1. Home
  2. ગુજરાતી
  3. સુરતમાં ટ્રાફિક પોલીસ અને TRBના જવાનો ઓન ડ્યૂટી મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહીં
સુરતમાં ટ્રાફિક પોલીસ અને TRBના જવાનો ઓન ડ્યૂટી મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહીં

સુરતમાં ટ્રાફિક પોલીસ અને TRBના જવાનો ઓન ડ્યૂટી મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહીં

0
Social Share

સુરતઃ શહેરમાં ટ્રાફિકને નિયમનમાં રાખવા માટેની જવાબદારી ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ સહિતના જવાનોને આપવામાં આવી છે. ઘણા સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોવા છતા ટ્રાફિક પોલીસના જવાનો પોતાના મોબાઈલ ફોનમાં વ્યસ્થ રહેતા હોવાનું જોવા મળતો હવે ટ્રાફિક પોલીસ અને ટીઆરબી અને હોમગાર્ડના જવાનો ઓન ડ્યુટી મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં. શહેરમાં હાલ કોરોનાને લઈને કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. પરંતુ સવારે અને સાંજના સમયે એક સાથે હીરાના કારખાના અને ઓફિસે જતા-આવતા સમયે ભારે ટ્રાફિક સર્જાય છે. તો બીજી તરફ કેટલીક જગ્યાએ ટ્રાફિક નિયમન યોગ્ય રીતે નહી થતું હોવાની ફરિયાદ ઉઠી હતી. જેથી આ મામલે સુરત પોલીસ કમિશનરે આજે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ હવેથી સુરત પોલીસમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ઓન ડ્યૂટી મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરી શકે.

પોલીસ કમિશનર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રાફિક પોલીસના જવાનો અને ટીઆરબીના કર્મચારીઓ ઓન ડ્યુટી મોબાઈલ ફોનનો ઉપયોગ કરશે તો તેમની સામે પગલાં લેવામાં આવશે. ટીઆરબી જવાનો અને એલ.આર. મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોવાની ફરિયાદો ઉઠી હતી. જેને લઈ સુરત પોલીસ કમિશ્નર દ્વારા એક આદેશ કરવામાં આવ્યો. જેમાં ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવનાર ટ્રાફિક પોલીસકર્મી પોતાની પાસે મોબાઈલ રાખી શકશે નહી. તેઓએ મોબાઈલ ઇન્ચાર્જને સોપવાનો રહેશે. ટ્રાફિકના એસીપી અશોક ચૌહાણે જણાવ્યું કે, સુરત પોલીસ કમિશ્નર અજય તોમર દ્વારા આ સુચના આપવામાં આવી છે. તમામ પોઇન્ટ ઇન્ચાર્જ એ પોતાના પોઈન્ટ ઉપરના તમામ પોલીસકર્મીઓ તથા ટીઆરબીના મોબાઈલ પોતાની પાસે રાખવાના રહેશે. ફરજની શરૂઆતમાં જમા કરી દેવાના. ફરજનો સમય પૂર્ણ થતાં મોબાઈલ પરત આપવામાં આવશે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code