સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અશ્વો વિના જ તબેલો બાંધી દીધો, અંતે વધેલી ગ્રાન્ટ પરત કરવી પડી
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદનો પર્યાય બની ગઈ છે. ત્યારે વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કાઠીયાવાડી અશ્વના સંવર્ધન,સંશોધન અને તાલીમ માટે રૂપિયા 51 લાખની ગ્રાન્ટમાંથી પ્રોજેક્ટ માટે શેડ, ફેંસીન્ગ, સમ્પ, ઓફિસ તૈયાર કરવામાં 20 લાખનો ખર્ચ કર્યા પ્રોજેક્ટનુ કામ આગળ ના વધતા બાકીની ગ્રાન્ટ વ્યાજ સહિતની રકમ પરત જમા કરાવી દેવા સરકારે સુચના આપી હતી. […]