1. Home
  2. Tag "government"

જમ્મુ કાશ્મીરને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, CRPFના વધારે જવાન તૈનાત કરવામાં આવશે

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષામાં વધારો થશે સરકારે લીધો મહત્વનો નિર્ણય વધારે જવાનો તૈનાત કરવામાં આવશે શ્રીનગર:જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી ટાર્ગેટેડ હત્યાઓને કારણે હવે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર હવે તે ક્ષેત્રમાં વધારે જવાનો તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. હવે ફરી એક વખત CRPFને તૈનાત કરવામાં આવી રહી છે. એક અઠવાડિયામાં તમામ જવાનોને કેન્દ્રશાસિત પ્રદેશના […]

ભાજપની સરકાર તમામ સમાજના વિકાસ માટે કર્તવ્યરત રહેશેઃ CM ભૂપેન્દ્ર પટેલ

મહેસાણાઃ  જિલ્લાના વિસનગર તાલુકાના તરભ મુકામે આવેલા વાળીનાથ મહાદેવના મંદિર ખાતે ગુજરાત રબારી સમાજ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની રજતતુલા કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી. આર. પાટિલની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા મોવડીમંડળે અમારા પર ભરોસો મૂકી નવી ટીમ ગુજરાત […]

ગીર સોમનાથના ગ્રામજનો બન્યાં આત્મનિર્ભરઃ સરકારની મદદ વિના નદી ઉપર બનાવ્યો બ્રિજ

સરકારમાં અનેકવાર રજૂઆત કરાઈ હતી અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી ના કરાઈ ગ્રામજનોએ ફંડ એકત્ર કરીને તૈયાર કર્યો બ્રીજ અમદાવાદઃ ગીર સોમનાથના ઉમેજ ગામના ગ્રામજનો છેલ્લા કેટલાક સમયથી રાવલ નદી ઉપર બ્રિજ બનાવવાની માંગણી કરવામાં આવતી હતી. તેમ છતા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં નહીં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. અંતે ગ્રામજનોએ આત્મનિર્ભર બનીને સરકારની મદદ […]

સરકાર હવે મગફળી અને અન્ય પાકની ટેકાના ભાવે કરશે ખરીદી, 2.30 લાખ ખેડૂતોએ કરાવી નોંધણી

અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર મળી રહે તે માટે ટેકાના ભાવે મગફળી સહિતના પાકની દર વર્ષે ખરીદી કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ સરકારે મગફળી અને અન્ય પાકની ખરીદી કરવાની કવાયત શરૂ કરી છે. અત્યાર સુધીમાં લગભગ 2.30 લાખ જેટલા ખેડૂતોએ મગફળીના વેચાણ માટે ઓનલાઈન નોંધણી કરાવી છે. મગફળી ઉપરાંત ડાંગર અને બાજરીના […]

રાજ્યમાં RTE અંતર્ગત ખાનગી શાળાઓને પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓની ફી સરકાર 30 ટકા વધુ ચુકવશે

અમદાવાદઃ રાઈટ ટુ એજ્યુકેશન કાયદા અંતર્ગત રાજ્યમાં તમામ ખાનગી શાળાઓમાં 25 ટકા બેઠકો નબળા અને  વંચિત જુથના બાળકોને ફાળવવામાં આવે છે. અમીરી અને ગરીબીનો ભેદ દૂર કરીને બાળકોને સમાન શિક્ષણ મળે તે હેતુથી આ કાયદા હેઠળ શિક્ષણ આપવામાં આવે છે. આ કાયદા મુજબ RTE હેઠળ પ્રવેશ મેળવેલા બાળકોની ફી સરકાર ચૂકવે છે. જેની રકમ 10 […]

કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ વધવા મુદ્દે શિવસેનાએ કેન્દ્ર સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર

