વિરમગામ APMCમાં મજુરીના દરમાં ઘટાડો કરાતાં શ્રમિકોએ દિવસભર ઊભા રહીને વિરોધ કર્યો
અમદાવાદઃ રાજ્યમાં વધતી જતી મોંઘવારીમાં કર્મચારીઓથી લઈને શ્રમિકો પણ પોતાના વેતન દરમાં વધારાની આશા રાખતા હોય છે. ત્યારે વિરમગામ એપીએમસીના સત્તાધિશોએ શ્રમિકોના મજુરી દરમાં ઘટાડો કરાતા શ્રમિકોમાં અસંતોષ ઊભો થયો છે. કેટલાક શ્રમિકોએ કામથી વેગળા રહીને દિવસભર ઊભા રહીને મજુરીના દર વધારવા માટે સૂંત્રો પણ પોકાર્યા હતા. હાલ માર્કેટ યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક શરૂ […]