1. Home
  2. Tag "News Article"

પોરબંદર-ધોરાજી હાઈવે પર જોખમી રીતે સ્ટંટ કરતા બાઈક ચાલકોની પોલીસે કરી ધરપકડ

સ્ટંટબાજ બે બાઈકસવારોએ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, પોલીસે પણ બન્ને યુવાનોને માફી માગતો વિડિયો બનાવીને વાયરલ કર્યો, હાઈવે પર બાઈકચાલકોના સ્ટંટથી અન્ય વાહનચાલકો પણ ડરી ગયા હતા, રાજકોટઃ આજકાલ યુવાનોમાં સોશિયલ મીડિયાનું વલગણ એટલું બધુ છે કે, ફેમસ થવા અને વધુ લાઇક્સ મેળવવાના ચક્કરમાં યુવાનો કાયદો હાથમાં લેતા પણ ડરતા નથી. અને કાર […]

અમદાવાદમાં સરદાર પટેલની જન્મજ્યંતિ પર મુખ્યમંત્રીએ યુનિટી માર્ચને ફ્લેગ ઓફ કરાવ્યુ

‘રાષ્ટ્રીય એકતા દિવસ‘ની ઉજવણીના ભાગરૂપે રન ફોર યુનિટીમાં શહેરીજનો જોડાયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પી, રાજકોટમાં કૂવરજી બાવળિયાએ રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવ્યુ અમદાવાદઃ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે 150મી જન્મજયંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઊજવણીના ભાગરૂપે અમદાવાદ, સુરત, ગાંધીનગર અને રાજકોટ સહિત શહેરોમાં ‘યુનિટી માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 63 તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ, 14 જિલ્લામાં યલો એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 63 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુકાય રહ્યો છે, રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે વહેલી સવારે ધૂમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી. અને દિવસ દરમિયાન આકાશ વાદળછાંયુ રહ્યું હતું. ગુજરાતમાં 6 નવેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે હજી પહેલી નવેમ્બર […]

સરદાર પટેલ માટે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું વિઝન સર્વોપરી હતુઃ PM નરેન્દ્ર મોદી

સરદાર પટેલ ઈચ્છતા હતા કે આખુ કાશ્મીર એક હોય પણ નહેરૂએ વિભાજિત કર્યુ, એકતાનગરમાં ભવ્ય રાષ્ટ્રીય પરેડ યોજાઈ, ભારત પોતાની સુરક્ષા અને સન્માન સાથે કોઈ સમાધાન કરતું નથીઃ મોદી કેવડિયા-એકતાનગરઃ લોખંડી પુરૂષ  સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આજે, શુક્રવારે, 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિતિમાં રાજધાની દિલ્હીની જેમ ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, […]

દશેરાથી દિવાળી સુધીના તહેવારોમાં UPI મારફતે રૂ. 17.8 લાખ કરોડના વ્યવહાર નોંધાયાં

દશેરાથી દિવાળી સુધીના તહેવારોની સીઝનમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) મારફતે થયેલા ડિજિટલ ખર્ચમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન યુપીઆઇ મારફતે કુલ  રૂ. 17.8 લાખ કરોડના વ્યવહારો નોંધાયા હતા, જે ગયા વર્ષના રૂ. 15.1 લાખ કરોડની સરખામણીએ વધારે છે. બેંક ઑફ બરોડાના એક રિપોર્ટ અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં યુપીઆઇ વ્યવહારોના મૂલ્યમાં મહિના-દર-મહિના (MoM) ધોરણે 2.6 […]

