1. Home
  2. Tag "patients"

અમદાવાદમાં નરોડાના એક બિલ્ડીંગમાં આગઃ કોવિડ હોસ્પિટલના દર્દીઓને SVPમાં ખસેડાયા

અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં આવેલા સ્મશાન પાસેના એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગતા ફાયરબ્રિગેડનો કાફલો દાડી આવ્યો હતો. કોમ્પ્લેક્સમાં કોરોનાની વેદાંત મલ્ટીસ્પેશિયલ્ટી હોસ્પિટલ પણ આવેલી છે, જેના લીધે દાડધામ મચી ગઈ હતી.. હાલ આગ કાબુમાં આવી ગઈ છે, કોઈ જાનહાનિ થઈ નથી. હોસ્પિટલના તમામ દર્દીઓને રેસ્ક્યુ કરી નીચે ઉતારી SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતા.આ બનાવને પગલે […]

ભાવનગરના કોવિડ કેર સેન્ટરમાં લાગી આગઃ દર્દીઓને બચાવાયા

ભાવનગરઃ ગુજરાતમાં વધુ એક કોવિડ હોસ્પિટલમાં આકસ્મિક આગનો બનાવ બન્યો હતો. ભાવનગર શહેરની હોટલમાં ચાલતા કોવિડ વોર્ડમાં મોડી રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો. જનરેશન એક્સ હોટલમાં ચાલતા સમર્પણ કોવિડ કેરમાં આગ ફાટી નીકળી હતી. એકાએક આગ લાગતાં કોરોનાની સારવાર લઈ રહેલા 18 દર્દીઓને રેસ્ક્યૂ કરાયા હતા. તમામ દર્દીઓનું રેસ્ક્યુ કરી અન્ય કોવિડ હોસ્પિટલમાં સારવાર […]

અમદાવાદની સોલા સિવિલમાં અત્યાર સુધીમાં કોવિડના 17 હજારથી વધુ દર્દીઓના કરાઈ સારવાર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયાં છે. અમદાવાદમાં સરકારી હોસ્પિટલો ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ કોવિડના દર્દીઓને સારવાર આપવામાં આવે છે. દરમિયાન અમદાવાદની સોલા સિવિલમાં એક વર્ષના સમયગાળામાં 17 હજાર કરતા વધારે કોવિડ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. હાલ હોસ્પિટલમાં 256 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. […]

માનવતા મરી પરવારી નથીઃ અનેક ટ્રસ્ટો, દાતાઓ કોવિડના દર્દીઓની સેવા માટે મદદ કરી રહ્યા છે

અમદાવાદઃ માનવતા હજુ મરી પરવારી નથી. ઘણા લોકો અને ટ્રસ્ટો દ્વારા કોરોનાથી સંક્રમિત બનેલાઓની સેવા કરી રહ્યા છે. ઓક્સિજન સિલિન્ડર મેળવવા અને રીફિલ કરાવવા માટે દિવસ રાત લાઈનો લાગે છે. ત્યારે આ સમયે રાજકોટની સામાન્ય વ્યક્તિથી લઈને વેપારી, ઉદ્યોગપતિએ પોતાની દિલેરી બતાવી છે. લોકોના જીવ બચાવવા પ્રાણવાયુ માટે રાજકોટના દાતાઓએ રૂ.50 લાખનું દાન આપ્યું છે, […]

ગુજરાતની હોસ્પિટલોમાં 52 હજાર દર્દીઓ ઓક્સિજન સપોર્ટ ઉપરઃ સરકારે કોર્ટમાં રજૂ કર્યું એફિડેવીટ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો થયો છે. રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં કોવિડના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. કોરોનાના તમામ દર્દીઓ પૈકી 52 હજાર દર્દીઓ ઓક્સિજન સપોર્ટ ઉપર સારવાર લઈ રહ્યાં છે. તેમ ગુજરાત સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલી એફિડેવીટમાં જણાવ્યું છે. કેસની હકીકત અનુસાર ગુજરાતમાં કોરોના મહામારીને લઈને હાઈકોર્ટમાં સુઓમોટો પીટિશન થઈ છે. […]

કોરોનાના દર્દીઓને ત્વરિત મદદ મળી શકે તે માટે 80 મે. ટન ઓક્સિજન મુંદરા પોર્ટમાં ઊતરશે

ભુજ  : કોરોનાના કેસ વધતા દેશભરમાં ઓક્સિજનની માગમાં ભારે વધારો થયો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોને ઓક્સિજનની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવામાં વિદેશની અનેક ખાનગી કંપનીઓની મદદ પણ મળી રહી છે, જેના ભાગરૂપે સાઉદી અરેબિયા 80 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન મોકલી રહ્યું છે, જે કચ્છના ખાનગી ક્ષેત્રના સૌથી મોટા […]

રાજકોટમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતો નકલી તબીબી પકડાયો

રાજકોટ : કોરોનાના કપરા કાળમાં પણ લોકો પૈસા કમાવવાનું શોધી લેતા હોય છે.  નકલી તબીબોનો પ્રેક્ટિસ કરીને દર્દીઓના જીવ જોખમમાં મૂકતા હોય છે. ત્યારે રાજકોટમાં ફરીથી એકવાર નકલી તબીબ પકડાયો છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ નકલી તબીબે રેસ્ટોરન્ટમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરી હતી, અને કોરોના દર્દીઓની સારવાર કરતો હતો. પિતા હેમંત રાજાણી અને […]

કેન્દ્ર સરકાર ગુજરાતને કોરોનાના દર્દીઓ માટે 1,63,500 રેમડેસિવિરના ઈન્જેક્શનનો જથ્થો આપશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ પ્રતિદિન 12000થી વધુ નોંધાય રહ્યા છે. હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરતો જથ્થો ન હોવાની બુમરાણ વધી રહી છે. જ્યારે રેમડેસિવિર ઈન્જેક્શન પણ મળતા નહીં હોવી બુમો ઊઠી છે.  જેનાથી દર્દીઓ તેમજ પરિવારજનોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ત્યારે  કેન્દ્ર સરકારે દેશનાં 19 રાજ્યમાં આગામી 10 દિવસમાં  રેમડેસિવિરની વહેંચણી કરવાની જાહેરાત કરી છે, જેમાં […]

રાજયની 11 હોસ્પિટલમાં દર્દીઓ માટે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાશે : નીતિન પટેલ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે. તેથી મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે. હોસ્પિટલમાં કોવિડના દાખલ થતા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી રહી છે. અગાઉ રાજ્યની સરકારી હોસ્પિટલોમાં 150 ટન ઓક્સિજન વપરાતો હતો. તેના બદલે અત્યારે ઓક્સિજન પર રાખવામાં આવતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. અને ઓક્સિજનની માગ વધી છે, એટલે રાજ્યમાં 11 સરકારી […]

અનુભવે આત્માને ઢંઢોળ્યો, ઓક્સિજનમેન બની 900 લોકોના જીવ બચાવ્યાં

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. દેશની મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. બીજી તરફ ઓક્સિજન અને રેમડેસિવર ઈન્જેકશન સહિતની મેડિકલ સુવિધાઓની અછત ઉભી થઈ છે. આ સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારો પ્રયાસો કરી રહી છે.  દરમિયાન બિહારના પટણામાં એક વ્યક્તિ કોરોનાની આ મહામારીમાં પોતાના જીવની ચિંતા કર્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code