
વાપી પાસે રેલવે ટ્રેક પર સિમેન્ટનો પોલ મુકી ટ્રેન ઉથલાવવાનો અજાણ્યા શખસોનો નિષ્ફળ પ્રયાસ,
વાપીઃ વલસાડ-મુબઈ રેલવે રૂટ પર વાપીના બલીઠાના ફાટક નજીક રેલવે ટ્રેક પર રાતના સમયે કોઈ અજાણ્યા શખસોએ સિમેન્ટનો પોલ મુકીને ફરાર થઈ ગયા હતા. અજાણ્યા શખસોનો ઈરાદો ટ્રેનને ઉથલાવવાનો હતા. પણ રાતના સમયે પેટ્રેલિંગમાં નિકળેલી ટીમે ટ્રેક પર પડેલો સિમેન્ટનો પાલ જોતા જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરીને ગુડ્ઝ ટ્રેનને રોકી દેવામાં આવી હતી. અને રેલવે ટ્રેક પર પડેલો સિમેન્ટનો પોલ હટાવવામાં આવ્યો હતો. આમ રેલવેના કર્મચારીઓની સતર્કતાથી દુર્ઘટના રોકી શકાઈ હતી.
પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ-મુંબઈ રેલવે રૂટ પર વાપીના બલીઠા ફાટક પાસે રાતના સમયે કોઈ અજાણ્યા શખસે ટ્રેક પર સિમેન્ટનો પુલ મૂકીને ટ્રેન ઉથલાવી નાખવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. રાતના સમયે રેલવે ટ્રેક પર પેટ્રોલિંગ કરી રહેલી ટીમને ટ્રેક પર પડેલો સિમેન્ટનો પોલ ધ્યાનમાં આવતા જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. દરમિયાન ટ્રેક પર આવી રહેલી ગુડ્ઝ ટ્રેનને રોકી દેવામાં આવી હતી. રેલવે કર્મચારીઓની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનાની ગંભીરતાને જોતા મુંબઈથી રેલવેના ઉચ્ચ અધિકારી વલસાડ દોડી આવ્યા હતા. આ બનાવ કઈ રીતે બન્યો તેને લઈ હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં વિવિધ વિસ્તારમાં રેલવે કોરિડોરની ગુડ્ઝ લાઈન ઉપર માલગાડી ટ્રેનો દોડતી કરી દેવામાં આવી છે. રેલવે કોરિડોર લાઈન ઉપર હાલ ઈલેક્ટ્રિક લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે દરમિયાન રેલવે કોરીડોર લાઇન ઉપર રેલવે કિલોમીટર 173 ના પોલ ન. 19 અને 17 વચ્ચે કોઈ અજાણ્યા ઈસમોએ નજીકમાં લાગેલો રેલવે પોલ ત્યાંથી લાવીને રેલવે કોરિડોરની અમદાવાદ-મુંબઈ લાઇન ઉપર મૂકીને જતા રહ્યા હતા. રેલવે કોરિડોરની વીજ લાઈનનું કામ કરતા કામદારના ધ્યાને આવતા તાત્કાલિક કોન્ટ્રાક્ટર અને રેલવે વિભાગના આધિકારીઓ ઘટનાની જાણ કરી હતી. જેથી રેલવેના અધિકારીઓ રાત્રે ટેક્નિકલ સ્ટાફ GRP અને RPF સહિત રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ દોડતા થયા હતા. રેલવે ટ્રેક ઉપર વીજ લાઈનનું કામ કરતા કારીગરના ધ્યાને આવતા મોટી દૂર્ઘટના થતા ટળી હતી. ઘટનાને લઈને રેલવે અધિકારીઓએ તાત્કાલિક RPF અને GRPની ટીમને ઘટનાની ઝીણવટ ભરી તપાસ કરવા આદેશ આપવામાં આવ્યાં છે.