1. Home
  2. Tag "muslim"

ઈંદ્રલોક બાદ દિલ્હીના વધુ એક ક્ષેત્રમાં તણાવ, પયગંબર મોહમ્મદ પર વિવાદીત ટીપ્પણીથી બગડયો માહોલ

નવી દિલ્હી: દિલ્હીના ઈંદ્રલોક વિસ્તારમાં નમાજીઓને લાત મારવાની ઘટનાને લઈને બબાલ થયા બાદ વધુ એ વિસ્તારમાં તણાવ પેદા થયો છે. પયગમ્બર મોહમ્મદ પર વિવાદીત ટીપ્પણીનો વીડિયો વાયરલ થયા બાદ માહોલ બગડયો છે. રાજધાની નવી દિલ્હીના ઝડૌદાના મિલન વિહારમાં તણાવને જોતા પોલીસ અને પેરામિલિટ્રીના જવાન તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસ આરોપીની ધરપકડની કોશિશ કરી રહી છે. […]

ચૂંટણી પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં નમાજથી ઘર્ષણ એક ષડયંત્ર? વિવાદમાં પેદા થયેલા સવાલોના જવાબ તાત્કાલિક શોધવાની જરૂર

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં જાહેરમાં મંજૂરી વગર નમાજ પઢનારા વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદ અને ઘર્ષણની ઘટના દુખદ છે. તેનાથી વધારે દુખદ બાબત એ છે કે લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ આવા પ્રકારની ઘટના અમદાવાદ યુનિવર્સિટીમાં થાય છે અને તેના આધારે દેશ-દુનિયામાં ફરી એકવાર ગુજરાતને બદનામ કરવાની કોશિશો કેટલાક ફેક્ટ ચેકરિયાઓ અને કથિત […]

ગુજરાત યુનિ.માં બબાલ: દીવાલ પર ‘બિસ્મિલ્લાહ અલ રહમાન અલ રહીમ’ લખીને બનાવી દીધી ખુલ્લી મસ્જિદ, સવાલ કરતા અફઘાન વિદ્યાર્થીએ માર્યો લાફો!

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં શનિવારે વિદેશી અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું. તેના કારણે એ બ્લોકના રૂમ નંબર-23માં લેપટોપ, એસી યૂનિટ અને અન્ય સામાનને નુકશાન પહોંચ્યું. તેની સાથે જ બહાર પાર્ક કરવામાં આવેલા વાહનો પણ ક્ષતિગ્રસ્ત થયા હતા. તેને લઈને હોસ્ટેલના સુરક્ષાકર્મીઓની ફરિયાદ બાદ પોલીસે મામલો નોંધ્યો છે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં અફઘાનિસ્તાન, આફ્રિકા, શ્રીલંકા અને અન્ય […]

અમેરિકા, UNને સીએએથી મુશ્કેલી, પુછયું- શિયા મુસ્લિમોને કેમ લીધા નથી?

નવી દિલ્હી: અમેરિકાની સરકાર અને સંયુક્ત રાષ્ટ્રે મંગળવારે ભારતના વિવાદાસ્પદ નાગરિકતા કાયદાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રે ભારતના આ કાયદાને મૂળભૂત રીતે ભેદભાવપૂર્ણ પ્રકૃતિનો ગણાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે કેન્દ્રની મોદી સરકારે 31 ડિસેમ્બર, 2014થી પહેલા ભારત આવેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના દસ્તાવેજ વગરના બિનમુસ્લિમ પ્રવાસીઓને ઝડપથી નાગરિકતા પ્રદાન કરવા માટે નાગરિકતા (સંશોધન) […]

સરકારના નોટિફિકેશન બાદ દેશભરમાં સીએએ લાગુ, 3 દેશોના બિનમુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિકતા

નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદાનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ મોટું પગલું છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ મોટું પગલું છે. તેના પ્રમાણે હવે ત્રણ પાડોશી દેશોની લઘુમતીઓને ભારતની નાગરિકા મળી શકશે. તેના માટે તેમને કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા ઓનલાઈન પોર્ટલ પર અરજી […]

MP:ભોજશાળા મસ્જિદ છે કે મંદિર? જ્ઞાનવાપીની જેમ એએસઆઈ સર્વેને હાઈકોર્ટે આપી મંજૂરી

