1. Home
  2. ગુજરાતી
  3. માઇગ્રેનના દુખાવાથી છો પરેશાન ? આ બે વસ્તુઓ આપશે બહુ મોટી રાહત
માઇગ્રેનના દુખાવાથી છો પરેશાન ? આ બે વસ્તુઓ આપશે બહુ મોટી રાહત

માઇગ્રેનના દુખાવાથી છો પરેશાન ? આ બે વસ્તુઓ આપશે બહુ મોટી રાહત

0
Social Share

માઈગ્રેન એક પ્રકારનો માથાનો દુખાવો છે જેમાં માથાના અડધા ભાગમાં દુખાવો થાય છે. આ દુખાવો ક્યારેક ક્યારેક નોર્મલ હોય છે અને ક્યારેક ક્યારેક ખૂબ જ ભયંકર, જેને સહન કરવો મુશ્કેલ હોય છે. ઊંઘની કમી, મોડા સુધી ભુખ્યા રહેવું, દિવસનો વધારે પડતો સમય મોબાઈલ, લેપટોપ અને ટીવી પર પસાર કરવો જેવા ઘણા કારણોના કારણે માઈગ્રેનની સમસ્યા થઈ શકે છે.

માઈગ્રેનની સારવાર સંપૂર્ણ રીતે પોસિબલ નથી. પરંતુ ડોક્ટર અમુક દવાઓના દ્વારા તેને ઓછુ કરી શકે છે. જોકે અમુક આયુર્વેદિક ઉપાય પણ તેમાં અસરકારક સાબિત થઈ શકે છે. માઈગ્રેન તમારી આંખોને પણ નુકસાન પહોંચાડી શકે છે માટે તેને હલકામાં લેવાની ભૂલ ન કરો. જાણો માઈગ્રેન પેનથી છુટકારો મેળવવાના ઉપાય.

હર્બલ ટી

આ હર્બલ ટીને આમ તો તમારે લંચ કે ડિનર બાદ પીવાની છે. પરંતુ માઈગ્રેન પેન થવા પર પણ આ ચાને બનાવીને પી શકો છો.

આ રીતે બનાવો હર્બલ ટી

સામગ્રી

1 ગ્લાસ પાણી,

1/2 ટી સ્પૂન અજમો

1 વાટેલી ઈલાયચી

1 ટી સ્પૂન જીરૂ

1 ટેબલ સ્પૂન આખા ધાણા

5 ફૂદીનાના પાન

બનાવવાની રીત

બધી વસ્તુઓને ત્રણ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર ઉકાળો અને થોડુ ઠંડુ કરી પીવો.

પલાળેલી સૂકી દ્રાક્ષ

સવારે ઉઠ્યાના તરત બાદ સૌથી પહેલા તમારે દ્રાક્ષ ખાવાની છે. તેના માટે 10થી 15 દ્રાક્ષને આખી રાત પાણીમાં પલાળી લો. સવારે પાણીમાંથી કાઢીને તેને સારી રીતે ચાવીને ખાઓ. સતત 12 અઠવાડિયા સુધી તેને ખાધા બાદ તમને તેનો ફાયદો જોવા મળશે. આ શરીરના પિત્તને ઓછુ કરે છે. જેનાથી માઈગ્રેનનો દુખાવો દૂર થાય છે સાથે જ એસિડિટી પણ દૂર થાય છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code