1. Home
  2. Tag "TEACHER"

મહારાષ્ટ્રમાં શિક્ષકે બે બાળકો સાથે કાર નદીમાં હંકારી આત્મહત્યા કરી, ત્રણેયનાં મોત

મુંબઈ, 17 જુલાઈ 2026: મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં એક શાળાના શિક્ષકે કથિત રીતે પોતાની કાર ગોદાવરી નદીમાં ઉતારી દીધી હતી. આ ઘટનામાં શિક્ષક અને તેમના બે બાળકો ડૂબી ગયા હતા. પોલીસને આ આત્મહત્યાનો મામલો હોવાની શંકા છે. પોલીસના જણાવ્યા અનુસાર, હિમાયતનગરના પોટા બુદ્રુક સ્થિત જિલ્લા પરિષદ શાળાના શિક્ષક સુનીલ મોરે (42) સવારે લગભગ 8 વાગ્યે તેમની […]

વાયરલ ઓડિયો બાદ શિક્ષિકાએ વીડિયો જારી કરીને સ્પષ્ટતા કરી

હવે કાર્યવાહી કોના સામે થશે? ઉઠ્યા નવા સવાલો હેમંત પરમાર, અરવલ્લી અરવલ્લી જિલ્લામાં વાયરલ થયેલા શિક્ષિકા અને શિક્ષકના કથિત વાર્તાલાપના વીડિયોએ ભારે ચર્ચા જગાવી હતી. હવે આ સમગ્ર મામલામાં એક નવો વળાંક આવ્યો છે. વાયરલ ઓડિયોમાં સંકળાયેલા હોવાનું કહેવાતા શિક્ષિકાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમણે અનેક મહત્વપૂર્ણ સ્પષ્ટતાઓ આપી છે. શિક્ષિકાના જણાવ્યા […]

અરવલ્લીના વાયરલ ઓડિયોમાં કોણ છે સાચું, કોણ છે સંડોવાયેલું? લાખોની લેવડદેવડની ચર્ચાએ ઉઠાવ્યા અનેક સવાલો

હેમંત પરમાર, અરવલ્લી અરવલ્લી જિલ્લામાં એક શિક્ષિકા અને એક શિક્ષક વચ્ચે થયેલા કથિત વાર્તાલાપનો વીડિયો અને ઓડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ થયેલા સંવાદમાં જિલ્લાના શિક્ષણ તંત્ર સાથે જોડાયેલા કેટલાક નામોનો ઉલ્લેખ થતાં સમગ્ર શિક્ષણ જગતમાં ચર્ચાઓનો માહોલ સર્જાયો છે. વાયરલ વાર્તાલાપમાં અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ વરુણ પટેલનું નામ લેવામાં […]

નીટ-યુજી 2026 પેપર લીક કેસમાં ડૉક્ટર સહિત બેની CBI એ ધરપકડ કરી

નવી દિલ્હી, 27 મે 2026: સીબીઆઈએ નીટ-યુજી 2026 પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે, જેની સાથે આ કેસમાં ધરપકડ કરાયેલ વ્યક્તિઓની કુલ સંખ્યા 13 થઈ ગઈ છે. નીટ યુજી 2026 પ્રશ્નપત્ર લીક કેસમાં ડૉ. મનોજ શિરુરે નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે લાતુરના ડૉક્ટર છે. તેમણે આરોપી પી. વી. […]

કચ્છમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની શિક્ષિકાનું કારસ્તાન, અને પછી જે થયું, જુઓ વીડિયો

આદિપુર-કચ્છ, 24 ફેબ્રુઆરી, 2026 – કચ્છમાં મિશનરી સ્કૂલ સેન્ટ ઝેવિયર્સની એક શિક્ષિકાની ધાર્મિક અસહિષ્ણુતાને કારણે સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ હતી. આ અંગે હિન્દુ સંગઠનોને જાણ થતા તેઓ સ્કૂલમાં પહોંચી ગયા હતા અને શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ કરી. મળતા અહેવાલ અનુસાર આદિપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં એક વિદ્યાર્થિની પોતાની સાથે હનુમાન ચાલીસા લઈને ગઈ હતી. જો કે […]

