1. Home
  2. Tag "research"

શું માઈક્રોપ્લાસ્ટિકના કારણે મગજની ચેતા બ્લોક થઈ જાય છે? રિસર્ચમાં થયો ખુલાસો

એક સંશોધનમાં ખુલાસો થયો છે કે ઉંદરના મગજમાં 5 એમએમ માઇક્રોપ્લાસ્ટિક મળી આવ્યું છે. જેના કારણે ઉંદરોના મગજમાં રક્ત પરિભ્રમણ અવરોધાય છે. જો કે, હાલમાં એ કહી શકાય નહીં કે પ્લાસ્ટિક માણસોમાં સમાન અવરોધ પેદા કરી શકે છે કે નહીં. સંશોધન મુજબ, ફેફસાં, અસ્થિ મજ્જા વગેરે સહિત શરીરના લગભગ દરેક ભાગમાં માઇક્રોપ્લાસ્ટિક્સ મળી આવ્યા છે. […]

સ્માર્ટફોન મગજને ખોખરું કરી શકે છે, વધારે ઉપયોગ કરતા પહેલા જાણો આ સંશોધન

સ્માર્ટફોને ચોક્કસપણે દરેક વ્યક્તિનું જીવન સરળ બનાવ્યું છે, કારણ કે સ્માર્ટફોન (મોબાઇલ ફોન) ના ઉપયોગથી તમે વિશ્વમાં ગમે ત્યાં બેસીને વાત કરી શકો છો. તમે પૈસાની લેવડ-દેવડ કરી શકો છો, શોપિંગ કરી શકો છો, ઓનલાઈન ક્લાસમાં હાજરી આપી શકો છો, આ સ્માર્ટફોન બાળકો માટે પણ ઘણો ઉપયોગી બન્યો છે. પરંતુ બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને […]

શાકાહારીઓને હૃદયરોગનું જોખમ 32% ઓછું, સંશોધનમાં ખુલ્યું

શાકાહારી ખોરાકના ફાયદાઓ જાણીને, આજકાલ ઘણા લોકો નોન-વેજ છોડીને શાકાહારી અથવા વેગન આહારને અનુસરે છે. વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, જોન અબ્રાહમ જેવી મોટી હસ્તીઓ પણ શાકાહારી બની ગઈ છે, કારણ કે શાકાહારી આહારના ઘણા ફાયદા છે. તાજેતરમાં, ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં કરવામાં આવેલા એક સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે માંસાહારી લોકોની તુલનામાં, શાકાહારી લોકોમાં […]

ચા-કોફી પીવાથી ઘટે છે હાર્ટ એટેકનું જોખમ, સંશોધનમાં મોટો ખુલાસો

ચા અને કોફીને લઈને ઘણી માન્યતાઓ પ્રકાશમાં આવે છે, જેમાં ઘણા લોકો માને છે કે ચા અને કોફીના સેવનથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, તેથી તેનું સેવન ન કરવું જોઈએ. પરંતુ તાજેતરના એક રિસર્ચમાં સામે આવ્યું છે કે જો ચા અને કોફીનું નિયમિતપણે યોગ્ય માત્રામાં પીવામાં આવે તો તેની સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે […]

આર્થિક અસમાનતા દુર કરવા માટે વેલ્થ ટેક્સની ભલામણ કરતો રિપોર્ટ, 10 કરોડથી વધુ સંપતિ હોવા પર 2 ટકા ટેક્સની ભલામણ

દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી વચ્ચે વેલ્થ ટેક્સની માંગ ફરી એકવાર જોર પકડી રહી છે. આર્થિક અસમાનતા એટલે કે અમીર અને ગરીબ વચ્ચેના વધતા જતા અંતરને જોતા ઘણા સમયથી અમીર લોકો પર અલગથી ટેક્સ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે. હવે એક સંશોધને ભારતમાં અમીર લોકો પર વેલ્થ ટેક્સ લાદવાની હિમાયત કરીને ચર્ચાને ફરી તેજ […]

