1. Home
  2. Tag "Metro Train"

અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો ખર્ચ ઘટાડવા માટે હવે ગ્રીન એનર્જીનો ઉપયોગ, મહિને 21 લાખની બચત થશે

અમદાવાદઃ શહેરમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન શરૂ કરાયા બાદ સારોએવો ટ્રાફિક મળી રહ્યો છે. પરંતુ મેટ્રો ટ્રેન ઓપરેટિંગનો તોતિંગ ખર્ચ પ્રવાસી ભાડામાંથી કાઢવો મુશ્કેલ છે, આથી ખર્ચ ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં તમામ મેટ્રો સ્ટેશનોને ગ્રીન સોલાર એનર્જીથી ઓપરેટ કરવાની યોજના ઘડી છે. હવે અમદાવાદના તમામ […]

અમદાવાદમાં મેટ્રો ટ્રેનના ટ્રાફિકમાં વધારો, 13000 પ્રવાસીઓએ સ્માર્ટ કાર્ડ કઢાવ્યાં

અમદાવાદઃ શહેરમાં બીઆરટીએસ બાદ મેટ્રો ટ્રેન શરૂ કરતાં એમાં પ્રવાસીઓની સંખ્યામાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. શહેરીજનો હવે ગીચ ટ્રાફિકમાં પોતાનું વાહન લઈને જવાને બદવે મેટ્રો ટ્રેનની મુસાફરી વધુ પસંદ કરવા લાગ્યા છે. ઓક્ટોબરથી મેટ્રો ટ્રેન ફેઝ-1માં લગભગ 39 કિલોમીટરના રૂટ પર દોડતી થઈ છે. માત્ર મનોરંજનનું સાધન રહેલી મેટ્રો ટ્રેન લોકો માટે હવે ઉપયોગી […]

અમદાવાદમાં વેજલપુરના APMCથી મોટેરા સુધીની મેટ્રો ટ્રેનનો આજથી પ્રારંભ થશે

અમદાવાદઃ  શહેરમાં મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાનું રુટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ તા.30મી ઓકટોબરના રોજ લોકાર્પણ કર્યું હતુ.  ત્યારબાદ પ્રથમ રૂટ્સનો એક રૂટ વસ્ત્રાલથી થલતેજને 2જી ઓકટોબરના રોજ જાહેર જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યો હતો. હવે મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાના બીજા રુટ વેજલપુર APMC થી મોટેરાના રુટનો આજે તા.  06 ઑક્ટોબરના રોજ પ્રારંભ કરવામાં આવશે. સૂત્રોના […]

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો રેલને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલના રુટના ફેઝ-1ને લીલીઝંડી બતાવીને શુભારંભ કરાવ્યો હતો. એટલું જ નહીં તેમણે મેટ્રો રેલમાં પ્રવાસ કરીને કર્મચારીઓ સાથે વાત-ચીત કરી હતી. ગુજરાતના પ્રવાસના આજે બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે ગાંધીનગરમાં વંદેભારત ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. તેમજ ગાંધીનગરથી ટ્રેનમાં મુસાફરી કરીને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન આવ્યાં હતા. કાલુપુર […]

PM મોદી 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવશે, અમદાવાદમાં નવરાત્રિ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે

અમદાવાદઃ પીએમ નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. 29મી સપ્ટેમ્બરે સવારે લગભગ 11 વાગ્યે, પીએમ મોદી સુરતમાં 3400 કરોડ રૂ.થી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે અને લોકાર્પણ કરશે. ત્યારબાદ નરેન્દ્ર મોદી ભાવનગર જશે. ત્યાં બપોરે લગભગ 2 વાગ્યે, તેઓ રૂ. 5200 કરોડથી વધુની બહુવિધ વિકાસલક્ષી પહેલોનું શિલાન્યાસ કરશે અને ઉદ્ઘાટન કરશે. […]

અમદાવાદઃ PM મોદી 30 સપ્ટેમ્બરે મેટ્રોનો પ્રારંભ કરાવશે, ગાંધીજ્યંતિથી પ્રજા કરી શકશે મુસાફરી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રમ પ્રોજેક્ટ પૈકીના એક મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઈ છે અને તા. 30મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી થલતેજથી વસ્ત્રાલ રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ પણ કરાવે તેવી શકયતા છે. જો કે, શહેરીજનો આ સેવાનો લાભ બે દિવસ બાદ એટલે કે ગાંધી જ્યંતિથી મેળવી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દેખરેખ […]

અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ સુધીના રૂટ્સની મેટ્રો ટ્રેનને પીએમ મોદી 30મીએ લીલી ઝંડી આપશે

અમદાવાદઃ શહેરમાં મેટ્રો રેલ ફેઈઝ-1નું કામ પૂર્ણ થઈ ગયું છે. અને સફળતાપૂર્વક ટ્રાયલ રન પણ પૂર્ણ થઈ ગયો છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.30મી સપ્ટેમ્બરને શુક્રવારના રોજ થલતેજથી વસ્ત્રાલ સુધીની મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપીને લોકાપર્ણ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટના ફેઝ-1માં પૂર્વથી પશ્ચિમ છેડાને જોડતા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના રૂટની […]

પ્રથમ નોરતે અમદાવાદીઓને મળશે મેટ્રો ટ્રેનની ભેટઃ PM મોદી શુભારંભ કરાવે તેવી શકયતા

અમદાવાદઃ શહેરમાં ગણા વર્ષોથી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે અને કામગીરી પૂર્ણતાના આરે છે, દરમિયાન આગામી દિવસોમાં શહેરીજનોને મેટ્રો ટ્રેનની સુવિધા પણ ઉપલબ્ધ થશે. નવરાત્રિ મહોત્સવના પ્રથમ નોરતે જ શહેરીજનોને મેટ્રો સેવાનો લાભ મળતો થવાની શકયતા છે. PM મોદી નવરાત્રિના પહેલા દિવસે જનતાને મેટ્રો ટ્રેનની ગિફટ આપશે. અમદાવાદ શહેરમાં મેટ્રો […]

અમદાવાદના થલતેજમાં રાત્રે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનો એક પિલર ત્રાંસો થઈને ફ્લેટ્સ પર નમી પડ્યો

અમદાવાદઃ શહેરમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ ફેઈઝ-1નું કામ લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે. અને નવરાત્રી દરમિયાન મેટ્રો ટ્રેન દોડતી કરવાનું આયોજન છે. ત્યારે શહેરના થલતેજ નજીક મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના એક પિલ્લર એકાએક ત્રાંસો થઈને ફ્લેટ પર પડતાં જ ભાગદોડ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં જ ફાયર બ્રીગેડના લાશ્કરો દોડી આવ્યા હતા. જોકે સદભાગ્યે આ […]

અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ, મોટેરા સ્ટેડિયમથી APMC સુધીની મેટ્રો ટ્રેન નવરાત્રીથી દોડતી થશે

અમદાવાદઃ શહેરમાં મેટ્રો ટ્રેન ફેઈઝ-1ની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે, મેટ્રો ટ્રેનના ટ્રાયલ રન પૂર્ણ કરાયા છે. હવે આગામી નવરાત્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરવામાં આવશે. APMCથી મોટેરા સ્ટેડિયમ તથા થલતેજથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાશે, મેટ્રો ટ્રેનનું મહત્તમ ભાડું રૂપિયા 25  હશે. અલગ અલગ સ્ટેશનની ટિકિટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code