શિક્ષક એટલે મજબૂત દેશ અને સશક્ત સમાજનો પાયો: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત શિક્ષકો સાથે પોતાના નિવાસ 7 લોક કલ્યાણ માર્ગ ખાતે સંવાદ કર્યો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે શિક્ષકોનું કાર્ય માત્ર વર્ગખંડ સુધી મર્યાદિત નથી ,પરંતુ તેનાથી આગળ પણ પાત્ર નિર્માણ અને યુવા શક્તિની જિજ્ઞાસાને દિશા આપવાનું કામ કરે છે. તેમણે કહ્યું કે શિક્ષક મજબૂત દેશ અને સશક્ત સમાજનો પાયો […]

ઉત્તમ શૈક્ષણિક કાર્યમાં યોગદાન આપનારા શિક્ષકને કરાશે સન્માનિત

અમદાવાદઃ ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિ, શાળામાં શિક્ષણના નવીન પ્રયોગો તેમજ સામાજિક યોગદાન વગેરે પ્રવૃત્તિઓમાં સક્રિય હોય તેવા પ્રાથમિક શિક્ષક-મુખ્ય શિક્ષકને વધુ પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ આપી સન્માનિત કરાશે. આ સન્માન આગામી 15મી ઓગસ્ટ 2025ના રોજ આપવામાં આવશે. એમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે. યાદીમાં જણાવ્યા મુજબ […]

અમરેલીમાં નરાધમ શિક્ષકે શાળામાં બે બાળકી પર દૂષ્કર્મ કર્યું

ચાલુ શાળાએ બે માસુમ બાળકીઓને દારૂ પીવડાવીને દુષ્કર્મ કરતા હોબાળો મચ્યો લંપટ શિક્ષકને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો શહેર-જિલ્લાની શાળાઓમાં અઠવાડિયામાં બે બનાવો બન્યા અમરેલીઃ જિલ્લામાં શિક્ષણ જગતને કલંકિત કરનારી એક પછી એક ઘટના બની રહી છે. તાજેતરમાં  વંડામા બાળકો સાથે સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યનો બનાવ પ્રકાશમાં આવ્યા બાદ અમરેલીમા નરાધમ શિક્ષકે ચાલુ શાળાએ દારૂના નશામા […]

બરેલીઃ નકલી દસ્તાવેજના આધારે 9 વર્ષથી શિક્ષિકા તરીકે નોકરી કરતી પાકિસ્તાની મહિલાનો પર્દાફાશ

લખનૌઃ બરેલીમાં બોગસ દસ્તાવેજના આધારે પાકિસ્તાની મહિલા શિક્ષિકા તરીકે નોકરી કરતી હોવાનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે. મહિલા શિક્ષિકાએ બોગસ દસ્તાવેજના આધારે શિક્ષિકા તરીકે નોકરી હાંસલ કરી હતી. વર્ષ 2015થી શિક્ષિકા તરીકે નોકરી કરતી પાકિસ્તાની મહિલાના સ્થાનિક દસ્તાવેજ બોગસ હોવાનું ખૂલતા તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. નવ વર્ષથી પાકિસ્તાની મહિલા બોગસ દસ્તાવેજના […]

ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક કે વકીલ થશો પરંતુ મનુષ્ય થવાનું ન ભૂલતા : આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ રાય યુનિવર્સિટીના 10મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 300થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી. તેમણે આ અવસરે કહ્યું હતું કે, અત્યાર સુધી શિક્ષકો અને ગુરુજનોએ આપ સૌને શિક્ષિત કર્યા છે, પરંતુ દીક્ષિત કરવાનું કામ આજે કરવામાં આવી રહ્યું છે. આપ સૌ વિવિધ ક્ષેત્રમાં કાર્યરત થશો, તમારામાંથી ઘણા  ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક, વકીલ થશો. પરંતુ મનુષ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code