1. Home
  2. Tag "lokarpan"

અમદાવાદમાં લો ગાર્ડન સાથે જોડતા પાલડી અંડરબ્રિજનું મુખ્યમંત્રી કર્યું લોકાર્પણ

અમદાવાદઃ શહેરમાં વધતી થતી ટ્રાફિક સમસ્યાને દૂર કરવા અમદાવાદમાં નવનિર્મિત  ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. પાલડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિર પાસે નવા બનાવવામાં આવેલા રેલવે અંડરબ્રિજને ખૂલ્લો મુકાતા ટ્રાફિકની સમસ્યા હળવી જશે. લોકસભાની ચૂંટણી પહેલાં અમદાવાદના શહેરીજનોને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી હતી. જેમાં […]

PM મોદીએ બેટ દ્વારકામાં સુદર્શન સેતુનું કર્યું લોકાર્પણ, જાહેર સભામાં ગુજરાતના કર્યા વખાણ

દ્વારકાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે બેટ દ્વારકા આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ બેટ દ્વારકા ખાતે પ્રભાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન, પૂજા-અર્ચન કર્યા બાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ દ્વારકામાં રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી દ્વારકાધીશ જગતમંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરી પંચકૂઈ બીચ પર દરિયામાં સ્કૂબા ડાઈવિંગ કરવા પહોંચ્યા […]

રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે રેલવેના ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ, વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાશે

રાજકોટઃ અમદાવાદ-રાજકોટ વચ્ચે રેલવેની બ્રોડગેજ લાઈન પર અનેક ટ્રેનો પસાર થતી હોવાથી બ્રોડગેજ લાઈન ટ્રેનોની અવર-જવર માટે વ્યસ્ત રહેતી હોય છે. જેમાં રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડબલ ટ્રેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરાશે. ડબલ ટ્રેક કાર્યરત થતાં રાજકોટથી અમદાવાદ જવામાં સમય અને ખર્ચની બચત થશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોને અમદાવાદ […]

રાજકોટમાં PM મોદી 25મી ફેબ્રુઆરીએ અટલ સરોવર, એઈમ્સ અને ઝનાના હોસ્પિટલનું લોકાર્પણ કરશે

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી ફેબ્રુઆરી તેમજ 24મી અને 25મી ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં રાજકોટમાં 25મી ફેબ્રુઆરીએ વડાપ્રધાનના હસ્તે અનેકવિધ વિકાસ કામોના લોકાર્પણ કરાશે. જેમાં એઈમ્સ, અટલ સરોવર તેમજ ઝનાના હોસ્પિટલનું ઉદઘાટન કરાશે. વડાપ્રધાનના આગમનને લીધે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટમાં આગામી તા. 25ના રોજ વડાપ્રધાનના હસ્તે […]

સમૌ ગામે નવનિર્મિત શહીદ સ્મારક રાષ્ટ્રભક્તિની જાગૃતિનું પવિત્ર સ્થાન બની રહેશે : અમિત શાહ

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિતભાઈ શાહે ગાંધીનગર જિલ્લાના સમૌ ગામ ખાતે રૂપિયા બે કરોડના ખર્ચે નવનિર્મિત થયેલા શહીદ સ્મારક અને પુસ્તકાલય ભવનનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે નવનિર્મિત શહીદ સ્મારક રાષ્ટ્રભક્તિની જાગૃતિનું પવિત્ર સ્થાન બની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે સમૌ ગામની ધરતી પર ઈ.સ. 1857ની ક્રાંતિમાં સહભાગી થયેલા મગન ભુખણ અને દ્વારકાદાસ […]

રાજકોટમાં નવા બનેલા એસટી બસ સ્ટેન્ડનું શનિવારે હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરશે

