1. Home
  2. Tag "Terrorist"

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સાથેની અથડામણમાં 5 આતંકી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના બેહીબાગ વિસ્તારમાં સ્થિત કદ્દર ગામમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આજરોજ વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 5 આતંકવાદીઓને ઠાર કર્યા છે. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. હજુ ઘણા આતંકીઓ ફસાયા હોવાની આશંકા છે. માહિતી મળ્યા બાદ ઓપરેશન શરૂ કરવામાં […]

જમ્મુઃ આતંકવાદી બનવા પાકિસ્તાન ગયેલી. મહિલા સહિત 14 વ્યક્તિને ભાગેડુ જાહેર કરાઈ

કોર્ટે રાજોરી જિલ્લાના કોત્રંકા સબ-ડિવિઝનમાંથી એક મહિલા સહિત 14 લોકોને ભાગેડુ જાહેર કર્યા છે અને તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે. આ બધા ઘણા વર્ષો પહેલા આતંકવાદી બનવા માટે પાકિસ્તાન ગયા હતા અને આજદિન સુધી પાછા ફર્યા નથી. મેજિસ્ટ્રેટે ચેતવણી આપી છે કે જો આ તમામ લોકો 30 દિવસની અંદર પોતાને પોલીસને હવાલે નહીં કરે […]

આતંકવાદીઓ દ્વારા ભારતીય સેનાના જવાનનું અપહરણ કરીને હત્યા કરાઈ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગમાં આતંકવાદીઓએ બે સૈનિકોનું અપહરણ કર્યું હતું, પણ તેમાંથી એક કોઈ રીતે ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. જ્યારે અન્ય એક સૈનિકનો મૃતદેહ જંગલમાંથી ગોળીઓ વાગેલ હાલતમાં મળી આવ્યો હતો. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આતંકવાદીઓ દ્વારા અપહરણ કરાયેલા સૈનિકો ટેરિટોરિયલ આર્મીના છે. જમ્મુ […]

જમ્મુ-કાશ્મીર: પૂંચમાં JKGFનો આતંકવાદી વિસ્ફોટકો સાથે ઝડપાયો

સુરક્ષાદળોએ પોથા બાયપાસ સાથે આતંકીને ઝડપી લીધો પોલીસે અન્ય આતંકવાદીઓને ઝડપી લેવા કવાયત શરૂ કરી જમ્મુઃ સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં જમ્મુ અને કાશ્મીર ગઝનવી ફોર્સ (JKGF) ના એક આતંકવાદીના સાગરિતને વિસ્ફોટકો અને દારૂગોળો સાથે ધરપકડ કરી છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુરુવારે સાંજે પોથા બાયપાસ પર સીઆરપીએફની સાથે પોલીસ અને સેનાની […]

ડોડામાં આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ, એક જવાન શહીદ

સમગ્ર વિસ્તારમાં આર્મીએ શરૂ કર્યું સર્ચ અભિયાન સ્થળ પર મોટી સંખ્યામાં હથિયારો મળ્યાં નવી દિલ્હીઃ આતંકવાદને નાથવા માટે ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ડોડામાં ભારતીય સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં એક કેપ્ટન શહીદ થયાં હતા. જ્યારે આતંકવાદીઓ હથિયાર મુકીને ભાગી ગયા હોવાનું જાણવા મળે છે. […]

રિયાસી હુમલાના એક પણ આતંકવાદીને છોડવામાં નહી આવે: અમિત શાહ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારે આતંકવાદીઓએ તિર્થયાત્રીઓને લઈને જતી બસ પર ગોળીબાર કરતા બસ ખીણમાં ખાબકી હતી અને આ ઘટનામાં 10 યાત્રિકોના મોત નિપજ્યા છે. આ ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રોપદી મુરમુ સહિતના નેતાઓએ દુખ વ્યક્ત કર્યુ છે, તો બીજી બાજુ કેન્દ્રીયમંત્રી પદના શપથ લીધા બાદ તુરંત જ મંત્રી અમિત શાહે આ ઘટનાને વખોડી કાઢી […]

પાકિસ્તાન સાથેની લડાઈની વચ્ચે ઈરાને જણાવી ઈસ્લામિક દુનિયાની સૌથી મોટી મુશ્કેલી

તહેરાન: પાકિસ્તાન તરફથી ઈરાનમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈક પર ઈરાને આકરી પ્રતિક્રિયા આપી છે. ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે બંને દેશોની સીમા પર વિદેશી નાગરિકો પર પાકિસ્તાનના અસંતુલિત અને અસ્વીકાર્ય ડ્રોન હુમલાની ઈરાન આકરી નિંદા કરે છે. ઈરાની વિદેશ મંત્રાલયે નિવેદનમાં એમ પણ કહ્યું છે કે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બંને દેસોની સરકારો વચ્ચે સારા […]

જમ્મુ-કાશ્મીર: શોપિયાં એન્કાઉન્ટરમાં 1 આતંકી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શુક્રવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ. પોલીસના સિનિયર અધિકારી પ્રમાણે, દક્ષિણ કાશ્મીરના જિલ્લાના ચોટીગામ વિસ્તારમાં સવારે આતંકવાદીઓના છૂપાયેલા હોવાના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળ્યા હતા. તેના પછી સુરક્ષા દળોએ સવારે ત્યાં વિસ્તારની ઘેરાબંધી કરી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સર્ચ ઓપરેશન દરમિયાન કેટલાક આતંકવાદીઓ દ્વારા સુરક્ષાદળો પર ફાયરિંગ કરાયું. તેના કારણે […]

ઇઝરાયલ ઉપર થયેલા આતંકવાદી હુમલા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર શનિવારે ફિલિસ્તીનના કટ્ટરપંથી સંગઠન હમાસ તરફથી કરવામાં આવેલા રોકેટ હુમલાને લઈને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ કહ્યું હતું કે, અમે નિર્દોશ પીડિતોની સાથે છીએ. પીએમ મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે, ઈઝરાયલમાં આતંકવાદી હુમલાની ખબરથી ખુબ દુખ થયું છે. અમારી પ્રાર્થનાઓ નિર્દોશ પીડિતો અને તેમના પરિવારજનો […]

ત્રાસવાદીઓના નિશાના ઉપર ગુજરાત, દિલ્હીમાંથી ઝડપાયેલા આતંકીઓની તપાસમાં ઘટસ્ફોટ

અમદાવાદઃ દિલ્હીમાંથી આઈએસઆઈએસના આતંકવાદીની એનઆઈએ દ્વારા ધરપકડ કરાયા બાદ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસા થયાં છે. આતંકીઓની પૂછપરછમાં ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચાયુ ઘટસ્ફોટ થયો છે. એટલુ જ નહીં આતંકવાદીઓએ ગુજરાતના શહેરોમાં રેકી કરી હોવાનું સામે આવ્યુ છે. આરોપી 26/11થી પણ ભયાનક હુમલાની ફિરાકમાં હોવાનું સામે આવ્યુ છે. આતંકવાદીઓના નિશાના ઉપર હિન્દુ ધર્મના ધાર્મિક સ્થળોની સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code