1. Home
  2. Tag "gujarat assembly"

ગુજરાત વિધાનસભાનો વહિવટ વર્ષ 2024 સુધીમાં સંપૂર્ણ પેપરલેસ કરાશે

ગાંધીનગરઃ ગુજરાતના વહિવટી તંત્રમાં પણ હવે કામગીરી પેપરલેસને સ્થાને ટેકનોલોજીનો ઉપયાગ વધારવામાં આવી રહ્યો છે. જાહેર સેવા મોટાભાગે ઓનલાઈન બાનવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત વિધાનસભા પણ ડિજિટલ બનાવીને પેપરલેસ કરવાનું આયોજન કરાયું છે. હાલ વિધાનસભાના દરેક કાર્યેા હાલ કાગળ પર થઈ રહ્યા છે તે બધા જ હવે પેપરલેસ બનશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમા આચાર્યના […]

ગુજરાતમાં ભાજપે 27 વર્ષમાં મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્‍ટાચાર વધારવાનું કામ કર્યુ છેઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા સત્રના છેલ્લા દિવસે કોંગ્રેસે કેટલાક પ્રશ્નોની આક્રમક રજુઆત કરીને ભાજપ સરકારને ભીંસમાં લેવાના પ્રયાસો કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્‍ય હિંમતસિંહ પટેલે વિધાનસભામાં છેલ્લા દિવસના પ્રસ્‍તાવની ચર્ચામાં ભાગ લેતાં જણાવ્‍યું હતું કે, ‘બહુત હુઈ મહેંગાઈ કી માર’ જેવા નારાથી સત્તારૂઢ થયેલી ભાજપ સરકારના રાજમાં મોંઘવારી અતિશય વધી છે. ભાજપ સરકારે 27 વર્ષોમાં માત્ર મોંઘવારી, […]

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં વધુ મતદાન માટે IMPCCની બેઠક મળી

ગાંધીનગરઃ આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે ત્યારે મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટેના પ્રયાસો મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવી રહ્યા છે, એના ભાગરૂપે ગાંધીનગર ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીના અધ્યક્ષસ્થાને ઈન્ટર મીડિયા પબ્લિસિટી કો-ઑર્ડિનેશન કમિટી (IMPCC)ની બેઠક યોજાઈ હતી. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો, દૂરદર્શન, ઑલ ઈન્ડિયા રેડિયો, રાષ્ટ્રીય […]

ગુજરાત વિધાનસભાનું બે દિવસીય સત્ર 21મી સપ્ટેમ્બરથી મળશે, ચાર બેઠકોનું આયોજન

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. તમામા રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ વિધાનસભાનું છેલ્લુ બે દિવસીય ચોમાસુ સત્ર 21મી સપ્ટેમ્બરથી મળશે. આ બે દિવસીય સત્રમાં ચાર બેઠકો મળશે. રાજ્યના વૈધાનિક અને સંસદીય વિભાગના સત્તાવાર સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે તારીખ […]

ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ટુંકું ચોમાસું સત્ર 12મી સપ્ટેમ્બરથી મળે તેવી શક્યતા

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્ર તા.12મી સપ્ટેમ્બરથી બોલાવવામાં આવે તેવી શક્યતા છે. આગામી કેબીનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. ત્યારબાદ રાજ્યપાલ દ્વારા આહવાન કરાશે. ભૂપેન્દ્ર પટેલની સરકારનું વિધાનસભાનું આ છેલ્લુ સત્ર હશે, કારણ કે નવેમ્બર કે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, અને ઓક્ટોબરમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત પણ કરી […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા આપ’એ 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નવેમ્બર કે ડિસેમ્બર-2022માં યોજાવાની છે. અને ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી ચૂંટણીની તારીખ પણ જાહેર કરવામાં આવી નથી. ત્યારે આમ આદમી પાર્ટીએ 10 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. અને બાકીની તમામ બેઠકોના ઉમેદવારોના નામ ચૂંટણી જાહેર થાય તે પહેલા જ જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને ચૂંટણીમાં પ્રચાર માટે પુરતો સમય […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે વધુ 11 બેઠકો માટે પ્રભારીઓની કરી નિમણૂંકો

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપ દ્વારા તો મહિનાઓ પહેલા જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હવે તમામ વિધાનસભા દીઠ પ્રભારીઓની નિમણૂંકો કરવામાં આવી રહી છે. જેમાં વધુ 11 પ્રભારીઓની નિમણુંકો કરવામાં આવી છે. જેમાં ઘણા નવા- જુના ચહેરાઓને મહત્વની બેઠક પર જવાબદારી સોંપાઈ છે. કેટલીક […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પાંચ-છ મહિનામાં યોજાશેઃ મનસુખ વસાવા

ભરૂચઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ સવા વર્ષ જેટલો સમય બાકી છે. ત્યારે ચૂંટણી તેના નિર્ધારિત સમયે યોજાશે કે વહેલી યોજાશે તેની અટકળો ચાલી રહી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સ્પષ્ટતા કરી હતી કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલા નહીં પણ તેના નિર્ધારિત સમયે જ યોજાશે ત્યારે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ એવું જણાવ્યું હતું કે, આગામી […]

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં 182 બેઠકો જીતવાનો પાટિલે સોમનાથમાં સંકલ્પ કર્યો

વેરાવળઃ  ઉતરાખંડના કેદારનાથ ખાતે આજે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના હસ્‍તે થયેલા વિકાસકામોના લોકાર્પણ-ખાતમુર્હૂત સમારોહનો લાઇવ પ્રસારણ બાર જયોતિલીંગમાં પ્રથમ ગણાતા સોમનાથના સાંનિઘ્‍યમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિત ગીર સોમનાથ જિલ્‍લા ભાજપના હોદેદારો, આગેવાનો અને કાર્યકરોએ નિહાળી સહભાગી થયા હતા. આ તકે સોમનાથ સંકલ્‍પની ભૂમિ છે ત્‍યારે આગામી ગુજરાત વિધાનસભા ચુંટણીમાં પ્રદેશ પ્રમુખ તરીકે તમામ 182 બેઠકો […]

ગુજરાત વિધાનસભાની મોરવાહડફ બેઠકની પેટાચૂંટણીની જાહેરાત, 17મી એપ્રિલે યોજાશે મતદાન

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંપન્ન થઈ છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી મોરવાહડફ બેઠકની પેટાચૂંટણીની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ બેઠક ઉપર તા. 17મી એપ્રિલના રોજ મતદાન યોજાશે. તા. 2 મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2017માં અપક્ષ ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ખાટ મોરવાહડફ બેઠક ઉપર વિજેતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code