સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં યોજાયો રંગોત્સવ, ભાવિકો ભક્તિના રંગે ભીંજાયા
બોટાદઃ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી હોળી-ધૂળેટીના પર્વે દિવ્ય રંગોત્સવ યોજાયો હતો. હોળી-ધૂળેટીના દિને દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. સંતો-મહંતો અને 50 હજારથી વધુ હરિ ભક્તોએ એકસાથે દાદાના રંગે રંગાયા હતા. 10 પ્રકારના 25 હજાર કિલો રંગ દાદાને અર્પણ કરાયા હતા. આ ઓર્ગેનિક રંગ […]