અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને લીધે સરકારે નિયંત્રણો મુકીને મીની લોકડાઉન જાહેર કર્યું હતું. જોકે છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થતા મહાનગરો સહિત 36 શહેરોમાં સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી દુકાનો કોલવાની મંજુરી આપવામાં આવી છે.તેમજ રાત્રિ કરફ્યુમાં પણ છુટછાટ આપીને હાલ રાત્રિના 9થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુનો અમલ જારી છે. કોરોનાને લીધે વેપાર-ધંધાને પણ સારૂ એવું નુકશાન થયું છે. જેમાં ટ્રક-ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વ્યાપક મંદીનો સામનો કરી રહ્યો છે. એક બાજુ ડિઝલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. બીજીબાજુ કોરોનાને લીધે બજારોમાં પણ વ્યાપક મંદી છે. કોરોનાએ ટ્રાવેલ્સ ઉદ્યોગની કમર તોડી નાખતા હવે મોટી મોટી કંપનીઓ પણ ધડાધડ ગાડીઓ વેંચવા લાગી છે. બીજી તરફ મધ્યમ-નાના ટ્રાવેલ્સ સંચાલકો પાસે ફક્ત 10-20 ટકા જ કામકાજ રહેતા ગાડીઓ નોનયૂઝમાં ટ્રાન્સફર કરવા લાગ્યા છે, ઘણા લોકોએ વૈકલ્પિક કે સીઝનલ ધંધા શોધી લીધાં છે. આવી જ હાલત ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની પણ છે. કામકાજ ફક્ત 30-40 ટકા જ બચ્યું છે.
સરકારને ભરવાના થતા ટેક્સ, વીમા, પાસીંગ વગેરેના ખર્ચા જેમના તેમ છે એટલે બન્ને ઉદ્યોગ મરણપથારીએ આવી ગયા છે. આ બધી મુસિબતો વચ્ચે ડિઝલના ભાવ એક વર્ષમાં 50 ટકા જેટલા ઉંચકાઇને રૂ. 90 ઉપર નીકળી ગયા છે એટલે હવે ધંધો મુશ્કેલ છે.
રાજ્યના ટ્રાવેલર્સના કહેવા મુજબ ટ્રાવેલની બસો ચલાવવાનો ઉદ્યોગ ખતમ થવાના આરે આવી ગયો છે. એક વર્ષ કરતા વધારે સમયથી કોરોના અને તેને લઇને આવેલા નિયંત્રણો સામે ઝઝૂમી રહ્યો છે. અલગ અલગ રાજ્યોમાં લોકડાઉનને લીધે ટુરિઝમ ક્ષેત્ર બંધ જેવું છે. શાળા-કોલેજો બંધ છે એટલે બસો ચાલતી નથી. ડેઇલી સર્વિસમાં થોડી બસો ચાલે છે પણ તે ફક્ત 50 ટકા ક્ષમતાએ ધંધો કરી રહ્યા છે. થોડી બસો કોન્ટ્રાક્ટની છે તે ચાલે છે.
જોકે મોટાંભાગના ટ્રાવેલ બસ માલિકો પાસે હવે મોટેભાગે કોઇ કામ રહ્યું નથી. મહિનામાં 20-25 દિવસ જેમની બસ ફરતી હતી તે અત્યારે પાંચ દિવસ ફરે છે. એ કારણે કેટલાકે કેરી વેંચવાનો, નાસ્તાગૃહનો કે નાનો મોટો ગૃહ ઉદ્યોગ શરૂ કરી દીધો છે. જોકે એમાં ય હરિફાઇને લીધે કસ નથી એટલે આર્થિક મુશ્કેલી વધવા માંડી છે. ઘણા માલિકોએ બે ત્રણ ગાડી વચ્ચે એક જ ડ્રાઇવર રાખ્યો છે. બાકીનાને છૂટા કરી દીધાં છે કે અર્ધા પગારે બીજું કામ શોધી લેવા જણાવ્યું છે. બીજી તરફ મધ્યમ-નાના ટ્રાવેલ્સ સંચાલકો પાસે ફક્ત 10-20 ટકા જ કામકાજ રહેતા ગાડીઓ નોનયૂઝમાં ટ્રાન્સફર કરવા લાગ્યા છે, ઘણા લોકોએ વૈકલ્પિક કે સીઝનલ ધંધા શોધી લીધાં છે. આવી જ હાલત ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની પણ છે. કામકાજ ફક્ત 30-40 ટકા જ બચ્યું છે. સરકારને ભરવાના થતા ટેક્સ, વીમા, પાસીંગ વગેરેના ખર્ચા જેમના તેમ છે એટલે બન્ને ઉદ્યોગ મરણપથારીએ આવી ગયા છે. આ બધી મુસિબતો વચ્ચે ડિઝલના ભાવ એક વર્ષમાં 50 ટકા જેટલા ઉંચકાઇને રૂ. 90 ઉપર નીકળી ગયા છે એટલે હવે ધંધો મુશ્કેલ છે.