ભારત-પાકિસ્તાન મેચની તારીખ જાહેર,સેમિફાઇનલ વાનખેડેમાં રમાશે
- ભારત-પાકિસ્તાન મેચની તારીખ જાહેર
- સેમિફાઇનલ વાનખેડેમાં રમાશે
- વર્લ્ડ કપ ભારતમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાશે
મુંબઈ : વનડે વર્લ્ડ કપ 2023 ભારતમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાશે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સામેની ભારતની મેચોને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.અહેવાલો મુજબ, ભારત ટુર્નામેન્ટની તેમની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે અને સ્થળ ચેન્નાઈ હોઈ શકે છે. આ ઉપરાંત, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન 15 ઓક્ટોબરે આમને-સામને થશે.
આ દરમિયાન ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં ભારત નહીં રમે કારણ કે પ્રથમ મેચ 2019ના વિજેતા ઈંગ્લેન્ડ અને રનર્સ અપ ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. નોંધનીય છે કે, બીસીસીઆઈએ હજુ સુધી તેના માટે શેડ્યૂલ જાહેર કરવાનું બાકી છે.
5 ખાસ બાબતો સામે આવી
- 15 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે.
- અમદાવાદમાં ઓપનિંગ મેચ અને ફાઇનલ મેચ.
- ઈંગ્લેન્ડ v /S ન્યુઝીલેન્ડ વચ્ચે 5 ઓક્ટોબરે ઓપનિંગ મેચ.
- ભારત પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમી શકે છે.
- વાનખેડે સેમિફાઇનલનું આયોજન કરી શકે છે.