પોરંબંદરથી બિહારના મોતિહારી જતી ટ્રેનને અનેક રજુઆતો બાદ આખરે મહેસાણા સ્ટોપેજ અપાયું
મહેસાણાઃ ઉત્તર ગુજરાતમાં બિહારના અનેક લોકો રોજગારી અને ધંધામાં સ્થાયી થયેલા છે. ત્યારે ઉત્તર ગુજરાતથી પોતાના માદરે વતન બિહાર જવા માટે ટ્રેન ઉપલબ્ધ ન હોવાથી પોરબંદર મોતિહારી ટ્રેનને મહેસાણા સ્ટોપેજ આપવાની વર્ષોથી માગણી કરવામાં આવતી હતી. આખરે પોરંબંદર-મોતિહારી અને મોતિહારી પોરબંદર ટ્રેનને મહેસાણામાં સ્ટોપેજ આપવામાં આવ્યું છે. હાલ આ ટ્રેન અપ અને ડાઉનમાં મહેસાણાના રેલવે સ્ટેશને ગઈ તા. 15મી ઓગસ્ટથી ઊભી રહે છે. ટ્રેનને સ્ટોપેજ મળતાં 15 હજારથી વધુ બિહારી પરિવારોને ફાયદો થશે. બિહારી સમાજે રેલ મંત્રીનો આભાર માન્યો હતો.
પોરબંદરથી મોતીહારી જતી ટ્રેનને મહેસાણા સ્ટોપેજ મળ્યું છે. છેલ્લા 20 વર્ષથી આ ટ્રેન ચાલી રહી છે. 20 વર્ષથી દોડતી આ ટ્રેનના સ્ટોપેજ માટે બિહારી સમાજ લાંબા સમયથી રજૂઆત કરી રહ્યો હતો. પરંતુ ટ્રેનને સ્ટોપેજ નહોતું મળી રહ્યું. બિહારી સમાજ દ્વારા રાજ્યસભા સંસદને પણ રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ સાંસદ જુગલજીએ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને ટ્રેનને સ્ટોપેજ આપવા રજુઆત કરી હતી.
પોરબંદર-મોકિહારી ટ્રેનને સ્ટોપેજ મળતા પરપ્રાંતીય સહિત બિહારી સમાજમાં ખુશીની લાગણી છવાઈ છે. ટ્રેનને સ્ટોપેજ મળતા 15 હજારથી વધુ પરિવારોને સીધો ફાયદો થશે. રેલવે વિભાગે જણાવ્યું છે. કે બુકિંગ માટે અને વધુ જાણકારી માટે રેલવેના ઈન્કવાયરી વિભાગ અથવા તો રેલવેની વેબસાઈટનો સંપર્ક કરવો. બિહારી સમાજ દ્વારા તત્કાલીન રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરનો પણ આભાર માનવામાં આવ્યો છે. સાંસદ દ્વારા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરતાં મહેસાણાને સ્ટોપેજ માટે મંજૂરી મળી છે.