1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની વધુ એક ઘટના, કાશ્મીરી પંડિતની ગોળીમારી હત્યા કરાઈ
જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની વધુ એક ઘટના, કાશ્મીરી પંડિતની ગોળીમારી હત્યા કરાઈ

જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની વધુ એક ઘટના, કાશ્મીરી પંડિતની ગોળીમારી હત્યા કરાઈ

0
Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની ઘટનાઓમાં વધારો થયો છે. આતંકવાદીઓ હવે કાશ્મીરી પંડિતો અને બિનકાશ્મીરીઓને નિશાન બનાવતા હોવાથી સ્થાનિક પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. દરમિયાન ટાર્ગેટ કિલીંગની ઘટનામાં વધુ એક કાશ્મીરી પંડિતની હત્યા કરવાની ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શોપિયા જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આતંકીએ ગોળી મારતા કાશ્મીરી પંડિત ઘાયલ થયા હતા જે બાદ તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જો કે હજુ સુધી કોઈ સંગઠને તેની જવાબદારી સ્વિકારી નથી. એટલા માટે પોલીસને પણ આ બાબતે જાણકારી આપી નથી કે ક્યા સંગઠને ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો છે.

જમ્મુ કાશ્મીર પોલીસે બતાવ્યું કે આતંકવાદીઓ એક અલ્પસંખ્યક નાગરીકની ગોળી મારીને હત્યા કરી છે. આ ઘટના એવા સમયે બની જ્યારે તે શોપિયાંના ચૌધરી ગુંડમાં બગીચાનું કામ કરવા માટે જઈ રહ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેણે દમ તોડી નાંખ્યો હતો. પોલીસે શોપિયાંના તે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code