રાજકોટઃ શહેરમાં  ઢેબર રોડ પર એસટી બસ સ્ટેન્ડ બન્યા બાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ બસ સ્ટેન્ડ બનાવમાં આવી રહ્યા છે. જેમાં રાજકોટના ભાવનગર રોડ પર સેટેલાઇટ બસ સ્ટેશન છેલ્લા 6 મહિનાથી તૈયાર થઇ ગયું છે. જોકે, લોકાર્પણનો કાર્યક્રમ રાજકીય નેતાઓની તારીખ ન મળવાને કારણે યોજી શકાતો નહતો. ત્યારબાદ મંત્રી હર્ષ સંઘવીનો સમય મળતા હવે તેમના […]

ભરૂચમાં નવનિર્મિત બસ પોર્ટનું લોકાર્પણ, જાહેર-સરકારી અસ્ક્યામતોની સાચવણી કરવા CMનું આહવાન

અમદાવાદઃ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચમાં નવા બસપોર્ટનું લોકાપર્ણ કરતાં નાગરિકોને પ્રેરક આહવાન કર્યુ કે જાહેર-સરકારી અસ્ક્યામતોને પોતીકી ગણીને તેની સાચવણીનું દાયિત્વ આપણે નિભાવવું જોઇએ. ગુજરાત રાજ્ય માર્ગ-વાહનવ્યવહાર નિગમ અને ડી.આર.એ નર્મદા બસપોર્ટ પ્રા. લિ. દ્વારા પીપીપી ધોરણે ભરૂચમાં રૂ. 113 કરોડના ખર્ચે નિર્માણ થયેલા આઇકોનિક બસપોર્ટનું લોકાર્પણ મુખ્યમંત્રીએ વાહનવ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં […]

ગાંધીનગર-કોબા હાઈવે પરના રક્ષાશક્તિ સર્કલ પાસે ફ્લાયઓવર બ્રિજનું CMએ કર્યું લોકાર્પણ

અમદાવાદઃ ગાંધીનગર કોબા હાઇવે પર આવેલા રક્ષા શક્તિ સર્કલ પર નવનિર્મિત ફ્લાય ઓવર બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હતુ.  આ બ્રિજ ખૂલ્લો મુકાતા નાગરિકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે. આ બ્રિજનું લોકાર્પણ શનિવારે કરવાનું આયોજન હતું. પરંતુ બીપરજોય વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે મુખ્યમંત્રી ગયા હોવાથી શનિવારે બ્રિજના લોકાર્પણનો કાર્યક્રમ મુલત્વી રાખવામાં આવ્યો હતો.અને રવિવારે […]

વડોદરા નજીક દેણા અને દુમાડ હાઈવે ચોકડી પર ઓવરબ્રિજનું કેન્દ્રિય મંત્રી ગડકરી લોકાર્પણ કરશે

વડોદરાઃ શહેર નજીક નેશનલ હાઇવે ઉપર આવેલા અને અકસ્માત ઝોન તરીકે ઓળખાતા દેણા ચોકડી અને દુમાડ ચોકડી ઉપર રૂપિયા 52 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ તૈયાર થઇ ગયો છે. આવતીકાલ તા.2જી જુનના રોજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બંને બ્રિજનું લોકાર્પણ કરશે. આ બ્રિજ બનવાથી અકસ્માત ઝોન ગણાતા દેણા ચોકડી અને દુમાડ ચોકડી ઉપર અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર […]

વડોદરામાં રૂ. 48 કરોડના ખર્ચે નવનિર્મિત ફુડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીનું રવિવારે લોકાર્પણ કરાશે

વડોદરાઃ આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલ રવિવારે તારીખ 21મે ના રોજ વડોદરા ખાતે રૂ. 48 કરોડથી વધુની રકમના ખર્ચે નવનિર્મિત ખોરાક અને ઔષધ પ્રયોગશાળાનું લોકાર્પણ કરશે.આ પ્રયોગશાળાને સમગ્ર દેશમાં ખોરાક અને ઔષધ ના નમુનાઓનું પૃથ્થક્કરણ કરવા સરકાર હસ્તકની મોટામાં મોટી પ્રયોગશાળાનો દરજ્જો પ્રાપ્ત થયો છે. રાજકોટ અને ભુજ બાદ આ પ્રકારની અત્યાધુનિક ફુડ એન્ડ ડ્રગ્સની લેબ વડોદરામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code