1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરોની ભરતી કરવાનો આખરે લેવાયો નિર્ણય
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરોની ભરતી કરવાનો આખરે લેવાયો નિર્ણય

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરોની ભરતી કરવાનો આખરે લેવાયો નિર્ણય

0
Social Share

રાજકોટઃ શિક્ષણમાં પણ રાજકારણ જોવા મલી રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખૂણે ખૂણે રાજકારણ પ્રવેશી ગયું હોય એમ સત્તાધીશો વિદ્યાર્થીઓના હિતને બદલે પોતાની મનસુફીથી વહીવટ ચલાવી રહ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે અને જ્યાં સુધી સત્તાધીશો ઉપર પ્રેશર ન આવે ત્યાં સુધી યોગ્ય કાર્યવાહી પણ કરતા નથી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ-પાંચ વર્ષથી કાયમી પ્રોફેસરોની ભરતી કરાતી નથી, કાયમી પ્રોફેસરો વિના વિદ્યાર્થીઓને કોણ ભણાવશે, કેવું ભણાવશે, વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું તેની રતિભાર પણ ચિંતા પાંચ વર્ષ દરમિયાન કુલપતિએ કરી નહતી. આથી વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ કુલપતિની ચેમ્બરમાં અઢી કલાક સુધી ધમાલ મચાવી, રામધૂન બોલાવી, સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા સત્તાધીશો દબાણમાં આવતા તાબડતોબ ફાઈલો મગાવી 48 કલાકમાં યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરોની ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવા લેખિત બાંહેધરી આપવી પડી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એકબાજુ પાંચ-પાંચ વર્ષથી પ્રોફેસરોની ભરતી ન કરી, બીજી બાજુ દબાણ આવતા માત્ર 10 જ મિનિટમાં નિર્ણય લીધો કે 48 કલાકમાં જાહેરાત પ્રસિદ્ધ કરવી. કુલપતિ અને રજિસ્ટ્રાર એક તબક્કે કાયમી ભરતી માટેની લેખિત બાંહેધરી આપવા ઇનકાર કરી દીધો હતો, પરંતુ ઉપકુલપતિએ પોતાના જોખમે, પોતાની જવાબદારીએ 48 કલાકમાં ભરતીની જાહેરાત કરવા લેખિતમાં બાંહેધરી આપી હતી. કોલેજોના પ્રથમ સેમેસ્ટરના અનેક વિદ્યાર્થીઓ પાસેથી 1-1 હજાર રૂપિયા લઇ લીધા પરંતુ દોઢેક વર્ષથી ટેબ્લેટ નહીં અપાતા વિદ્યાર્થી રોષે ભરાયા હતા અને તાત્કાલિક ધોરણે ટેબ્લેટ આપવા અથવા પૈસા પરત આપવા માગણી કરી કરી હતી. આ અંગે ઉપકુલપતિએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર અંતમાં અથવા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં બાકી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપી દેવાશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લે વર્ષ 2016માં ડૉ. પ્રતાપસિંહ ચૌહાણના કાર્યકાળ દરમિયાન 32 પ્રોફેસરની ભરતી થઇ હતી. ત્યારબાદ વર્ષ 2019માં ફરી 58 પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી પરંતુ આ ભરતીમાં 33% મહિલા અનામત અને EWSની જગ્યા મુદ્દે વિવાદ થતા યુનિવર્સિટીના જ કેટલાક પ્રોફેસરોએ કોર્ટમાં દાવો કર્યો હતો. ત્યારપછી આ ભરતી પ્રક્રિયા ટલ્લે ચડી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code