1. Home
  2. Tag "Mayor"

અમદાવાદમાં પશુપાલકોના લાયસન્સ અને પરમીટના પ્રશ્ને માલધારીઓ આજે મેયરનો ઘેરાવ કરશે

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોર સામે મ્યુનિ,કોર્પોરેશન દ્વારા નવી પોલીસી બનાવવામાં આવી છે. નવી પોલીસીને 90 દિવસ પૂર્ણ થવાને બે દિવસ બાકી છે. ત્યારે શહેરમાં વસવાટ કરતાં માલધારીઓ દ્વારા લાયસન્સ અને પરમિટ માટે દસ્તાવેજવાળી જગ્યાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. માલધારી એકતા સમિતિ અને પશુપાલન બચાવો સમિતિના દ્વારા આજે મંગળવારે બપોરે 12 વાગ્યે શહેરના મેયરનો […]

સુરત શહેરના નવા મેયર બન્યાં દક્ષેશ માવાણી, ડે.મેયર તરીકે નરેન્દ્ર પાટીલની પસંદગી

અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટની જેમ સુરત મહાનગર પાલિકામાં આજે હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી છે અને નવા મેયર તરીકેની જવાબદારી દક્ષેશ માવાણીને સોંપવામાં આવી છે. આ ઉપરાંત ડે.મેયર સહિતના હોદ્દેદારોની પણ પસંદગી કરવામાં આવી છે. સુરત મ્યુનિસપલ કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે અને મેયર તથા ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની મુદત પૂર્ણ થતી હોવાથી ભાજપના દ્વારા […]

રાજકોટ શહેરના મેયર અને ડે.મેયર સહિતના હોદ્દેદારોની નિમણુંક કરાઈ

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટ શહેરમાં મેયર અને ડેપ્યુટી મેડર સહિતના હોદ્દેદારોની વરણીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી અટકળોનો આજે અંત આવ્યો છે. રાજકોટ શહેરના નવા મેયર તરીકે નયનાબેન પઢેડિયાની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ […]

અમદાવાદ શહેરના નવા મેયર બન્યાં પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની વરણી

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં નવા મેયરના નામને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ચર્ચાઓનો આજે અંત આવ્યો છે. અમદાવાદ શહેરના નવા મેયર તરીકે કોર્પોરેટર પ્રતિભાબેન જૈનની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. હાલ અમદાવાદ શહેરમાં ભાજપનું સાશન છે. અમદાવાદ મહાનગરપાલિકાને આજે નવા મહિલા મેયર […]

અમદાવાદ મનપામાં મેયરની ચૂંટણી માટે 11 સપ્ટેમ્બરે જનરલ બોર્ડની બેઠક મળશે

ગાંધીનગરઃ અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં મેયર અને અન્ય પદાધિકારીઓની ચૂંટણી કરવા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં 11 સપ્ટેમ્બરે સવારે 11કલાકે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં નવા પદાઅધિકારીની વરણી કરવામાં આવશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તારીખ 12 સપ્ટેમ્બરના રોજ મળનારી જનરલ બોર્ડમાં મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી કરવામાં આવશે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ તારીખ 12મી સપ્ટેમ્બરે […]

સમગ્ર દેશમાં સૌથી સસ્તા શહેરોમાં ટોપ ઉપર અમદાવાદ, મોંઘુ શહેર મુંબઈ

અમદાવાદઃ ભારતની પ્રજા હાલ મોંધવારીનો સામનો કરી રહ્યું છે. દરમિયાન સમગ્ર દેશમાં સૌથી સસ્તા શહેરોમાં પ્રથમ ક્રમે હેરિટેજ સિટી અમદાવાદ શહેર છે. અમદાવાદ શહેરમાં ઘર તથા અન્ય ખદીરવા મામલે સૌથી સસ્તુ શહેર હોવાનું એક રિપોર્ટમાં સામે આવ્યું છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સીએ જાહેર કરેલા અફોર્ડેબિલીટી ઈન્ડેક્સમાં પ્રજાને પોયાસ તેવુ શહેર માત્ર અમદાવાદ છે. જ્યારે મેટ્રોસિટી મુંબઈ […]

ગંભીર બીમારીથી પીડિતા દર્દીઓને કોવિડ-19ની જેમ H3N2 વાયરસનું વધારે જોખમઃ AMC

અમદાવાદઃ રાજ્યમાં કોવિડ-19ના કેસ વધવાની સાથે એચ3એન2 વાયરસના પણ શંકાસ્પદ કેસ સામે આવી રહ્યાં છે. એટલું જ નહીં તાજેતરમાં જ વડોદરામાં એક મહિલાનું એચ3એન2 વાયરસની બીમારીમાં અવસાન થયું હતું. રાજ્યમાં એચ3એન2ની દસ્તકને પગલે રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ હોસ્પિટલો અને સ્થાનિક તંત્રોને જરુરી સુચના આપી છે. દરમિયાન તબીબોનું માનવુ છે કે, એચ3એન2 […]

અમદાવાદ શહેરના મેયરે રખડતા ઢોર અંગે ચિંતા વ્યક્ત કરી કહ્યું કે, વધુ બે ઢોરવાડ બનશે

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે, રખડતા ઢોર મામલે અગાઉ હાઈકોર્ટે મનપા તંત્રને ટકોર કરી હતી. બીજી તરફ મનપાએ રખડતા ઢોરને પાંજરે પુરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. દરમિયાન પશુઓને રાખવા માટે આગામી દિવસોમાં શહેરમાં વધુ બે ઢોરવાડા બનાવવામાં આવી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર હાઈકોર્ટની આકરી ટકોર બાદ મનપા દ્વારા રખડતા ઢોર […]

અમદાવાદ બન્યું ભુવાનગરીઃ પાંચ દિવસમાં ચાર સ્થળોએ પડ્યાં ભુવા

અમદાવાદઃ ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે જો કે, નવરાત્રિ દરમિયાન રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન મેગાસિટી અમદાવાદમાં ભુવા પડવાનો સીલસીલો યથાવત રહ્યો છે. પાંચ દિવસના સમયગાળામાં શહેરના વિવિધ વિસ્તારમાં ચાર જેટલા ભુવા પડ્યાં હોવાનું જાણવા મળે છે. માર્ગ ઉપર ભુવા પડવાના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો […]

દ.ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે ઓલપાડ નજીક બ્રિજનો એક નમી પડ્યો, મોટી દૂર્ઘટના ટળી

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. દરમિયાન સુરત-ઓલપાડને જોડતા બ્રિજનો એક ભાગ નમી પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. બીજી તરફ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર સુરત-ઓલપાડને જોડતા બ્રિજનો ભાગ એકાએક નમી પડ્યો હતો. વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code