1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સ્વર્ણિમ સંકુલ મુલાકાતીઓ માટે અનલોક કરાતા મંત્રીઓને રજુઆત માટે લોકોનો ધસારો

સ્વર્ણિમ સંકુલ મુલાકાતીઓ માટે અનલોક કરાતા મંત્રીઓને રજુઆત માટે લોકોનો ધસારો

0
Social Share

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો, સામાન્ય પ્રજાજનો, મંત્રીઓ, અધિકારીઓને પોતાના કામકાજ માટે સરળતાએ મળી શકે તેવા પ્રજાહિતકારી અભિગમથી નવા સચિવાલય સંકુલ, સ્વર્ણિમ સંકુલ-1,2માં પ્રવેશ પાસ મેળવી મુલાકાતી પ્રવેશની પદ્ધતિ ફરી શરૂ કરવાનો નિર્ણય કરતા આજે મંગળવારે નવા મંત્રીઓને મળવા માટે ગામ-પરગામથી અનેક લોકો મળવા આવ્યા હતા. આમ તો મંગળવારનો દિવસ ધારાસભ્યો અને સાંસદો માટે રિઝર્વ હોય છે. એટલે મંત્રીઓ મંગળવારનો દિવસ ધારાસભ્યો અને સાંસદોને મળતા હોય છે. છતાં આજે કેટલાક લોકો પોતાના પ્રશ્નોની રજુઆતો માટે, કેટલાક લોકો નવા મંત્રીઓને શુભેચ્છા આપવા માટે સ્વર્ણિમ સંકુલ આવ્યા હતા.

કોરોનાને લીધે સ્વર્ણિમ સંકુલ મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. આથી લોકો પોતાના પ્રશ્નોની રજુઆત કરવા માટે આવી શક્તા નહતા. હવે સ્વર્ણિમ સંકુલના દરવાજા મુલાકાતીઓ માટે આજથી ખોલી નાંખવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના દિશા-નિર્દેશનમાં રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે આ અંગેની સૂચનાઓ જાહેર કરતા પરિપત્રમાં જણાવ્યું હતું  કે મંગળવાર તારીખ 21 સપ્ટેમ્બર-2021થી કામકાજના દિવસો દરમિયાન નવા સચિવાલય સંકુલમાં રાબેતા મુજબ પ્રવેશ આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કોરોના સંક્રમણના પરિણામે માર્ચ-2020થી નવા સચિવાલય સંકુલમાં મુલાકાતી પ્રવેશ પર મૂકવામાં આવેલા આ નિયંત્રણો હવે કોરોના કેસોનું પ્રમાણ ઘટતા દૂર કરવાનો નિર્ણય કર્યો છે. તદ્અનુસાર, મંગળવાર તારીખ 21મી સપ્ટેમ્બરથી નવા સચિવાલયના ગેટ નં-1 અને ગેટ નં-4 મારફતે મુલાકાતીઓ-નાગરિકોને પ્રવેશ પાસ થકી પ્રવેશ આપવામાં આવશે. એટલું જ નહિ, પ્રવેશ મેળવનારા નાગરિકો-મુલાકાતીઓને માસ્ક/ફેસકવર પહેરવા તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગેની માર્ગદર્શિકા SOPનું પાલન જાહેર હિતમાં કરવા પણ અપીલ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code