
ભગવાન શીવને પ્રિય એવા બોરને આરોગવા આરોગ્ય માટે ફાયદાકારક, જાણો ફાયદા…
હિન્દુ ધર્મમાં મહા શિવરાત્રીના પર્વનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. દેશભરમાં આ વર્ષે મહા શિવરાત્રી 8 માર્ચે ઉજવવામાં આવશે. આ દિવસે ભોલે બાબાના ભક્તો ભગવાન શિવને પૂજામાં બોરનો પ્રસાદ ચડાવે છે. બોરને સીની સફરજનનાં નામથી ઓળખાય છે. આ મૌસમી ફળ ઘણી રીતે ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. ભારતમાં મળતા બોરનું વાનસ્પતિક નામ ’જિજિફસ મોરિસિયાના’ છે. બોરમાં વિટામિન સી, કેલ્શિયમ, લોખંડ, ફોસફરસ, પોટેશિયમ, અને જસત જેવું પોષક તત્વો ભરપુર માત્રામાં મળી આવે છે. જે રોગ પ્રતિકારક શક્તિને વધારીને સ્વાસ્થ્યને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરે છે.
• ઉંઘ ન આવવાની સમસ્યા
જે લોકોને અનિંદ્રાની સમસ્યાથી પરેશાન રહે છે, આ બોરનું સેવન તેમને ફાયદાકારક સાબિત થાય છે. બોર અને તેના બીજ, બંન્નેમાં સેપોનીન અને પોલિસેક્રાઈડ્સ જેવા ફ્લેવોર્નોઈડ ઘણી માત્રામાં હોય છે. સપોનિનને સારી અને ભારે ઉંગ લાવવામાં સહાયક માનવામાં આવે છે. આ તમારી નર્વસ સિસ્ટમને શાંત કરીને ભારે ઉંગ લાવવામાં મદદ કરી શકે છે.
• કબજિયાતની સમસ્યા
22મી સદી ભારતીય ક્રોર્નિક કોન્સ્ટિપેશનથી પીડાય છે. જેનાથી આરામ અપાવવામાં બોરની મહત્વની ભૂમિકા નિભાવી છે. બોરમાં હાજર ફાયબર તમારા ડાઈજેસ્ટિવ સિસ્ટમને દુરસ્ત કરીને કોન્સ્ટિપેશનથી રાહત અપાવવામાં મદ કરે છે. આટલું જ નહીં, બોરમાં રહેલ ફાઈબર અને કાર્બન પાચન સબંધિત સમસ્યાઓને દૂર કરી મેટાબોલિઝમને વધારો આપે છે. જેનાથી વ્યક્તિ આખા દિવસ ર્જાવાન બન્યો રહે છે.
• ચમકદાર ત્વચા
જો તમે પાછા પહેલાની જેમ તમારી ત્વચાને ચમકદાર રાખવા માંગો છો તો તેમની ડાઈટમાં બોરને ઉમેરવું બિલકુલ ના ભુલશો. બોરમાં રહેલ વિટામિન સી, અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ ફ્રી રેડિકલ્સથી લડવામાં મદદ કરે છે. જેનાથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર રહેવા સાથે ફાઈન લાઈસ અને પિગમેન્ટેશન જાવી સમસ્યાથી દૂર રાખે છે.
• મોટાપો
વધતા મોટાપાથી પરેશાન લોકો વેટ લોસ માટે બોરનું સેવન કરી શકો છો. બોરમાં ફાઈબર કૂબ સારી માત્રામાં હોય છે. જેનાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.