1. Home
  2. Tag "india"

જો ભારતમાં હિમાલય ન હોત તો શું થાત? જાણો

હિમાલય ભારતની આબોહવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણા દેશમાં આ પર્વતનું ખૂબ જ વિશેષ મહત્વ છે, પરંતુ શું તમે જાણો છો કે જો તે ન હોત તો શું થાત? ચાલો જાણીએ. હિમાલય ચોમાસાના પવનોને અવરોધે છે અને ભારતમાં વરસાદ લાવે છે. તે ઉનાળામાં ભારતને ઠંડુ રાખે છે અને શિયાળામાં ઠંડા પવનોને અવરોધે છે. જો […]

ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એફ. ફાઉન્ડેશન આયોજિત અભિવ્યક્તિની છઠ્ઠી આવૃત્તિના મંચ ઉપર ભારતની પરંપરાગત કલા, સંગીત અને નૃત્ય જીવંત બન્યા

અમદાવાદ: ટોરેન્ટ ગ્રુપના  મહેતા પરિવાર-પ્રેરિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ એવા અભિવ્યક્તિ- ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિ વિવિધ પ્રકારના પ્રદર્શનોને એક સાથે લઈને આવી છે, જેણે યુવાનોથી લઈને વૃદ્ધો સુધી તમામ વયના દર્શકોને મોહિત કર્યા છે. શુક્રવારે યોજાયેલ માર્શલ-આર્ટ ઉપર આધારિત સમકાલીન નૃત્ય, ૧૭મી સદીના પરંપરાગત સંગીત, પ્રયોગાત્મક રંચમંચ અને ભારતનાટ્યમ, કથક, મોહિનીઅટ્ટમ સહિતના ભારતીય શાસ્ત્રીય […]

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તાત્કાલિક સુધારાની તેની માંગને પુનરાવર્તિત કરી

નવી દિલ્હીઃ ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તાત્કાલિક સુધારાની તેની માંગને પુનરાવર્તિત કરી છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પાર્વતનેની હરીશે જણાવ્યું હતું કે ભારતે સમાન ભૌગોલિક પ્રતિનિધિત્વ પર ભાર મૂક્યો છે, ખાસ કરીને આફ્રિકા, એશિયા-પેસિફિક, લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોને કાયમી બેઠકની શ્રેણીમાં સામેલ કરવા પર. તેમણે કહ્યું કે આપણને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની જરૂર […]

ભારતના આકરા વલણ સામે કેનેડા નરમ પડ્યું, ભારતીય નેતાઓ સામેના આક્ષેપ મામલે કરી સ્પષ્ટતા

ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરના મોતને લઈને સતત તણાવ ચાલી રહ્યો છે. દરમિયાન, શુક્રવારે આ સમગ્ર મામલે કેનેડા દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કેનેડાએ સ્વીકાર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને કેનેડામાં કોઈપણ “ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ” સાથે જોડતા કોઈ […]

મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણા ભારતમાં પ્રત્યાર્પણ સામે યુએસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

નવી દિલ્હીઃ મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાએ હવે ભારતને પ્રત્યાર્પણ વિરુદ્ધ યુએસ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક રાણાએ નીચલી અદાલતોમાં કાનૂની લડાઈ હાર્યા બાદ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. 2008ના મુંબઈ હુમલામાં તેની ભૂમિકા માટે ભારતે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની માંગ કરી છે. રાણાએ અગાઉ સાન ફ્રાન્સિસ્કોમાં યુએસ કોર્ટનો સંપર્ક કર્યો […]

ભારતને તેની મહાન હિન્દુ સંસ્કૃતિને પુનઃસ્થાપિત કરવાની જરૂર, પુતિનના રાજકીય ગુરુનું સૂચન

ભારત અને રશિયા વચ્ચેના સંબંધો હંમેશાથી સારા રહ્યા છે. રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે પણ ભારતે રશિયા સાથે પોતાની મિત્રતા જાળવી રાખવાની સાથે યુદ્ધ અંતે ચિંતા વ્યક્ત કરવાની સાથે યુદ્ધવિરામ માટે અપીલ કરી હતી. રશિયન લોકો ભારત અને ભારતીયોના પ્રશંસક રહ્યા છે. આ બધાની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના રાજકીય ગુરુ એલેક્ઝાન્ડર ડુગિને ભારતને લઈને […]

ભારતના આ રાજ્યમાં સરકારે ઈ-વાહનોને રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફીમાં આપી 100 ટકા છૂટ

તેલંગાણા સરકારે ઇલેક્ટ્રિક વાહનો (EVs) માટે રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફીમાંથી 100 ટકા મુક્તિની જાહેરાત કરી છે. આ લાભો રાજ્યના EV ખરીદદારો માટે ઉપલબ્ધ થશે જેઓ તેલંગાણામાં તેમના ઇલેક્ટ્રિક વાહનો ખરીદે છે અને નોંધણી કરાવે છે. રાજ્ય સરકારે એવી પણ જાહેરાત કરી છે કે આ લાભો 31 ડિસેમ્બર, 2026 સુધીના બે વર્ષના પ્રારંભિક સમયગાળા માટે […]

પાકિસ્તાન સીમા પારના આતંકવાદને સંપૂર્ણપણે ખતમ ના કરે ત્યાં સુધી વાતચીત શક્ય નથીઃ ભારત

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂતે કહ્યું છે કે પાકિસ્તાન સાથે વાતચીત ત્યારે જ શરૂ થઈ શકે છે જ્યારે પાકિસ્તાન સીમા પારના આતંકવાદને સંપૂર્ણપણે ખતમ કરે. ભારતીય રાજદૂતે કહ્યું કે, ભારત સીમા પારના આતંકવાદનો શિકાર છે અને આતંકવાદ પ્રત્યે અમારી ઝીરો ટોલરન્સની નીતિ છે. ભારતીય રાજદૂતે કહ્યું કે, પાકિસ્તાન સાથે અમારો મુખ્ય મુદ્દો આતંકવાદ છે. કોલંબિયા […]

ભારતે વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ એનર્જી ટ્રાન્ઝિશન પર જી-20 સમિટના ત્રીજા સત્રને સંબોધિત કર્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ બધા માટે સ્વચ્છ અને ટકાઉ ભવિષ્ય સુનિશ્ચિત કરવાના પ્રયાસોને વેગ આપવા પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ, વન વર્લ્ડ-વન […]

ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં ભારતની હરણફાળ, 1.2 કરોડથી વધુ નોકરીઓનું સર્જન થશે

નવી દિલ્હીઃ ભારતનો ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે અને આગામી વર્ષોમાં 25 થી 30 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) સાથે 1.2 કરોડ રોજગારીની તકોનું સર્જન કરશે. સોમવારે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. ટીમલીઝ ડિગ્રી એપ્રેન્ટિસશિપ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ 1.2 કરોડ નોકરીઓમાંથી 30 લાખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code