નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ 9 જૂને ભારતના પ્રધાનમંત્રી તરીકે 11 વર્ષ પૂર્ણ કર્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમના 11 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશવાસીઓનું જીવન સરળ બન્યું છે. તેમના કાર્યકાળના 11 વર્ષ પૂર્ણ થવા પર, નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમણે લખ્યું, “છેલ્લા 11 વર્ષમાં લોકોના જીવનમાં અસંખ્ય સકારાત્મક ફેરફારો થયા છે. લોકોના જીવનધોરણમાં મોટો સુધારો થયો છે.”
પ્રધાનમંત્રીએ નમો એપની લિંક શેર કરી અને લખ્યું કે આ એપ દ્વારા તમે દેશમાં થયેલા ફેરફારોને નવી રીતે જોઈ શકો છો. તમે ઇન્ટરેક્ટિવ ગેમ્સ, ક્વિઝ, સર્વે અને આવા અન્ય ફોર્મેટ દ્વારા પ્રેરણાદાયક માહિતી મેળવી શકો છો. છેલ્લા 11 વર્ષોમાં, અમારી સરકારની દરેક યોજનાનું કેન્દ્ર ગરીબ ભાઈઓ અને બહેનો તેમજ સામાન્ય માણસનું કલ્યાણ સુનિશ્ચિત કરવાનું રહ્યું છે.
પ્રધાનમંત્રીએ X પર બે મિનિટ અને 55 સેકન્ડનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. તે છેલ્લા 11 વર્ષમાં દેશની વિકાસ યાત્રા દર્શાવે છે. પીએમએ લખ્યું છે કે, “છેલ્લા 11 વર્ષોમાં, અમારી સરકારની દરેક યોજનાનું કેન્દ્ર ગરીબ ભાઈઓ અને બહેનો તેમજ સામાન્ય માણસનું કલ્યાણ સુનિશ્ચિત કરવાનું રહ્યું છે. ઉજ્જવલા હોય કે પીએમ આવાસ, આયુષ્માન ભારત હોય કે ભારતીય જન ઔષધિ હોય કે પીએમ કિસાન સન્માન નિધિ, આ બધી યોજનાઓએ દેશવાસીઓની આશાઓને નવી પાંખો આપી છે.
આ સમય દરમિયાન, અમે સંપૂર્ણ નિષ્ઠા અને સેવાની ભાવના સાથે લોકોના જીવનને સરળ બનાવવા માટે શક્ય તેટલા પ્રયાસો કર્યા છે.” 2014માં NDAની મોટી સફળતા બાદ, નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ પ્રથમ વખત દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. 2014માં NDAની મોટી સફળતા બાદ, નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ પ્રથમ વખત દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. આ પછી, 2019માં અને પછી 2024માં તેમના નેતૃત્વમાં NDA સરકારની રચના થઈ. જવાહરલાલ નેહરુ પછી સતત ત્રણ વખત દેશના પ્રધાનમંત્રી બનનારા તેઓ બીજા રાજકારણી છે.