- ત્વચા સંબધિત સમસ્યાઓથી મેળવો છુટકારો
- અપનાવો આ ઘરેલું ઉપાય
- ત્વચા લાગશે ચમકદાર અને મુલાયમ
આપણે બધા ઘણીવાર ત્વચાની કોઈને કોઈ સમસ્યાથી પીડાતા હોઈએ છીએ. તેમની સારવાર માટે આપણે મોટે ભાગે કેમિકલયુક્ત પ્રોડકટ્સ તરફ વળીએ છીએ. જે આપણી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. એવામાં તમે કુદરતી ઘટકોનો પણ ઉપયોગ કરી શકો છો.ત્વચાની કેટલીક સામાન્ય સમસ્યાઓની સારવારમાં આ અસરકારક છે. આનો ઉપયોગ ત્વચાની સંભાળ માટે ઘરેલું ઉપચાર તરીકે કરી શકાય છે.
હળદર
હળદરનો ઉપયોગ સામાન્ય રીતે ભારતીય રસોડામાં થાય છે. હળદર સદીઓથી પરંપરાગત દવાઓનો એક ભાગ છે.પ્રાચીન કાળથી હળદર તેના એન્ટિસેપ્ટિક અને બળતરા વિરોધી ગુણધર્મોને કારણે સુંદરતા માટે પણ ઉપયોગમાં લેવાય છે. હળદર તમારી ત્વચાને કોમળ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. નિયમિતપણે તેનો ઉપયોગ કરવો એ તમારી ત્વચાના રંગને સુધારવાની સૌથી સરળ રીતોમાંની એક છે. હળદર ટેન દૂર કરવામાં પણ મદદ કરી શકે છે. દહીંમાં એક ચપટી હળદર મિક્સ કરીને ટેનવાળી ત્વચા પર લગાવવાથી ટેનિંગ ઝડપથી દૂર થાય છે. તેને 20 મિનિટ સુધી રહેવા દો અને પછી ધોઈ લો.
ગુલાબજળ
ગુલાબજળના કેટલાક સુંદર સૌંદર્ય લાભો છે.આ કુદરતી ઘટકની સૌથી સારી વાત એ છે કે,તે સંવેદનશીલ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. ગુલાબ જળ એ કુદરતી ત્વચા ટોનર છે. આ ત્વચાને તાજગી આપવામાં મદદ કરી શકે છે. તમે ગુલાબજળનો ઉપયોગ વિવિધ રીતે કરી શકો છો.તે તૈલી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.તે રોમછિદ્રોને સાફ કરવામાં અને ત્વચા પરની ચીકાશ ઘટાડવામાં મદદ કરે છે. એક બાઉલમાં ગુલાબજળ અને મુલતાની માટી અથવા ચંદન પાવડર નાખો.તેને સારી રીતે ભેળવી પેસ્ટ બનાવો.આ મિશ્રણને ત્વચા પર લગાવો.અને બાદમાં સુકાઈ જવા પર સામાન્ય પાણીથી ધોઈ લો.
મધ
મધ તેના મોઇશ્ચરાઇઝિંગ ગુણધર્મોને કારણે મોટાભાગના ત્વચા સંભાળ ઉત્પાદનોમાં એક સામાન્ય ઘટક છે. આ એક કુદરતી મોઈશ્ચરાઈઝર છે જે તમારી ત્વચાને કોમળ બનાવે છે. મધ દરેક પ્રકારની ત્વચા માટે ફાયદાકારક છે. ચહેરા પર દરરોજ 20 મિનિટ સુધી મધ લગાવી શકાય છે. તે ત્વચાને નરમ અને ચમકદાર રાખવામાં મદદ કરે છે. શુષ્ક ત્વચા માટે આ એક ઉત્તમ ઉપાય છે. તૈલી ત્વચા માટે ગુલાબજળ અને લીંબુના રસ સાથે મધનો ઉપયોગ કરી શકાય છે. આ મિશ્રણનો ઉપયોગ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવા માટે થાય છે.