1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં નવરંગપુરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમને 50 કરોડના ખર્ચે રિનોવેશન કરાશે
અમદાવાદમાં નવરંગપુરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમને 50 કરોડના ખર્ચે રિનોવેશન કરાશે

અમદાવાદમાં નવરંગપુરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમને 50 કરોડના ખર્ચે રિનોવેશન કરાશે

0
Social Share

અમદાવાદઃ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમને રૂપિયા 50 કરોડના ખર્ચે રિનોવેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ  62 વર્ષ જુના સરદાર પટેલ સ્ટેડિયમની જર્જરિત હાલતને ધ્યાનમાં રાખીને હવે કોઈ કાર્યક્રમ કે ઇવેન્ટ માટે ન આપવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. જોકે સ્ટેડિયમમાં આવેલા મેદાનનો ક્રિકેટ તેમજ અન્ય માટે ઉપયોગ થઈ શકશે. એક મહિના અગાઉ સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાત ખેલ મહાકુંભ 2022નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ખૂબ જ ભીડ થઈ હતી અને ત્યારે મ્યુનિ. કોર્પોરેશનના ધ્યાને આવ્યું હતું કે, સ્ટેડિયમમાં બેસવાની જગ્યા અને મોટાભાગની દિવાલોનો RCC ભાગ જર્જરીત હાલતમાં છે. મદ્રાસ IITના સ્ટ્રકચરલ રીપોર્ટ અને અભિપ્રાય મુજબ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી કોઈ અકસ્માત ના થાય તે હેતુથી સરદાર પટેલ સ્ટેડીયમ હવેથી જાહેર કાર્યક્રમો તેમજ ઈવેન્ટો માટે રીપેરીંગ કરવામાં ન આવે ત્યાં સુધી બંધ રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં જે લોકો રોજ મોર્નિંગ તેમજ ઇવનિંગ વોક માટે આવે છે તેના માટે સ્ટેડિયમ ચાલુ રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરના સરદાર પટેલ સ્ટેડિયમને 20મી સદીના હેરીટેજ મોન્યુમેન્ટ તરીકે વર્લ્ડ મોન્યુમન્ટ વોચલિસ્ટ 2020માં કરવામાં આવ્યો છે. જેથી હવે આખું રીનોવેશન કરી અને હેરિટેજ લૂક આપી નવું બનાવવાનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે. પ્રથમ ફેઝમાં રૂ.50 કરોડના ખર્ચે આખું રીનોવેશન કરવામાં આવશે. જેના માટે આગામી દિવસોમાં ટેન્ડર, તેની ડિઝાઇન સહિતની કામગીરી કરવામાં આવશે. ગુજરાત ખેલ મહાકુંભ 2022ના કાર્યક્રમ દરમિયાન કેટલીક જગ્યાએ પણ આર.સી.સી.પોપડા પડવાની સંભાવના હોય બેઠકવાળા ભાગમાં કેમોફલેન્જ હોર્ડીંગ અને લગાવી પ્રોટેકશન કરાવવામાં આવ્યા હતા.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરના નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડીયમ ખુબ જ જુનું તેમજ જર્જરીત હોઈ તેમજ હાલના તબક્કે કોઈ અકસ્માત ના થાય તે હેતુથી કોઈ પણ ઈવેન્ટ તેમજ જાહેર કાર્યક્રમો કરવા માટે હિતાવહ ન જણાતા હોવાનો સ્ટ્રકચર કનસલ્ટન્ટના અભિપ્રાયને ધ્યાને લેતા સંપૂર્ણ રીપેરીંગની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રાખવાના નિર્ણય કરવામાં આવ્યો છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code