પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો,6 થી વધુ લોકોના મોતના સમાચાર
દિલ્હી –પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આજરોજ મંગળવારે આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હોવાની માહિતી મળી અહી છે આ હુમલામાં કરતાં ઓછામાં ઓછા છ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા અને 16 લોકો ઘાયલ થયા હોઇવન સમાચાર સામે આવ્યા છે .
જાણકારી અનુસાર આતંકવાદીઓએ દક્ષિણ વઝિરિસ્તાન આદિવાસી જિલ્લાની સરહદે અશાંત ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં દરબન પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન બિલ્ડિંગમાં વિસ્ફોટકો ભરેલા વાહનને એન્ટર કર્યું અને પછી મોર્ટાર વડે હુમલો કર્યો.
વધુ માહિતી મુજબ પોલીસે એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓને પણ ઠાર કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર હુમલા બાદ નવી પોલીસ ટુકડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. હુમલાને કારણે જિલ્લાની હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી જ્યારે તમામ શાળા-કોલેજો બંધ રાખવામાં આવી હતી.
આ અગાઉ પણ ઓક્ટોબરની શરૂઆતમાં, આતંકવાદીઓએ કેપીના ડેરા ઇસ્માઇલ ખાન વિસ્તારમાં પોલીસ સ્ટેશન પર હુમલો કરવા માટે ગ્રેનેડ અને રોકેટનો ઉપયોગ કર્યો હતો. આ હુમલામાં 14 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા.
tags:
pakistan