1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરા નજીક દેણા અને દુમાડ હાઈવે ચોકડી પર ઓવરબ્રિજનું કેન્દ્રિય મંત્રી ગડકરી લોકાર્પણ કરશે
વડોદરા નજીક દેણા અને દુમાડ હાઈવે ચોકડી પર ઓવરબ્રિજનું કેન્દ્રિય મંત્રી ગડકરી લોકાર્પણ કરશે

વડોદરા નજીક દેણા અને દુમાડ હાઈવે ચોકડી પર ઓવરબ્રિજનું કેન્દ્રિય મંત્રી ગડકરી લોકાર્પણ કરશે

0
Social Share

વડોદરાઃ શહેર નજીક નેશનલ હાઇવે ઉપર આવેલા અને અકસ્માત ઝોન તરીકે ઓળખાતા દેણા ચોકડી અને દુમાડ ચોકડી ઉપર રૂપિયા 52 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ તૈયાર થઇ ગયો છે. આવતીકાલ તા.2જી જુનના રોજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બંને બ્રિજનું લોકાર્પણ કરશે. આ બ્રિજ બનવાથી અકસ્માત ઝોન ગણાતા દેણા ચોકડી અને દુમાડ ચોકડી ઉપર અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ બે વર્ષ પહેલાં દુમાડ અને દેણા ચોકડી પાસે રૂપિયા 36 કરોડના ખર્ચે દેણા ચોકડી ઉપર ઉપર અને રૂપિયા 16 કરોડના ખર્ચે દુમાડ ચોકડી બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બે વર્ષમાં બંને ફ્લાયઓવર બ્રિજ તૈયાર થઇ જતા તા. 2જી જુનના રોજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે.

વડોદરામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-8 અને નેશનલ હાઇવે નંબર-48 એક્સપ્રેસ હાઇવેનો જોડતો માર્ગ છે. આ માર્ગ ઉપર દેણા ચોકડી અને દુમાડ ચોકડી આવેલી છે. આ બંને ચોકડી ઉપર એક માસમાં સરેરાશ 15 જેટલા નાના-મોટા અકસ્માતો બનતા હતા. જેમાં દેણા ચોકડી મોતની ચોકડી તરીકે જાણીતી બની ગઇ હતી. દેણા ચોકડી ઉપર વાહનચાલક અથવા તો પગપાળા રોડ ક્રોસ કરનારની નજીવી ચૂક મોતના મુખમાં ધકેલી દેતી હતી. આ માર્ગ ઉપરથી અમદાવાદ તરફ તેમજ સુરત તરફ જનારા વાહનો પુરપાટ પસાર થતા હોય છે. દેણા અને દુમાડ ચોકડી ઉપર વધી ગયેલા અકસ્માતોના કારણે ટ્રાફિક થવાથી વાહન-વ્યવહાર પણ ખોરવાઇ જતો હતો. ક્યારે 5-5 કિલો મીટર વાહનોની કતારો લાગી જતી હતી. પરિણામે નોકરી-ધંધાર્થે અથવા તો અન્ય કામ માટે જનારા લોકોને કલાકો સુધી હાઇવે પર સમય પસાર કરવો પડતો હતો. આ સ્થિતિ એક માસમાં ચારથી પાંચ વખત સર્જાતી હતી અને સ્થિતિ દેણા ચોકડી પાસે થતાં અકસ્માતોના કારણે વધુ પડતી સર્જાતી હતી. દેણા, પિલોલ, વિરોદ, મોટા પુરા સહિતના ગામોમાંથી વડોદરા તરફ આવતા ગ્રામ્યજનો તેમજ વેપાર-ધંધા કરનારાઓ તેમજ વડોદરાથી સાવલી તરફ જતા વેપાર-ધંધાર્થીઓ દેણા ખાતે ફ્લાયઓવર બનાવવા માટે અવાર-નવાર રજૂઆતો કરવામાં આવી હતી. પરિણામે સાંસદ રંજન ભટ્ટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને દેણા અને દુમાડ ચોકડી ઉપર ફ્લાયઓવર બનાવવા માટે રજૂઆત કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code