્જમાં છે. માત્ર ચાર નાયબ વન સંરક્ષક હાલમાં ફરજ બજાવી રહ્યાં છે. તે પૈકી આગામી બે મહિનામાં બે […]

માણસ માનવતા નેવે મુકી બન્યો રાક્ષસઃ 38 કપિરાજોને ઝેર આપી મોતને ઘાટ ઉતાર્યાં

બેંગ્લોરઃ એક વ્યક્તિ બીજા વ્યક્તિની હત્યા કરે તેવા બનાવો અવાર-નવાર સામે આવે છે, પરંતુ કેટલાક લોકો મુંગા પશુઓ ઉપર પણ અત્યાચાર ગુજારીને રાક્ષસી કૃત્ય કરતા પણ ડરતા નથી. આવો જ કંઈક બનાવ કર્ણાટકના ચૌદાનહલ્લી ગામમાં બન્યો છે. જ્યાં અસામાજીક તત્વોએ 50થી વધારે ઝેરી પદાર્થ ખવડાવીને કોથળામાં પુરીને માર માર્યો હતો. ત્યાર બાદ નજીકના ગામ પાસે […]

ઉત્તરપ્રદેશના પીલીભીતમાં ત્રણ યુવાન ઉપર બે વાઘે કર્યો હુમલોઃ બે યુવાનોના મોત

લખનૌઃ ઉત્તરપ્રદેશના પીલીભીત જિલ્લામાં બાઈક ઉપર પસાર થઈ રહેલા યુવાનો ઉપર અચાનક ઝાડીમાંથી આવેલા વાઘે હુમલો કર્યો હતો. વાઘના હુમલામાં બેના મોત થયાં હતા. જ્યારે એક યુવાન ઝાડ ઉપર ચડી જતા તેનો જીવ બચી ગયો હતો. વાઘના ખોફથી ડરેલો યુવાન આખી રાત  ઝાડ ઉપર જ વિતાવી હતી. વાઘના હુમલાથી ગભરાઈ ગયેલા વિકાસ નામના યુવાને જણાવ્યું […]

જૂનાગઢના પ્રાણીસંગ્રહાલયમાં 18 મહિનામાં 40 સિંહબાળનો જન્મ

અમદાવાદઃ જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સાવજોની ગર્જના હવે વધી રહી છે. સફળ પ્રજનન માટે પાયો અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સાવજોની દેખરેખને કારણે 18 મહિનામાં 40 સિંહબાળનો જન્મ થયો છે. ઝૂમાં દર વર્ષે પાંચથી છ સિંહબાળનો જન્મ થાય છે. જો કે, છેલ્લા 18 મહિનામાં 40 સિંહબાળના જન્મનો નવો રેકોર્ડ બન્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર સક્કરબાગ ઝૂમાં વર્ષ […]

કોટડાસાંગણી વિસ્તારમાંથી વન વિભાગે એકત્ર કરેલો દાઢ લાખ કિલો ઘાસનો જથ્થો વરસાદમાં પલળી ગયો

રાજકોટઃ  કોટડાસાગણી વિસ્તારમાં વન વિભાગ દ્વારા દોઢ લાખ કિલો ઘાસ એકઠું કરવામાં આવ્યું હતું. અને એકત્ર થયેલું ઘાસ ખૂલ્લા મેદાનમાં રાખવામાં આવ્યું હતું. વરસાદની સીઝન હોવાની જાણ હોવા છતા વન વિભાગના સ્ટાફે ઘાસને ઢાક્યુ નહતું. દરમિયાન વરસાદ પડતા ઘાસ પલળી ગયું હતું. આમ વન વિભાગના સ્ટાફની બેદરકારીને લીધે દોઢ લાખ કિલો ઘાસનો જથ્થો કોહવાઈ ગયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code