1. Home
  2. ગુજરાતી
  3. જગન્નાથ પુરી મંદિરને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, એકની અટકાયત
જગન્નાથ પુરી મંદિરને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, એકની અટકાયત

જગન્નાથ પુરી મંદિરને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, એકની અટકાયત

0
Social Share

નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2026: પુરીમાં જગન્નાથજી મંદિરને લઈને સોશિયલ મીડિયામાં બોમ્બની ધમકી મળતા મંદિર પરિસર અને આસપાસ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી રહી છે. દરમિયાન પોલીસે આ પ્રકરણમાં એક વ્યક્તિની અટકાયત કરી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા ઉપર માત્ર જગન્નાથજી મંદિરને નિશાન બનાવીને ધમકી આપવામાં આવી હતી. એટલું જ નહીં બીજેડીના રાજ્યસભાના સાંસદ સુભાષિશ ખુંટિયા અને પુરીના એક શોપિંગ કોમ્પલેક્સમાં હુમલાની ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમજ ડોગસ્કવોડ અને બોમ્બ સ્કવોર્ડની મદદથી તપાસ પણ કરવામાં આવી હતી. જો કે, તપાસ દરમિયાન કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું. બીજી તરફ સુરક્ષા એજન્સીઓ દ્વારા ગર્ભિત ધમકીને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં તૈનાત રાજદ્વારીઓના પરિવારજનોને પરત ભારત બોલાવાયાં

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code