Homeગુજરાતી250 રશિયન ટેન્કો નષ્ટ કરવાની સાથે 10 હજાર સૈનિકોને ઠાર મારવામાં આવ્યાનો...

250 રશિયન ટેન્કો નષ્ટ કરવાની સાથે 10 હજાર સૈનિકોને ઠાર મારવામાં આવ્યાનો યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે આજે યુદ્ધનો નવમો દિવસ છે. આજે પણ કિવ સહિતના શહેરો ઉપર રશિયન સૈનિકોએ બોમ્બ મારો અને મીસાઈલથી હુમલો કર્યો હતો. બીજી તરફ યુક્રેન સૈનિકો પણ રશિયાને જવાબ આપી રહ્યાં છે. દરમિયાન  યુક્રેનની સશસ્ત્ર દળોએ દાવો કર્યો છે કે તેઓએ 250 રશિયન ટેન્કનો નાશ કર્યો છે. તેમણે લગભગ 10,000 રશિયન સૈનિકોને માર્યા હોવાનો પણ દાવો કર્યો છે.

યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહીને પગલે મોટી સંખ્યામાં લોકો યુક્રેનમાંથી હિજરત કરી રહ્યાં છે. દરમિયાન પોલેન્ડના બોર્ડર ગાર્ડ્સે જણાવ્યું હતું કે રશિયાએ 24 ફેબ્રુઆરીએ પોતાનું આક્રમણ શરૂ કર્યું ત્યારથી લગભગ 6,24,500 લોકો યુક્રેનથી પોલેન્ડમાં પ્રવેશ્યા છે. ગુરુવારે લગભગ 99,200 લોકોએ પ્રવેશ કર્યો અને શુક્રવારે લગભગ 25,200 લોકોએ 0600 GMTને પાર કર્યો.

યુએસ કોમર્સ ડિપાર્ટમેન્ટે યુક્રેનમાં ચાલી રહેલા રશિયન સૈન્ય ઓપરેશનને લઈને રશિયા સામે નિકાસ પ્રતિબંધોની યાદીમાં 90 થી વધુ સંસ્થાઓ અને વ્યક્તિઓને ઉમેર્યા છે. આ માહિતી ફેડરલ રજિસ્ટરમાં દાખલ કરાયેલા દસ્તાવેજમાંથી મળી છે. ડિપાર્ટમેન્ટે એક્સપોર્ટ એડમિનિસ્ટ્રેશન રેગ્યુલેશન્સ (EAR) ને અપડેટ કર્યું છે, ત્યારબાદ આ લિસ્ટમાં 91 નવી એન્ટિટી ઉમેરવામાં આવી છે. સત્તાવાર રીતે આ દસ્તાવેજ 9 માર્ચે પ્રકાશિત કરવામાં આવશે.

યુક્રેન ઉપર રશિયાએ કરેલા હુમલાને પગલે અમેરિકા અને બ્રિટેન સહિતના દેશોએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ રશિયા સામે કેટલાક આકરા પ્રતિબંધો લાદવામાં આવ્યાં છે. તેમજ દુનિયાના મોટાભાગના દેશોની નજર ભારતના વલણ ઉપર મંડાયેલી રહી છે. ભારત દ્વારા સતત હિંસાની સામે નારાજગી વ્યક્ત કરીને વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવવા માટે બંને દેશોને અવાર-નવાર અપીલ કરાઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments