- એસટીબસના કન્ડક્ટર અને પ્રવાસીનું મોત,
- 8 લોકોને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા,
- એસટી બસ બાયડથી કપડવંજ તરફ જઈ રહી હતી
અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે કપડવંજ-મોડાસા રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાતા બેના મોત નિપજ્યા હતા. જ્યારે 8 લોકો ઘવાયા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં મામલતદાર તેમજ કપડવંજ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને ઈજાગ્રસ્તોને ત્વરિત હોસ્પિટલ પહોંચાડવાની તજવીજ હાથ ધરી હતી.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, કપડવંજ-મોડાસા રોડ પર પાંખિયા ચોકડી નજીક એસટી બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં કંડક્ટર અને એક પ્રવાસીનું મોત નિપજ્યુ હતુ.. જ્યારે આઠ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બસના આગળના ભાગનો ફુરચા થઈ ગયા હતા.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ કપડવંજ-મોડાસા સ્ટેટ હાઇવેના પાંખિયા ચોકડી નજીક એસટી બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસના કંડક્ટર સંજયસિંહ અને પ્રવાસી અમરસિંહ પરમારનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે એસટી બસમાં સવાર મુસાફરો સહિત અન્ય વાહનના મળી કુલ આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ એસટી બસ બાયડથી કપડવંજ તરફ જઈ રહી હતી એ દરમિયાન અકસ્માત સર્જાયો છે. ઘટનાને પગલે મામલતદાર તેમજ કપડવંજ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે દોડી આવી આગળ કાર્યવાહી હાથ ધરી રહી છે
આ અકસ્માતને પગલે અંદાજે ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેને કપડવંજ રૂરલ પોલીસે નિયંત્રણ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ આ અકસ્માતમાં એસ.ટી.નો કંડક્ટર સંજયભાઈનું મૃત્યુ થયું છે. જ્યારે એસ.ટી.માં મુસાફરી કરી રહેલા એસ.ટી.ના રિટાયર્ડ ડ્રાઇવર પણ મૃત્યુ પામ્યા છે. આમ બેના મોત જ્યારે 8થી વધુ વ્યક્તિઓને ઈજા થઈ છે.