1. Home
  2. Tag "Salangpur"

સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં યોજાયો રંગોત્સવ, ભાવિકો ભક્તિના રંગે ભીંજાયા

બોટાદઃ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી હોળી-ધૂળેટીના પર્વે  દિવ્ય રંગોત્સવ યોજાયો હતો. હોળી-ધૂળેટીના દિને દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. સંતો-મહંતો અને 50 હજારથી વધુ હરિ ભક્તોએ એકસાથે દાદાના રંગે રંગાયા હતા. 10 પ્રકારના 25 હજાર કિલો રંગ દાદાને અર્પણ કરાયા હતા. આ ઓર્ગેનિક રંગ […]

સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં મકરસંક્રાંતિના દિને 108 ગાયોનું પૂજન કરાશે

બોટાદઃ  જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજીના મંદિરમાં રોજબરોજ અનેક ભાવિકો દાદાના દર્શન માટે આવી રહ્યા છે. મંદિર દ્વારા કષ્ટભંજન હનુમાનજીને વાર-તહેવારે અવનવો શણગાર કરવામાં આવતો હોય છે. અને ભક્તો દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવતા હોય છે. હવે 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ પર્વના દિવસ ગાય પૂજન ઉત્સવ ઊજવાશે. જેમાં સવારે 9 થી 11 ના […]

સાળંગપુરમાં સુપ્રસિદ્ધ હનુમાનજીના મંદિરમાં દાદાને હિમાલયની ઝાંખી કરાવતો શણગાર કરાયો

બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે  2023ના વર્ષના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ હતુ. ભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સાળંગપુર હનુમાનજી મંદિરમાં દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. આજે 2023ના નવા વર્ષનો પ્રથમ દિવસ અને રવિવાર સાથે ધનુર્માસનો પવિત્ર દિવસ હોવાથી ખૂબ મોટી […]

સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં, ટ્રાફિક જામના દ્રશ્યો

બોટાદઃ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કારતક મહિનાનો પહેલો શનિવાર અને રવિવાર હોવાથી મોટી સંખ્યમાં યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. નવા વર્ષે સાળંગપુરના સ્થાનિક લોકો તેમજ   ગ્રામ્ય વિસ્તારના લોકોએ લાભ પાંચમ તેમજ નવા વર્ષના પ્રથમ શનિવારે દાદાના દર્શન કરીને  પોતાના વેપાર ધંધાનો પ્રારંભ કર્યો હતો.  બીજી તરફ પ્રથમ શનિવારે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભકતોની […]

સાળંગપુરમાં 54 ફૂટ ઊંચી હનુમાનજી દાદાની મૂર્તિનું મુખ પહોંચતા વાજતે-ગાજતે ભવ્ય સ્વાગત કરાયું

બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત 54 ફૂટ ઊંચી હનુમાનજી દાદાની મૂર્તિ સાળંગપુરમાં સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યુ છે. આ મૂર્તિનું મુખ સારંગપુર ખાતે લઇ જવામાં આવતા વચ્ચે  સ્વામિનારાયણ મંદિર, કુંડળધામ ખાતે જ્ઞાનજીવનદાસજી સ્વામીના હસ્તે દાદાના મુખનું પૂજન કરાયું હતું. આ પ્રસંગે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેનપૂ. દેવપ્રકાશ સ્વામી, તથા ટ્રસ્ટી સભ્યો તેમજ […]

સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે મારુતી યજ્ઞ અને 176 મો પાટોત્સવ યોજાશે

બોટાદઃ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આજે શુક્રવારે  176 મો પાટોત્સવ યોજાશે. જેમાં મારુતિ યજ્ઞ, પૂજન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે  મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડશે. ગુરૂવાર સાંજથી મોટાપ્રમાણમાં દાદાના ભક્તો સાળંગપુર પહોંચી ગયા છે. અને આજે વહેલી સવારથી ઉત્સવનો પ્રારંભ થશે. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરના દર્શનાર્થે ખૂબ જ […]

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ મંદિરમાં રંગોત્સવ ઊજવાયો, રંગનો બ્લાસ્ટ કરાતાં આકાશ રંગબેરંગી થયું

બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજનદેવ મંદિરમાં છેલ્લાં 35 વર્ષ બાદ પહેલીવાર ધુળેટીની અતિભવ્ય ઊજવણી કરવામાં આવી હતી . દાદાને અર્પણ કરાયેલાં 2 હજાર કિલોથી વધુ રંગ સંતો દ્વારા હરિભક્તો પર ઉડાડવામાં આવ્યો હતો. આ રંગોત્સવ માટે હનુમાનજી મંદિર દ્વારા વિશેષ તૈયારી પણ કરવામાં આવી હતી. આ માટે લોખંડની પાઇપમાં 3 કિલોથી વધુ રંગ ભરીને તેને […]

સાળંગપુરમાં કષ્ટભંજનદેવને કેસુડાના ફુલોનો દિવ્ય શણગાર, ધાણી-ખજૂર દાળીયાનો અન્નકૂટ ધરાવાયો

બોટાદઃ  સુપ્રસિદ્ધ યાત્રાધામ  સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજીના મંદિરમાં દાદાને આજે શનિવાર નિમિત્તે કેસુડાના ફુલનો શણગાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત દાદાને ધાણી-ખજૂર દાળીયાનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો. તેમજ મંદિરના પટાંગણમાં મારૂતિયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે શનિવાર હોવાથી અનેક ભાવિકો દાદાના દર્શન કરવા માટે આવ્યા હતા. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ તાબાના સાળંગપુરમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ […]

સાળંગપુરમાં કષ્ટભંજનદેવને સૂવર્ણ વાઘાનો દિવ્ય શણગાર, ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યાં

બોટાદઃ  વિશ્વ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શને રોજબરોજ મોટા સંખ્યામાં ભાવિકો આવે છે. હનુમાનજી દાદાને  કાર્તિક પૂર્ણિમાં નિમિતે શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાનદાદાને સુવર્ણ વાઘાનો દિવ્ય શણગાર તેમજ સિંહાસનને ફુલોનો શણગાર કરવામાં આવ્યો હતો. તથા સાંજે ષોડશોપચાર પૂજન, મારૂતિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં અનેક શ્રદ્ધાળુઓએ ભાગ લઈને […]

સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજીને આજે શનિવારે ડ્રાયફ્રુટનો અલૌકિક શણગાર કરાયો

બોટાદઃ  સુપ્રસિદ્ધ યાત્રાધામ  અને આસ્થાનું પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પવિત્ર આજે શનિવારના રોજ ડ્રાયફ્રુટનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. કષ્ટભંજન બનુમાનજી દાદાના દર્શન કરવા આજે ભાવિકો ઉમટી પડ્યા હતા.   સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા ખાતે ત્રણ દિવસ દરમિયાન જુદા-જુદા ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે, મહંત વિષ્ણુપ્રકાશદાસજી(અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code