હિન્દુઓ ઉપર હુમલાઓને અટકાવવા સરકાર નિષ્ફળઃ શિવસેના મુખપત્ર સામનામાં ભાજપ ઉપર કર્યાં આકરા પ્રહાર મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસથી કાશ્મીર ઘાટીમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે અને ઘાટીમાં લઘુમતિ હિન્દુ અને શિખ ધર્મના લોકોની ઘટનાને પગલે કેન્દ્ર સરકાર એકશન મોડમાં આવ્યું છે. આવા બનાવોને પગલે શિવસેનાએ ભાજપને નિશાન બનાવ્યું હતું. તેમજ કહ્યું હતું કે, આપને હિન્દુત્વ […]

સરકાર C.A.G. જેવી સંસ્થાઓની સલાહ પર ગંભીરતાથી વિચાર કરશેઃ રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ ચાર દિવસની હિમાચલપ્રદેશની મુલાકાતે ભારતીય ઓડિટ અને એકાઉન્ટ સર્વિસ ઓફિસરોના દિક્ષાંત સમારોહ યોજાયો 38 તાલીમાર્થી અધિકારીઓને તાલીમ પૂર્ણ કરવાના પ્રમાણપત્રો એનાયત કરાયાં દિલ્હીઃ ભારતીય ઓડિટ અને એકાઉન્ટ સર્વિસ ઓફિસરોના દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સરકાર સીએજી જેવી સંસ્થાઓની સલાહ ઉપર સરકાર ગંભીરતાથી વિચારશે તેમ કહ્યું હતું. આ પ્રસંગે 2018 અને 2019 બેચના ભારતીય […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી આખી સરકાર રિમોટ કન્ટ્રેલથી જ ચાલશેઃ કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદ : અમદાવાદ જિલ્લા કોંગ્રેસ  દ્વારા સાણંદ ખાતે પ્રદેશ કોંગ્રસ પ્રમુખ અમિત ચાવડાની  ઉપસ્થિતિમાં સંયોજકની બેઠક મળી હતી. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભુપેન્દ્ર પટેલની નવી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે પહેલા મુખ્યમંત્રી રિમોટ કંટ્રોલથી ચાલતા હતા હવે ભુપેન્દ્ર પટેલની  આખી નવી સરકાર રિમોટ કંટ્રોલથી ચાલશે. ફરી એકવાર અધિકાર રાજનો ભોગ ગુજરાતની જનતા બનશે. […]

અમદાવાદ: વાયુ પ્રદુષણને મુદ્દે હાઈકોર્ટની ગુજરાત સરકાર અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડને નોટિસ

અમદાવાદઃ રાજ્યના શહેરી વિસ્તારોમાં વધતા જતાં  વાયુ પ્રદુષણનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. અમદાવાદ, અંકલેશ્વર, સુરત, રાજકોટ, વડોદરા, વાપી સહિતના શહેરોમાં પ્રદુષિત હવાને કારણે લોકોને પડતી હાલાકીનો મુદ્દો કોર્ટે ગંભીર ગણ્યો છે. વિવિધ ઉદ્યોગો મારફતે કોલસા બાળવાના કારણે હવામાં ફેલાતું પ્રદુષણ ડામવા નક્કર પગલાં જરૂરી હોવાની અરજદારે રજૂઆત કરી છે. શહેરોમાં નિયત માપદંડો કરતા 3થી […]

IIT ગાંધીનગરઃ અસરકારક, પર્યાવરણને અનુકૂળ અને પારદર્શક એન્ટિ-વાયરલ સરફેસ કોટિંગ વિકસાવ્યું

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો હાલ કોરોનાની મહામારી સામે લડાઈ લડી રહ્યાં છે.તેમજ વાયરલ ચેપ અને તેનું સંક્રમણ એ જાહેર આરોગ્યના મુખ્ય જોખમો છે જે શરદી, ફલૂ, ઓરી અને ચિકનપોક્સ જેવા રોગોનું કારણ બને છે. કેટલીકવાર આ વાયરલ ચેપ, ડિહાઇડ્રેશન, ન્યુમોનિયા અને અન્ય ચેપ જેવા ગંભીર, સંભવત: જીવન માટે જોખમી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પરિવર્તિત થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code