1. Home
  2. Tag "State Government"

ગુજરાતઃ 5334 ગામોમાં 10712 પશુ સારવાર કેમ્પ યોજાયા, 5.40 લાખથી વધુ પશુઓને સારવાર અપાઈ

ગાંધીનગરઃ ગ્રામ્ય અર્થતંત્રને વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવવા માટે પશુપાલન વ્યવસાય એક મહત્વનું પરિબળ પૂરવાર થઇ રહ્યો છે. આ વ્યવસાયને ટકાઉ અને વધુ નફાકારક બનાવવા પશુઓની પ્રજનન ક્ષમતા જાળવી રાખવી અત્યંત આવશ્યક છે. કારણ કે, પશુઓના ગર્ભધારણમાં ખામી કે વિલંબ થતા તેની સીધી અસર દૂધ ઉત્પાદન પર થાય છે. રાજ્યના પશુપાલકોને આ આર્થિક નુકશાનથી બચાવવા […]

કર્ણાટક હાઈકોર્ટે ‘વ્હીલિંગ’ પર તીવ્ર નારાજગી વ્યક્ત કરી, રાજ્ય સરકારને કડક કાયદા બનાવવાની માંગ કરી

કર્ણાટક હાઈકોર્ટે રસ્તાઓ પર ‘વ્હીલિંગ’ની વધતી જતી ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને તેને રોકવા માટે કડક કાયદા બનાવવાનું આહ્વાન કર્યું છે. ‘વ્હીલિંગ’, એટલે કે ટુ-વ્હીલરના પાછળના વ્હીલ પર વધુ ઝડપે સ્ટંટ કરવા, માત્ર ડ્રાઇવર અને પાછળ બેઠેલા વ્યક્તિના જીવનને જોખમમાં મૂકે છે, પરંતુ સામાન્ય લોકોની સલામતી માટે પણ એક મોટો ખતરો બની […]

રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી રવિ પાકની ખરીદી કરશે

ખેડુતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટિંગ સીઝન (RMS) ૨૦૨૪-૨૫ માં રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, ઉનાળુ બાજરી, મકાઈ અને જુવારની ખરીદી ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લી. ગાંધીનગર મારફતે કરવામા આવશે. ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવ પ્રમાણે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી રવિ પાકની ખરીદી કરશે. ઘઉં […]

ચક્રવાત ‘મિચોંગ’ અને વરસાદને કારણે તમિલનાડુમાં ભારે નુકસાન,રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી રૂ. 5000 કરોડની વચગાળાની સહાયની માંગ કરી

ચેન્નાઈ:  તમિલનાડુ સરકારે ચેન્નાઈ અને રાજ્યના કેટલાક અન્ય જિલ્લાઓમાં અવિરત વરસાદથી નુકસાન પામેલા લોકોને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પુનઃનિર્માણ અને રાહત આપવા માટે રૂ. 5,000 કરોડની વચગાળાની કેન્દ્રીય સહાયની માંગ કરી છે. આ મુદ્દો લોકસભામાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) સાંસદ અને સંસદીય દળના નેતા ટીઆર બાલુએ ઉઠાવ્યો હતો અને રાજ્યસભામાં તિરુચી શિવાએ મદદ માંગી હતી.આ સિવાય ડીએમકે સાંસદ […]

ટેસ્લાને કર્ણાટકમાં રોકાણ કરવા માટે રાજ્ય સરકારે આમંત્રણ આપ્યું

બેંગ્લોરઃ કર્ણાટક સરકારે વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લા ઇન્કને રાજ્યમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે. રાજ્ય સરકારે ટેસ્લાને કહ્યું કે, ભારતમાં કંપનીના વિસ્તરણ માટે કર્ણાટક એક આદર્શ સ્થળ છે અને અહીંના સત્તાવાળાઓ કંપની અને તેના સાહસોને ટેકો આપવા અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા તૈયાર છે. ટેસ્લાએ આ સપ્તાહની શરૂઆતમાં કહ્યું હતું કે, […]

સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગોની સમસ્યાઓના નિવારણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

• ગોરવા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના લોગાનું અનાવરણ • દેશ આત્મનિર્ભરતા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યો છેઃ સીએમ અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોરવા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના લોગોનું અનાવરણ કર્યું છે. આ તકે તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે આવા ઉદ્યોગોના વિકાસ માટે અનેક પ્રોત્સાહક લીધા […]

રાજ્ય સરકાર ઓછી કોસ્ટ અને મેરીટ આધારીત વીજળી ખરીદી કરે છે : ઋષિકેશ પટેલ

અમદાવાદઃ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા ગુજરાત સરકાર રાજ્યમાં 24 કલાક અને ખેડૂતોને 8 કલાક એકધારી વીજળી પૂરી પાડી રહી છે. વર્ષ 2006માં તત્કાલિન કેન્દ્ર સરકારે “નેશનલ ટેરીફ પોલીસી “ જાહેર કરી હતી. જેમાં વીજળીની જરૂરિયાત પૂરી કરવા ખાનગી વીજ ઉત્પાદક કંપનીઓ પાસેથી ટેન્ડર પ્રક્રિયા દ્વારા વીજ […]

રાજ્ય સરકાર ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડાની ખરીદી શરુ કરશે

અમદાવાદઃ ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય વળતર માટે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. આગામી તા. 10મી માર્ચથી તુવેર, ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જે માટે મોટી સંખ્યામાં ખેડૂતોએ નોંધણી કરાવી છે. બીજી તરફ સરકારે પણ ખરીદી માટે કેન્દ્રો નક્કી કર્યાં છે. કૃષિ અને ખેડૂત કલ્‍યાણ મંત્રી  રાઘવજીભાઈ પટેલના […]

રાજ્ય સરકારે ત્રણ વર્ષમાં કુદરતી આફતથી થયેલા નુકશાન માટે 59.81 ખેડુતોને સહાય કરી: કૃષિમંત્રી

ગાંધીનગરઃ ગુજરાતમાં આ વર્ષે કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિને કારણે ખેતીપાકને સારૂએવું નુકશાન થયું છે. જેમાં બનાસકાંઠા, જામનગર જિલ્લા સહિત રાજ્યમાં જે જે જિલ્લામાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે તેના સરવેની કામગીરી ચાલુ છે. સતત વરસાદ ચાલુ હોવાના કારણે તથા ખેડૂતોનાં ખેતરોમાં જ્યાં જ્યાં પાણી ભરાયેલાં છે તેવા વિસ્તારોના સરવે બાકી છે. જે પૂર્ણ થયેથી ખેડૂતોના પાકને […]

રાજ્ય સરકારે જુની પેન્શન યોજનાની મૂળ માગ ન સ્વીકારતા કર્મચારીઓમાં અસંતોષ

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે જ સરકારી કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે આંદોલન શરૂ કરતા સરકારે કર્મચારીઓના પ્રશ્ને સમાધાન માટે પાંચ મંત્રીઓની કમિટી બનાવી હતી. અને કર્મચારી મંડળો સાથે ચર્ચા બાદ સરકારે શુક્રવારે સાતમા પગાર પંચના બાકી હપતા તેમજ 1લી એપ્રિલ 2005 પહેલા ભરતી થયેલા કર્માચારીઓના GPF અને જૂની પેન્શન યોજનામાં સમાવાનો નિર્ણય કર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code