સરકારો નિયમો બનાવે છે પરંતુ યોગ્ય અમલ કરતી નથી, અને કોર્ટના આદેશોને લઈને બેદરકાર છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં રખડતા કૂતરાઓ મામલે થયેલી અરજીની સુનાવણીમાં રાજ્યોના મુખ્ય સચિવોને વર્ચ્યુઅલ રીતે હાજર રહેવાની માંગણી કરતી અરજી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કરી હતી. જો કે, આ મામલે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરીને અરજી ફગાવતા ટકોર કરી હતી કે, કોર્ટના આદેશોનો યોગ્ય આદર કરવામાં આવતો જ નથી. મુખ્ય સચિવોએ 3 નવેમ્બરના રોજ કોર્ટમાં વ્યક્તિગત […]

યુદ્ધ હવે ઝડપથી ગેર-ગતિશીલ અને પ્રત્યક્ષ સંપર્ક વિનાના થઈ રહ્યાં છે: સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્રિવેદી

નવી દિલ્હીઃ ગુજરાત અને રાજસ્થાનની પાકિસ્તાન સરહદ ઉપર ત્રણેય ભારતીય સેના યુદ્ધ અભિયાસ કરી રહી છે. દરમિયાન ભારતીય આર્મીના ચીફ જનરલ ઉપેન્દ્ર દ્રિવેદીએ કહ્યું કે, હવે યુદ્ધ ઝડપથી સંપર્ક રહિત થઈ રહ્યાં છે એટલે તેના જવાબમાં સૈન્ય તાકતની સાથે સાથે બોદ્ધિક ક્ષમતા અને નૈતિક તૈયારી પણ જરુરી છે. સરદાર પટેલની 150મી જ્યંતિ નિમિતે નવી દિલ્હીના માનેકશા […]

રાજસ્થાનના જોધપુર અને જેસલમેરમાંથી ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ

નવી દિલ્હી: રાજસ્થાનના જોધપુરમાં આતંકવાદ વિરોધી ટુકડી (ATS) અને ગુપ્તચર બ્યુરો (IB) એ અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આતંકવાદ વિરોધી ટુકડી (ATS) અને ગુપ્તચર બ્યુરો (IB) ના સંયુક્ત ઓપરેશનમાં ત્રણ કથિત આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા શંકાસ્પદો પર આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો અને ભંડોળ નેટવર્ક સાથે સંબંધો હોવાની શંકા છે. આ બાબતની માહિતી આપતાં, […]

ભારત અને અમેરિકા વચ્ચે 10 વર્ષના સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર, રાજનાથ સિંહે કહ્યું – એક નવા યુગની શરૂઆત

નવી દિલ્હી: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને યુએસ યુદ્ધ સચિવ પીટ હેગસેથે મલેશિયાના કુઆલાલંપુરમાં યુએસ-ભારત મુખ્ય સંરક્ષણ ભાગીદારીના માળખા પર કરારનું આદાન-પ્રદાન કર્યું. આ સમયગાળા દરમિયાન, અમેરિકાએ ભારત સાથે ઐતિહાસિક 10 વર્ષનો સંરક્ષણ માળખા પર હસ્તાક્ષર કર્યા. હકીકતમાં, યુએસ યુદ્ધ સચિવ પીટ હેગસેથે X પર જણાવ્યું હતું કે તેઓ ભારતીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને મળ્યા […]

છત્તીસગઢના નવા રાયપુરમાં દેશનું પહેલું ડિજિટલ આદિવાસી સંગ્રહાલય તૈયાર કરાયું

નવી દિલ્હીઃ છત્તીસગઢના નવા રાયપુરમાં દેશનું પહેલું ડિજિટલ આદિવાસી સંગ્રહાલય તૈયાર છે. શહીદ વીર નારાયણ સિંહ સ્મારક અને આદિવાસી સ્વતંત્રતા સેનાની સંગ્રહાલય નામ આપવામાં આવ્યું છે, આ સંગ્રહાલયનું ઉદ્ઘાટન 1 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. આ સંગ્રહાલય નવીન ટેકનોલોજી અને વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા આદિવાસી લોકોના જીવન, તેમના નાયકોની ગૌરવપૂર્ણ વાર્તાઓ અને લોક સંસ્કૃતિને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code