- ઘન તેરસની પૂજા કરવાની રીત
- પૂજાનું છે ખાસ મહત્વ
દિવાળીનો પર્વ આવી રહ્યો છે ત્યારે ઘન તેરસના દિવસથી જ આ 5 દિવસના તહેવારનો આરંભ થાય છે. આ દિવસે ખાસ રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે ,સોના ચાંદી અને રુપિયા પૈસાની પણ પૂજા કરવામાં આવે છે. ધનતેરસની પૂજા પદ્ધતિ પણ ખાસ હોય છે.
દિવાળી પહેલા ધનતેરસના તહેવારનું પણ ખૂબ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જ્યારે ભગવાન ધન્વંતરિ અમૃતના કલશ સાથે પ્રગટ થયા હતા, ત્યારે તે તારીખ ધનત્રયોદશી તરીકે ઓળખાય છે અને તે ધનતેરસનો દિવસ છે. આ દિવસે વાસણો, સોનું અને ચાંદી ખરીદવું ખૂબ જ શુભ છે. ધનતેરસના દિવસે ધનવતી દેવતાઓ, દેવી લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે.
આ રીતે કરો ઘનતેરસની પૂજા
સૌપ્રથમ ભગવાન ધનવંતરી, માતા લક્ષ્મી અને કુબેરની મૂર્તિ અથવા ફોટો ચોકી પર સ્થાપિત કરો,
ત્યારબાદ દીવો, ધૂપ, અગરબત્તી પ્રગટાવો, ફૂલ અર્પણ કરો અને તમે જે પણ વાસણો અથવા આભૂષણો ખરીદ્યા છે તે તેમની આગળ મૂકી દો
. લક્ષ્મી સૂત, લક્ષ્મી ચાલીસા અને કુબેર યંત્રનો પાઠ કરો અને થોડી મીઠાઈઓ ચઢાવો.
ધાર્મિક માન્યતાઓ અનુસાર ધનતેરસના દિવસે જો શુભ મુહૂર્તમાં અને યોગ્ય રીતે પૂજા કરવામાં આવે તો દેવી લક્ષ્મીની કૃપા વર્ષભર બની રહે છે.
આ સહીત પૂજાતમે ઘરના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો અને મુખ્ય દ્વાર પર પણ દીવો કરો.
આમ, ધનતેરસનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદી કરવાથી ક્યારેય પૈસા અને અનાજની અછત નથી આવતી.
ધનતેરસની પૂજાનો શુભ સમય સાંજે 06.16 થી 8.11 સુધીનો છે. શુભ મુહૂર્તમાં મા લક્ષ્મી, ધન્વંતરી દેવ અને કુબેરની પૂજા કરો.
આ સિવાય બપોર પછી ખરીદી કરવાનું વિશેષ મહત્વ છે.આ દિવસે તમે સોનું, ચાંદીના વાસણો વગેરે ખરીદી શકો છો.