1. Home
  2. Tag "Target killing"

કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની ઘટનાઓ વધતા કેન્દ્ર સરકાર એકશનમાં, અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના બનાવોમાં વધારો થતા કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી છે. દરમિયાન આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની ઘટનાઓને લઈને મહત્વના નિર્દેશ કર્યા હોવાનું જાણવા મળે છે. દિલ્હીમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, NSA […]

જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની વધુ એક ઘટનાઃ બેંક મેનેજરની હત્યા કરાઈ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની ઘટનામાં વધારો થયો છે. દરમિયાન કુલગામમાં ફરી એકવાર ટાર્ગેટ કિલીંગની ઘટના સામે આવી છે. આતંકવાદીઓએ બેંક મેનેજરની ગોળીમારીને હત્યા કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં સાંબા ખાતે ટીચનર રજની બાલાની આતંકવાદીઓએ ગોળીમારીને હત્યા કરી હતી. આ ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં ટાર્ગેટ કીલીંગની વધુ એક ઘટના સામે […]

જમ્મુ-કાશ્મીરમાં એક મહિનામાં ટાર્ગેટ કિલીંગની સાત ઘટના, સ્થાનિકોમાં ભય

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ટાર્ગેટ કિલીંગની ઘટનાઓમાં વધારો થયો છે. હાઈબ્રિડ આતંકવાદીઓ કાશ્મીરી પંડિત, સ્થાનિકો અને લઘુમતિ કોમના લોકોને નિશાન બની રહ્યાં છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ હાઈબ્રિડ આતંકવાદીઓ સામે કાર્યવાહી વધારે તેજ કરી છે. દરમિયાન એક મહિનામાં આતંકવાદીઓએ ટાર્ગેટ કિલીંગની સાત ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે ચાલુ વર્ષે અત્યાર […]

જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની વધુ એક ઘટના, બડગામમાં ટીવી કલાકારની ગોળી મારી હત્યા કરાઈ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ટાર્ગેટ કિલિંગની ઘટનાઓમાં વધારો થયો છે. રાહુલ ભટ્ટ નામના કાશ્મીરી પંડિતની આતંકવાદીઓએ ઓફિસમાં ઘુસીને ગોળીમારીને હત્યા કરવાની ઘટના હજુ ભુલાઈ નથી, ત્યારે હવે આતંકવાદીઓએ ટીવી અભિનેત્રી ઉપર ગોળીબાર કરીને તેની હત્યા કરી હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં તેનો 10 વર્ષનો ભત્રીજો પણ ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળે […]

કાશ્મીરમાં બલિના બકરાની જેમ અમારો ઉપયોગ ના થવો જોઈએઃ કાશ્મીરી પંડિતો

કાશ્મીરમાં ફરી એકવાર નોનકાશ્મીરી અને પંડિતોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ રાહુલ ભટ્ટ નામના પંડિતની ગોળીમારીને હત્યા કરવાના બનાવને પગલે પંડિતોમાં રોષ ફેલાયો છે. તેમજ કાશ્મીરી પંડિતો ન્યાયની માંગણી કરી રહ્યાં છે. દિલ્હીના જંતર-મંતર પર કાશ્મીરી પંડિતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કહ્યું હતું કે, બલિના બકરાના રૂપમાં અમારો ઉપયોગ ના થવો […]

જમ્મુ-કાશ્મીરમાં વધુ એક ટાર્ગેટકિલિંગની ઘટનાઃ કાશ્મીરી પંડિતની ગોળીમારી કરાઈ હત્યા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં બિનકાશ્મીરીઓને નિશાન બનાવીને હત્યા કરવાની ઘટનામાં વધારો થયો છે. બડગામ જિલ્લામાં સરકારી કચેરીમાં ઘુસી ગયેલા આતંકવાદીએ સરકારી કર્મચારી ઉપર ગોળીબાર કર્યો હતો. જેમાં સરકારી કર્મચારી ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં તેમનું મોત થયું હતું. ટાર્ગેટ કિલિંગની ઘટનાને પગલે બિનકાશ્મીરીઓમાં ભય ફેલાયો છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદી […]

કાશ્મીરઃ ટાર્ગેટ કિલીંગની ઘટનાને પગલે એક મહિનામાં 115 કાશ્મીરી પંડિતોની હીજરત

દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક નાગરિકો ઉપર હુમલા અને કાશ્મીરી પંડિતોને ફરીથી નિશાન બનાવવાની ઘટનાને પગલે 115 કાશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડ્યું છે. આ તમામ કાશ્મીરી પંડિતો પોતાના પરિવાર સાથે જમ્મુ ચાલ્યાં ગયા છે. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલા એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, કાશ્મીરી પંડિત કાશ્મીર છોડીને જમ્મુ ચાલ્યાં ગયા છે. આ તમામ સરકારી […]

કાશ્મીર-કાશ્મીરઃ ટાર્ગેટ કિલિંગની ઘટનામાં સંડોવાયેલા તમામ આતંકવાદીઓનો સફાયો !

દિલ્હીઃ છેલ્લા કેટલાક મહિનાઓથી જમ્મુ અને કાશ્મીરમાં નાગરિકોની હત્યાના બનાવમાં વધારો થયો હતો. જો કે, આવા ગુનામાં માં સામેલ લગભગ તમામ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હોવાનું જાણવા છે. સશસ્ત્ર દળો હવે ગુપ્ત માહિતી આધારિત “સર્જિકલ ઓપરેશન્સ” પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જેમાં આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે નાની ટીમો સામેલ છે. સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું […]

જમ્મુ-કાશ્મીરઃ ટાર્ગેટ કિલિંગના બનાવો વધતા શ્રીનગરમાં ડ્રોનથી મોનિટરિંગ શરૂ કરાયું

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ગણતરીના કલાકોમાં જ આતંકવાદીઓ દ્વારા બે નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. જેમાં એક પોલીસ કર્મચારીનો પણ સમાવેશ થાય છે. ટાર્ગેટ કિલિંગના બનાવોને અટકાવવા માટે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ વધારાના 7500 જેટલા જવાનોને તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે. જેથી આ જવાનો આતંકવાદીઓ સામેના ઓપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવશે. કેન્દ્ર સરકાર દ્વારા સીઆરપીએફની વધારાની […]

જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગને અટકાવવા સુરક્ષા એજન્સીઓ એલર્ટઃ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 17 આતંકીઓ મરાયાં ઠાર

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના બનાવોમાં વધારો થયો છે. 24 કલાક દરમિયાન એક પોલીસ કર્મચારી સહિત બે વ્યક્તિઓની ગોળીમારીને હત્યા કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં 27 લોકોના મોત થયાં હતા. કાશ્મીરમાં આતંકવાદીઓ સામે આકરા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અલગાવવાદીઓ સાથે જોડાયેલા 900થી વધારે શંકાસ્પદ લોકોની અટકાયત કરાઈ છે. બીજી તરફ પોલીસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code