ઔરંગાબાદમાં મુઘલ શાસક ઔરંગઝેબની કબર દૂર કરવાની શિવસેનાના ધારાસભ્યએ કરી માંગણી
મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિંદે જૂથના ધારાસભ્ય સંજય શિરસાટ અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. દરમિયાન તેમણે કહ્યું હતું કે તેઓ ઔરંગાબાદમાંથી મુઘલ શાસક ઔરંગઝેબની કબર હટાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખશે. શિવસેનાના ધારાસભ્ય સંજય શિરસાટના નિવેદનને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. તેમણે ઔરંગાબાદ શહેરનું નામ બદલીને છત્રપતિ શંભાજીનગર રાખવા સામે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન […]