1. Home
  2. Tag "india"

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું- 2047 સુધીમાં ભારત વિકસિત દેશ બની જશે

મુંબઈ : રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ ક્ષેત્રમાં સાયબર ખતરાઓમાં વધારો વચ્ચે ટેક્નોલોજીના વિકાસ પર ભાર મૂકતા કહ્યું છે કે, ભારત 2047 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બનશે. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ ટેક્નોલોજી (DIAT) ના કોન્વોકેશનમાં બોલતા રાજનાથ સિંહે કહ્યું કે દેશ હવે આત્મનિર્ભર બની રહ્યો છે અને આર્થિક નિષ્ણાતોના મતે ભારત 2027 […]

દેશમાં વાહન ચાલકોની પ્રથમ પંસદ બનેલી SUV કારના વેચાણમાં નોંધપાત્ર વધારો

ભારતમાં મોટાભાગના લોકો એસયુવી સેગમેન્ટના વાહનોને પસંદ કરી રહ્યાં છે. એપ્રિલ 2023 દરમિયાન પણ આ સેગમેન્ટમાં સૌથી વધુ વેચાણ નોંધાયું હતું. એપ્રિલ 2023 દરમિયાન દેશભરમાં ટોપ-10 SUVમાં કુલ 105400 યુનિટ વેચાયા હતા. તે વાર્ષિક ધોરણે 46.32 ટકા વધુ છે. એપ્રિલ 2023ની સરખામણીએ એપ્રિલ 2022 દરમિયાન 72032 યુનિટનું વેચાણ થયું હતું. ટાટાની કોમ્પેક્ટ એસયુવી નેક્સોન આ […]

‘ઓલ થિંગ્સ ટેક્નોલોજી’માં ભારત વિશ્વમાં અગ્રેસર દેશ બનશેઃ રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર

નવી દિલ્હીઃ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે સરકારનું ધ્યાન ભારતને વૈશ્વિક મૂલ્ય શૃંખલામાં એક ગંભીર, સ્પર્ધાત્મક સહભાગી બનાવવા પર છે. નવી દિલ્હીમાં પબ્લિક અફેર્સ ફોરમ ઓફ ઈન્ડિયા (PAFI) ની 15મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા, રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના […]

ભારતઃ એક મહિનામાં ખનિજ ઉત્પાદનમાં એકંદરે 4.6 ટકાનો વધારો થશે

નવી દિલ્હીઃ ફેબ્રુઆરી મહિનામાં ખાણ અને ઉત્ખનન ક્ષેત્રના ખનિજ ઉત્પાદનનો સૂચકાંક 129.0 છે જે ફેબ્રુઆરી, 2022ના સ્તર કરતાં 4.6 ટકા વધારે છે. ભારતીય ખાણ બ્યુરો (IBM) ના કામચલાઉ ડેટા મુજબ, એપ્રિલ 2022થી ફેબ્રુઆરી 2023ના સમયગાળા માટે સંચિત વૃદ્ધિ પાછલા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ઘટીને 5.7 ટકા થઈ ગઈ છે. ફેબ્રુઆરી, 2023માં મહત્વના ખનિજોના ઉત્પાદનના સ્તર […]

ભારતમાં સોયાબીન અને સનફ્લાવર ઓઈલ પરની આયાત ડ્યુટી દુર કરાઈ

નવી દિલ્હીઃ ભારત સરકારે જૂન સુધીમાં ક્રૂડ સોયાબીન ઓઈલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ પરની આયાત ડ્યુટી દૂર કરવાનો નિર્ણય લીધો છે. સરકારે આયાત ડ્યુટી મુક્તિ અંગે સ્પષ્ટતા કરી છે કે, 31 માર્ચ પહેલા મોકલવામાં આવેલ સોયા તેલ અને સૂર્યમુખી તેલની આયાત મુક્ત રાખવામાં આવશે કારણ કે આયાત નિયમો અંગેની ગૂંચવણના પરિણામે હજારો કાર્ગો બંદરો પર […]

