1. Home
  2. ગુજરાતી
  3. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડાશે 2024ની ચૂંટણી,ભાજપના વરિષ્ઠ નેતાએ કરી જાહેરાત
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડાશે 2024ની ચૂંટણી,ભાજપના વરિષ્ઠ નેતાએ કરી જાહેરાત

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડાશે 2024ની ચૂંટણી,ભાજપના વરિષ્ઠ નેતાએ કરી જાહેરાત

0
Social Share
  • નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડાશે 2024ની ચૂંટણી
  • ભાજપના વરિષ્ઠ નેતાએ કરી જાહેરાત
  • દેશના પીએમ ફરી એકવાર નરેન્દ્ર મોદી બનશે 

દિલ્હી:ભાજપ 2024ની લોકસભા ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડશે.પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે બિહારમાં કારોબારીની બેઠકમાં કહ્યું કે,તેઓ ફરીથી દેશના વડાપ્રધાન બનશે.તેમણે કહ્યું કે, અમે બિહારમાં 2024 ની સાથે સાથે 2025માં પણ સાથે મળીને ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે.

અરુણ સિંહે કહ્યું કે જનતા દળ યુનાઈટેડ સાથે કોઈ તકરાર નથી અને ભાજપ હંમેશા ગઠબંધન ધર્મનું પાલન કરે છે.અમે સાથે મળીને ચૂંટણી લડીશું.પછી તે 2024 ની હોય કે 2025 ની.

બીજી તરફ કેન્દ્રીય મંત્રી અને ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ગિરિરાજ સિંહે પણ પાર્ટીના આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે.ગિરિરાજ સિંહે કહ્યું કે,ભાજપ હંમેશા જનતા દળ યુનાઈટેડ સાથે ચૂંટણી લડશે.2024ની લોકસભા ચૂંટણી હોય કે 2025માં યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણી હોય.તેમણે કહ્યું કે અમે જનતા દળ યુનાઈટેડ સાથે ચૂંટણી લડીશું.માત્ર 2024 અને 2025 જ નહીં, અમે હજુ પણ લડીશું.

છેલ્લા કેટલાક દિવસોમાં નીતીશ કુમાર અને ભાજપ વચ્ચેના સંબંધોમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે અને નીતિશ તરફથી સતત એવા સંકેત મળી રહ્યા છે કે,જ્યારે સમય આવશે ત્યારે તેઓ આરજેડી સાથે મળીને સરકાર બનાવી શકે છે, જેના પછી ભાજપ આ મામલે બેકફૂટ પર જોવા મળી રહ્યું છે.

પટનામાં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે BJP સેલની બે દિવસીય સંયુક્ત રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકના સમાપન સત્રને સંબોધિત કર્યું.અમિત શાહે કહ્યું કે,દેશમાં દેશભક્તિનું વાતાવરણ ઊભું કરવું પડશે.13 થી 15 ઓગસ્ટ સુધી દેશના ખૂણે ખૂણે ત્રિરંગો ધ્વજ ફરકાવવાનો છે. આ કાર્યક્રમમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા.

બીજેપી કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે ભાજપ કાર્યાલય સંસ્કાર આપવાનું કેન્દ્ર છે.સાથે કેવી રીતે કામ કરવું તે જાણવા અહીં આવો. ભાજપને વિચારધારાની પાર્ટી ગણાવતા તેમણે બાકીની પાર્ટીઓને પરિવારની પાર્ટી ગણાવી હતી.તેમણે કહ્યું કે આવનારા સમયમાં ભાજપ જ એકમાત્ર પાર્ટી રહેશે, અન્ય તમામ રાજકીય પક્ષોનો નાશ થશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code