1. Home
  2. Tag "Supreme Court"

તમે એટલા પણ ભોળા નથી, બાબા રામદેવને ફરીથી સુપ્રીમ કોર્ટે આપ્યો ઠપકો

નવી દિલ્હી: યોગગુરુ બાબા રામદેવને સુપ્રીમ કોર્ટે ફરીથી ઠપકો આપ્યો છે. આ વખતે સહયોગી બાલકૃષ્ણ સાથે ફરીથી માફી માંગવા માટે ગયેલા પતંજલિના પ્રમુખના એટીટ્યૂડ પર અદાલતે સવાલ ઉઠાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ક્હ્યું છે કે તમે ત્રણ વખત નિર્દેશોનું ઉલ્લંઘન કર્યું છે. રામદેવ અને બાળકૃષ્ણનું કહેવું છે કે તેઓ જાહેરમાં માફી માંગવા માટે તૈયાર છે. મંગળવારે […]

ન્યાયતંત્રને નબળું બનાવવાના પ્રયાસો અંગે નિવૃત્ત ન્યાયમૂર્તિઓએ સીજેઆઈને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના 21 નિવૃત્ત ન્યાયાધીશોએ “ચોક્કસ જૂથો દ્વારા ઇરાદાપૂર્વકના દબાણ, ખોટી માહિતી અને જાહેર અપમાન દ્વારા ન્યાયતંત્રને નબળા કરવાના વધતા પ્રયાસો”ના આક્ષેપ સાથે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ને એક પત્ર લખ્યો છે, તેમણે કહ્યું કે આ ટીકાકારો સંકુચિત રાજકીય હિતો અને વ્યક્તિગત લાભોથી પ્રેરિત છે અને ન્યાયિક પ્રણાલીમાં લોકોના વિશ્વાસને ઠેસ […]

રાજ્યો-કેન્દ્ર વચ્ચે મુકાબલો થવો જોઈએ નહીં, કર્ણાટક સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટની ટીપ્પણી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સોમવારે કર્ણાટક સરકારની અરજી પર સુનાવણી કરતા કહ્યું છે કે કેન્દ્ર અને રાજ્યોની વચ્ચે મુકાબલો થવો જોઈએ નહીં. હકીકતમાં કર્ણાટક સરકારે દુકાળ પ્રબંધન માટે રાષ્ટ્રીય આફત રિસ્પોન્સ ફંડથી આર્થિક મદદ આપવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મેહતાની ખંડપીઠે કર્ણાટક સરકારની આ […]

ક્લાઈમેટ ચેન્જથી બંધારણમાં મળેલો સમાનતાનો અધિકાર અસરગ્રસ્ત થઈ રહ્યો છે: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે પોતાની મહત્વની ટીપ્પણીમાં કહ્યું છે કે જળવાયુ પરિવર્તન બંધારણમાં મળેલા સમાનતાના અધિકારને અસરગ્રસ્ત કરી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે તેની સાથે જ રાજસ્થાન અને ગુજરાતમાં મળનારી ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડના સંરક્ષણ અને અક્ષય ઊર્જા મમાળખા સંદર્ભે એક સમિતિની રચનાનો પણ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એપ્રિલ, 2021માં પોતાના એક આદેશનો પણ ઉલ્લેખ […]

કેજરીવાલ સરકારને મોટી રાહત, 3 દિવસમાં બીજીવાર સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા ગુડ ન્યૂઝ

નવી દિલ્હી: દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ફરી એકવાર ગુડ ન્યૂઝ મળ્યા છે. સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય સચિવ (નાણાં)થી જળાપૂર્તિ સંબંધિત એકમને ચુકવણી માટે જરૂરી ધનરાશિ જાહેર કરવાનું જણાવ્યું છે. સૌથી મોટી અદાલતે દિલ્હી જળ બોર્ડને નોટિસ પણ જાહેર કરી છે. આ મામલાની આગામી સુનાવણી હવે 10 એપ્રિલે થશે. કેજરીવાલ સરકારે આ કહેતા સુપ્રીમ […]