વોટ્સએપ ઉપર અજાણ્યા નંબર ઉપરથી આવતા કોલને હળવાશથી લેવો પડી શકે છે ભારે

વોટ્સએપ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વોટ્સએપ ઉપર પહેલા પણ જાસૂસીનો આરોપ લાગ્યો છે અને હવે ફરીથી કંપનીને આવા જ આરોપનો સામનો કરવો પડી રહ્યો છે. ઈલોન મસ્કે ટ્વિટર એન્જિનિયરના ટ્વિટને રિટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે એપ અને ઈન્ટરનેટ બંધ થયા પછી પણ WhatsApp ફોનના માઈક્રોફોનને એક્સેસ કરી […]

અટલજીએ પરમાણુ પરીક્ષણની જાહેરાત કરી હતી એ દિવસને હું ક્યારેય ભૂલી ન શકું: PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ટેકનોલોજી દિવસ 2023ની ઉજવણીના ઉપક્રમે નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન પર એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસના 25મા વર્ષની ઉજવણીની શરૂઆતનું પ્રતીક પણ છે, જે 11થી 14 મે સુધી ચાલશે. આ સીમાચિહ્નરૂપ પ્રસંગ પર પીએમએ દેશમાં રૂ. 5800 કરોડથી વધારે મૂલ્યના વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રગતિ સાથે […]

ભારત-પાકિસ્તાન મેચની તારીખ જાહેર,સેમિફાઇનલ વાનખેડેમાં રમાશે

ભારત-પાકિસ્તાન મેચની તારીખ જાહેર સેમિફાઇનલ વાનખેડેમાં રમાશે વર્લ્ડ કપ ભારતમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાશે મુંબઈ : વનડે વર્લ્ડ કપ 2023 ભારતમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાશે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સામેની ભારતની મેચોને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.અહેવાલો મુજબ, ભારત ટુર્નામેન્ટની તેમની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે અને સ્થળ ચેન્નાઈ હોઈ શકે છે. […]

ભારતે નેપાળ બોર્ડર તરફ જતો ફોર લેન માર્ગ ખોલ્યો,વેપાર અને પરિવહન સેવાને થશે ફાયદો

દિલ્હી : ભારતે નેપાળ બોર્ડર તરફ જતો ફોર લેન રોડ ખોલી દીધો છે. ભારત અને નેપાળ વચ્ચે વેપાર અને પરિવહન સેવાને વધુ બહેતર બનાવવા માટે ફાયદાકારક આ માર્ગ ઉત્તરાખંડના ચંબાવત જિલ્લાના ચક્રપુર અને નેપાળના પ્રદેશમાં ગડીગોથને જોડશે. કંચનપુરની ડોધરા ચદાની નગરપાલિકા-1ના સુકા બંદર સુધી ભારતીય બાજુથી પ્રવેશની સુવિધા માટે આ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. […]

ભારતથી પાકિસ્તાન પરત પહોંચેલા બિલાવલ ભુટ્ટો ઉપર વિપક્ષે પણ આકરા પ્રહાર કર્યાં

નવી દિલ્હીઃ શાંઘાઈ કોઓપરેશન કોન્ફરન્સમાં વિદેશ મંત્રીઓની બેઠકમાં આતંકવાદના મુદ્દે ઘેરાયા બાદ બિલાવલ ભુટ્ટો ઉપર પાકિસ્તાનના વિરોધ પક્ષે આકરા પ્રહાર કર્યાં હતા. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાને બિલાવલની મુલાકાતને પાકિસ્તાનના અપમાન સાથે જોડી છે. એટલું જ નહીં, તેમણે બિલાવલના આ પ્રવાસમાં આવતા ખર્ચ અને આર્થિક સંકટને લઈને પણ પાકિસ્તાન સરકાર પર નિશાન સાધ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code