
જમ્મુ કાશ્મીરના બારામૂલામાંથી બે આતંકીઓ ફરાર, પોલીસે એલર્ટ જાહેર કર્યું
- જમ્મુ કાશ્મીરમાંથી બે આતંકવાદી ફરાર
- પોલીસે એલર્ટ જારી કર્યું
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આકતંકીો પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના પ્રયત્નમાં રહેતા હોય છએ જો કે સેના દ્રારા સતત તેઓ સામે નજર રાખીને કાર્યવાહી કરવામાં આવે છે, જો કે તાજેતરની વાત કરીએ તો આજરોજ બારામૂલામાંથી બે આતંકવાદીઓ ફરાર થયાની માહિતી સામે આવી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે બારામુલ્લામાં દારૂની દુકાનમાં વિસ્ફોટમાં સામેલ બે આતંકવાદીઓ આજરોજ બુધવારે સવારે પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયા હતા. પોલીસે મે 2022માં બંનેની ધરપકડ કરી હતી. બંને ફરાર આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા માટે કામ કરતા હતા.
આ ફરાર થયેલા આતંકવાદીઓની ઓળખ મરૂફ નઝીર સોલેહ અને શાહિદ શૌકત બાલા તરીકે થઈ છે. પોલીસે બંનેની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન કર્યા છે આ સાથએ જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે જેથી લોકો સતર્ક રહે.
આ સાથે જ આ મમાલે ગંભીરતા અને પોલીસની બેદરકારીને જોતા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. પોલીસ પ્રશાસને ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી સમગ્ર મામલાની તપાસના આદેશ પણ આપ્યા છે.આ બન્ને આતકીઓ મારૂફ નઝીર સોલેહ અને શાહિદ શૌકત બાલા ભાગી છૂટ્યા બાદ સમગ્ર કાશ્મીરમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઘાટીમાં પોલીસ અને વહીવટીતંત્ર બંને એલર્ટ મોડ પર છે.