1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધતા સપ્તાહમાં પાંચમીવાર દરવાજા ખોલવા પડ્યા
શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધતા સપ્તાહમાં પાંચમીવાર દરવાજા ખોલવા પડ્યા

શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધતા સપ્તાહમાં પાંચમીવાર દરવાજા ખોલવા પડ્યા

0
Social Share

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. પણ ઉપરવાસમાં વરસાદને લીધે પાલિતાણા તાલુકામાં આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો  શેત્રુંજી ડેમ એક જ સપ્તાહમાં સતત પાંચમી વાર ઓવરફલો થયો છે. ગુરુવારે સવારથી જ પાણીની આવકમાં સતત વધારો થતાં ડેમ સત્તાવાળને જળસપાટી જાળવી રાખવા મોડીરાત્રે 59 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા અને આજે સવારે ફરી 15 દરવાજા ખુલવા પડ્યા હતા.

સૌરાષ્ટ્રમાં સૌથી મોટા જળાશય તરીકે ખ્યાતનામ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલ શેત્રુંજી ડેમ એક જ અઠવાડિયામાં સતત પાંચમી વખત છલકાયો છે. આ અંગે માહિતી આપતાં ડેમ સ્થિત નાયબ કાર્યપાલક ઈજનેરે  જણાવ્યું હતું કે ઉપરવાસમાંથી આવતી પાણીની આવક પર ટીમ સતત નજર રાખી રહી છે. આવક ઘટે એટલે દરવાજા બંધ કરવામાં આવે છે અને આવક વધતા ફરી દરવાજા ખોલવામાં આવે છે. મોડી સાંજે પાણીનો ભારે પ્રવાહ ડેમમાં આવી રહ્યો હતો જેને પગલે ડેમની સપાટી એક નિયત અંકે જાળવી રાખવા માટે મોડીરાત્રે ડેમના 59 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યાં હતાં ત્યારે બાદ વહેલી સવારે 30 દરવાજાઓ બંધ કરવામાં આવ્યા હતા ત્યારે બાદ 14 દરવાજા બંધ કરાયાં હતા અને આજે સવારે 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. ગત મોડીરાત્રે આ ઉપરાંત નદીઓમાં 5310 ક્યુસેક તથા 200 ડાબા તથા જમણા કાંઠાની કેનાલોમાં પણ પાણી નો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે કુલ 5510 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, આજે વહેલી સવારે 15 દરવાજા ખોલવામાં આવ્યા છે નદીઓમાં 1350 ક્યુસેક તથા 200 ડાબા તથા જમણા કાંઠાની કેનાલોમાં પણ પાણી નો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે, ઉપરથી વધારાની આવક બંધ થયે દરવાજા પુનઃ બંધ કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code