કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં 13 જેટલા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને બે મહિના જેટલો સમય બાકી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. દિલ્હીના નેતાઓની ગુજરાતની મુલાકાતો વધી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. અમિત શાહ આજે તા. 26મી અને કાલે 27મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતમાં 13 જેટલા કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં 26મીએ કુલ 6 જેટલા જ્યારે 27મીએ 7 કાર્યક્રમો છે. ત્યાર બાદ PM મોદી 29 અને 30મીએ ગુજરાતના પ્રવાસે આવશે અને 7 જેટલા કાર્યક્રમોમાં સામેલ થશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ બે દિવસના પ્રવાસ દરમિયાન 13 જેટલા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને વિવિધ વિકાસ કાર્યોના ખાત મૂહુર્ત અને લોકાર્પણ કરશે. જેમાં અમિત શાહ આજે તા.26 સપ્ટેમ્બરના સાણંદ અને 27 સપ્ટેમ્બરના કલોલ ખાતે ESIC હોસ્પિટલનું ખાત મૂહુર્ત કરશે. કલોલ ખાતે આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેવાના છે.
ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા ESIC હોસ્પિટલના ખાતમૂહૂર્તનો કાર્યક્રમ આયોજિત કરાયો છે. જેમાં આજે 26 સપ્ટેમ્બર 2022 ના સવારે 11:10 વાગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદના સાણંદ પાસે નોર્થ કોટપુરા ખાતે 350 પથારી (500 પથારી સુધી વધારી શકાત તેવી) ની ESIC હોસ્પિટલનું ખાત મૂહુર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા પર્યાવરણ, જંગલ અને આબોહવા પરિવર્તન મંત્રી ભુપેન્દ્ર યાદવ, ભારત સરકારના શ્રમ અને રોજગાર (રાજ્ય કક્ષા) તથા પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રી રામેશ્વર તેલી, ગુજરાત સરકારના આરાગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળ સંશાધન અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલ, ગુજરાત સરકારના શ્રમ, કૌશલ વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર પ્રભાર), ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજા, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, આદિજાતિ વિકાસ (રાજ્ય કક્ષા) મંત્ર નિમીષાબેન સુરથાર અને સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત તા. 27મી સપ્ટેમ્બર 2022 ના સવારે 10:50 વાગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગરના કલોલ ખાતે 150 પથારીની ESIC હોસ્પિટલનું ખાત મૂહુર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ ખાતર મંત્રી મનસુખ માંડવિયા, ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા પર્યાવરણ, જંગલ અને આબોહવા પરિવર્તન મંત્રી ભુપેન્દ્ર યાદવ, ભારત સરકારના શ્રમ અને રોજગાર (રાજ્ય કક્ષા) તથા પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રી રામેશ્વર તેલી, ગુજરાત સરકારના આરાગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળ સંશાધન અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલ, ગુજરાત સરકારના શ્રમ, કૌશલ વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર પ્રભાર), ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજા, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, આદિજાતિ વિકાસ (રાજ્ય કક્ષા) મંત્ર નિમીષાબેન સુરથાર, કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને કલોલ નગરપાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલ ઉપસ્થિત રહેશે.