ઈરાની પ્રતિનિધિમંડળ પર હુમલાનું જોખમ: વિમાન બદલીને ગુપ્ત રીતે તેહરાન પહોંચ્યા વિદેશ મંત્રી
તહેરાન, 15 એપ્રિલ 2026: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા સાથેની શાંતિ વાર્તા અનિર્ણિત રહ્યા બાદ પરત ફરી રહેલા ઈરાની પ્રતિનિધિમંડળને ગંભીર સુરક્ષા જોખમોનો સામનો કરવો પડ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ઈરાની રાજકીય વિશ્લેષક મોહમ્મદ મરાંદીના જણાવ્યા અનુસાર, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને સંસદ અધ્યક્ષ મોહમ્મદ-બાકેર ગાલિબાફ સહિતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે હુમલાના ડરથી અધવચ્ચે જ […]