ઈન્દૌર: મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દૌર બેંચે સોમવારે ધાર જિલ્લામાં આવેલી ભોજશાળાના વૈજ્ઞાનિક સર્વેક્ષણને મંજૂરી આપી છે. આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાને 6 સપ્તાહમાં સર્વે કરવાની તાકીદ કરવામાં આવી છે. હાઈકોર્ટે હિંદુ ટ્રસ્ટની અરજી પર 19 ફેબ્રુઆરીએ સુનાવણી કરી હતી અને આદેશને સુરક્ષિત રાખ્યો હતો. ભોજશાળા એએસઆઈ સંરક્ષિત સ્મારક છે. જેમાં માતા સરસ્વતીનું મંદિર હોવાનો હિંદુઓ દાવો કરી […]

તમિલનાડુની રાજનીતિમાં એવું તો શું છે કે હિંદુત્વનો કોઈ મુદ્દો ચાલતો નથી?

નવી દિલ્હી:  તમિલનાડુની સત્તાધારી ડીએમકેના નેતાઓ ઉદયનિધિ સ્ટાલિન હોય કે એ. રાજા હોય કે અન્ય કોઈ નેતાઓ હોય, તેઓ શ્રીરામ, સનાતન અને બ્રાહ્મણ પર વિવાદીત ટીપ્પણીઓ કરતા રહે છે. તમિલનાડુમાં ધર્માંતરણ વિરોધી કાયદો બને છે, અને તેને થોડા વખતમાં પાછો કેંચવો પડે છે. તમિલનાડુમાં રામમંદિર બનાવવું (હવે અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા થઈ ચુકી છે), આર્ટિકલ-370ને હટાવવી (હવે […]

મુસ્લિમ યુવતીઓ પર કહેર વરસાવી રહેલી આદમ સેના શું છે?, શરિયાના નામે ઘરોમાં ઘૂસી કરે છે છેડતી!

નવી દિલ્હી: ઝારખંડના રામગઢ જિલ્લામાં હાલ એક સેનાના ખોફમાં મુસ્લિમ મહિલાઓ જીવી રહી છે. આ સેનાનું નામ આદમ સેના છે. આરોપ છે કે આદમ સેનાના લોકો મુસ્લિમ મહિલાઓ પર બળજબરીથી શરિયા કાયદો થોપી રહ્યા છે અને તેની આડમાં ઘરોમાં ઘૂસીને મુસ્લિમ યુવતીઓની છેડતી કરી રહ્યા છે. સોશયલ મીડિયા પર પોસ્ટ પ્રમાણે, આદમ સેનાનો ઉદેશ્ય શરિયા […]

રમઝાન પહેલા સાઉદી અરેબિયાએ જાહેર કર્યો નિયમ, હવે મસ્જિદોની અંદર આ કામની મનાઈ

નવી દિલ્હી: રમઝાનથી પહેલા ઈસ્લામના બે પવિત્ર શહેરો મક્કા અને મદીનાના દેશ સાઉદી અરેબિયાએ ઈફ્તારને લઈને એક મહત્વનો નિર્ણય કર્યો છે. ઈસ્લામિક દેશે મસ્જિદોની અંદર ઈફ્તાર પ્રતિબંધ લગાવી દીધો છે. રમઝાન ઈસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો હોય છે, તેને ઈસ્લામનો સૌથી પવિત્ર માસ માનવામાં આવે છે. આ વર્ષ રમઝાન 10 માર્ચથી શરૂ થઈ રહ્યો છે, જે […]

ગઝવા એ હિંદવાળા ફતવાને દારૂલ ઉલમ દેવબંદે ગણાવ્યો યોગ્ય!: ભારતમાં ઓફિસ, ભારત પર જ આક્રમણ?

સહારનપુર: ઉત્તરપ્રદેશના સહારનપુર ખાતેના દેવબંદમાં આવેલા દારુલ ઉલૂમે ગઝવા એ હિંદને યોગ્ય ઠેરવતા ફતવાને લઈને મોટો નિર્ણય આપ્યો છે. દારુલ ઉલૂમનું કહેવું છે કે આ ફતવો સાચો છે અને જો તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે, તો તેઓ કોર્ટમાં જશે. સહારનપુરમાં દારુલ ઉલૂમની સૌથી મોટી કમિટી મજલિસ એ શૂરાની બેઠક થઈ હતી. જેમાં શૂરાના સદસ્યોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code