ચંદીગઢ મેયર ચૂંટણીના અધિકારી રહેલા અનિલ મસીહે હવે સુપ્રીમ કોર્ટની માફી માંગી લીધી છે, ગડબડનો હતો આરોપ

નવી દિલ્હી: કેન્દ્રશાસિત ચંદીગઢના મેયરની ચૂંટણીમાં અધિકારી રહેલા અનિલ મસીહે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માંગી લીધી છે. તેમના પર આરોપ હતો કે મેયર ચૂંટણી દરમિયાન તેમણે બેલેટ પેપર્સ સાથે છેડછાડ કરી દીધી અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને હારેલા ઘોષિત કર્યા હતા. તેમના આ નિર્ણયને આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, તેના પછી કોર્ટે ચુકાદો […]

યુપીની 16000 મદરસાઓ પરથી ટળી ગયું સંકટ, સુપ્રીમ કોર્ટે લગાવી HCના ચુકાદા પર રોક

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશ મદરસા એજ્યુકેશન એક્ટને રદ્દ કરનારા અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે મદરસા સંચાલકો તરફથી દાખલ અરજી પર સુનાવણી કરતા આ ચુકાદો આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે મદરસા એક્ટને એમ કહીને નકાર્યો હતો કે તે ગેરબંધારણીય અને સેક્યુલારિઝ્મની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની આગેવાનીવાળી ત્રણ […]

બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માંગી, પતંજલિની ભ્રામક જાહેરાતો સાથે જોડાયેલો છે મામલો

નવી દિલ્હી: પતંજલિની ભ્રામક જાહેરાતોના પ્રકાશનના મામલામાં યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના પ્રબંધ નિદેશક આચાર્ય બાલકૃષ્ણે સુપ્રીમ કોર્ટમાં માફી માંગી છે. બંનેએ કોર્ટ સમક્ષ બિનશરતી માફી માંગી છે. મામલાને લઈને તાજેતરમાં કોર્ટે બંનેને તલબ કર્યા હતા. જસ્ટિસ હિમા કોહલીની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું હતું કે આયુર્વેદિક કંપની પતંજલિએ ભ્રામક વિજ્ઞાપનોના સતત પ્રકાશન પર જાહેર […]

એક મોટી ભૂલને કારણે ઉદયનિધિ સ્ટાલિનને સુપ્રીમ કોર્ટમાંથી લાગ્યો આંચકો, વાંચો શું છે મામલો?

નવી દિલ્હી: સનાતન ધર્મ પર ટીપ્પણીના મામલામાં ઉદયનિધિ સ્ટાલિનને આજે ફરીથી એક આંચકો લાગ્યો છે. સ્ટાલિનને સુપ્રીમ કોર્ટમાં એક ભૂલ ભારે પડી છે. સુપ્રીમ કોર્ટે સોમવારે તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને પુછયું કે તેઓ પોતાની સનાતન ધર્મને લઈને કરવામાં આવેલી ટીપ્પણી પર એફઆઈઆરને ક્લબ કરવાની પોતાની અરજીના રિટ ક્ષેત્રાધિકાર હેઠળ સુપ્રીમ કોર્ટમાં કેવી રીતે જઈ શકે […]

જ્ઞાનવાપી સંકુલના વ્યાસ ભોંયરા હિન્દુઓ પુજા કરી શકશે, મસ્જિદ સમિતિને સુપ્રીમમાંથી ના મળી રાહત

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના વ્યાસ ભોંયરામાં પૂજા વિરુદ્ધ મસ્જિદ સમિતિની અરજી પર સુનાવણી કરી હતી. મસ્જિદ પક્ષના વકીલ હુઝૈફા અહમદીએ જણાવ્યું હતું કે નીચલી અદાલતે આદેશને લાગુ કરવા માટે એક સપ્તાહનો સમય આપ્યો હતો, પરંતુ સરકારે તેનો તરત જ અમલ કર્યો હતો. અમને હાઈકોર્ટમાંથી પણ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે આને તાત્કાલિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code