હાર્વર્ડ યુનિવર્સિટીનું સંશોધન, હૃદયરોગના હુમલા વખતે તુરંત ચાવી લો આ ગોળી, મૃત્યુનું જોખમ ઘટી જશે

જીવનશૈલીમાં સુધારો કરવોએ હાર્ટ એટેકથી બચવા માટેનું પ્રથમ પગલું છે. પરંતુ હૃદયરોગનો હુમલો થાય ત્યારે..? આવા સમયે હૃદયરોગના ડૉક્ટરો એસ્પિરિન લેવાની ભલામણ કરે છે. એક સંશોધનમાં સામે આવ્યું છે કે જો છાતીમાં દુખાવાના 4 કલાકની અંદર એસ્પિરિન લેવામાં આવે તો હાર્ટ એટેકથી મૃત્યુનું જોખમ ઘટી શકે છે. આ સંશોધન હાર્વર્ડની ટીએચ ચાન સ્કૂલ ઓફ પબ્લિક […]

અદાણી યુનિવર્સિટી, Vjoist એ શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે સહયોગ માટે MOU પર હસ્તાક્ષર કર્યા

દિલ્હી, ફેબ્રુઆરી 22, 2024: શૈક્ષણિક શ્રેષ્ઠતા અને નવીનતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી અદાણી યુનિવર્સિટીએ Vjoist ઇનોવેશન સાથે ભાગીદારી કરી છે અદાણી યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. રવિ પી સિંહ અને ગ્રીસના JOIST ઇનોવેશન પાર્કના સ્થાપક અને સીઇઓ ડૉ. ટેસોસ વાસિલિઆડીસે . અપ્રતિમ શૈક્ષણિક અને સંશોધન તકો પ્રદાન કરવા માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. જોઇસ્ટ ઇનોવેશન પાર્ક, ગ્રીસ […]

કારમાં ઉબડખાબડ રસ્તાઓ પર આરામદાયક પ્રવાસ કરી શકાશે, GTUના પ્રોફેસરે કર્યું સંશોધન

અમદાવાદઃ ગુજરાત  ટેકનોલોજી યુનિવર્સિટી સંચાલિત ‘ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’,મહેસાણાના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ઉત્સવ ડી.ગઢિયાએ પેટન્ટ ક્ષેત્રે એક અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરીને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને ગૌરવ અપાવ્યું છે. કારમાં ઉબડખાબડ રસ્તાઓ પર આરામદાયક મુસાફરી માટે કારના સસ્પેન્સનને ચાલુકારે જ કારનોચાલક એડજેસ્ટ કરી શકે તેવી એવી ટેકનોલોજીની શોધ કરી છે. આ અંગેની વિગત એવી છે કે […]

રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓનું સંશોધન, જુવાર, મકાઈ અને કેળા સહિત 26 નવી જાતો વિક્સાવાઈ

અમદાવાદઃ ગુજરાતમાં મોટાભાગના લોકોનો જીવન નિર્વાહ કૃષિ આધારિત છે. એટલે કે કૃષિથી સૌથી વધુ લોકોને રોજગારી મળે છે, જગતનો તાત ગણાતા ખેડુતોની આવક વધારવા સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગૂણવત્તાલક્ષી અને વધુ ફસલ લઈ શકાય તે માટે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા અવનવા સંશોધનો પણ કરવામાં આવતા હોય છે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ તથા […]

રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય હવે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે બીએસએફના જવાનોને તાલીમ આપશે

અમદાવાદઃ રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય અને બોર્ડર સિક્યુરિટી ફોર્સે ગુજરાતના લાવડ – ગાંધીનગર ખાતેના RRU કેમ્પસમાં આયોજિત એક સત્તાવાર કાર્યક્રમમાં એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ એમઓયુ હેઠળ રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય સુરક્ષાના પાસાઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે બીએસએફના જવાનોને તાલીમ આપવાની છે. આરઆરયુ અને બીએસએફ વચ્ચે થયેલ આ એમઓયુ એ આરઆરયુ-એનએસજી અને આરયુ-દિલ્હી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code