
યુપીઃ-રેલ્વે મંત્રીનું સરહાનિય કાર્યઃ ભૂખથી પીડાતા બાળકને મિનિટોમાં દૂધ મોકલી માનવતા દાખવી
- યુપીના રેલ્વે મંત્રીએ ટ્રેનના ડબ્બામાં પહોચાડ્યું દૂધ
- ભૂખતી પીડાતા બાળકની મદદે આવ્યા મંત્રી
લખનૌઃ- ભારત દેશ એકતા નું પ્રતિક છે, જ્યા નાના મોટા સૌ કોઈ એકબીજાની મદદે આવે છે, એ પછી મંત્રી હોય કે મોટા નેતા હોય એકબીજાની મદદે આવતાં હોઈ છે, તાજેતરમાં આવીજ ઘટના સામે આવી છે ,ઉત્તરપ્રદેશના સુલતાનપુરથી, જ્યા રેલ્વે મંત્રીએ સામાન્ય બાળકની મદદે આવીને માનવતાનું ઉદાહરણ પુરુ પાડ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે લોકમાન્ય તિલક ટર્મિનલથી સુલતાનપુર જતી એલટીટી એક્સપ્રેસમાં આ ઘટના બની છે.જ્યા ટ્રેનના AC-3 કોચમાં મુસાફરી કરી રહેલી એક મહિલા પોતાના આઠ મહિનાની બાળકી સાથે હચી જે ખૂબ રડી રહી હતી પરિવારના સભ્યો સાથે વાત કર્યા બાદ આ મહિલાએ રેલ્વે મંત્રીને ખોરાકની મદદ માટે ટ્વિટ કર્યું હતું.
જો કે આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી કે જ્યારે આ ટ્વિટને જોઈને મંત્રીએ આ મહિલાની મદદ કરી.મહિલાના ટ્વિટ કર્યાની માત્રને માત્ર ના 30 મિનિટ બાદ રેલવે પ્રશાસને કાનપુર સેન્ટ્રલ ખાતે બાળકને દૂધ આપ્યું હતું, આ સાથે જ માનવતાના દર્શન થયા હતા,બીજી તરફ આ ઘટનાને લઈને મહિલાએ ફોન પર રેલ્વે અધિકારીઓનો પણ આભાર માન્યો હતો.
આ મહિલાનું નામ છે અંજલિ તિવારી કે જે સુલતાનપુરની રહેવાસી છે, તેના બે બાળકો સાથે ઘરે આવવા માટે એલટીટી એક્સપ્રેસના બી-1 કોચના 17 અને 20 નંબરમાંમુસાફરી કરી રહી હતી. જ્યારે ટ્રેન 14.30 વાગ્યે ભીમસેન સ્ટેશને પહોંચવાને થછોડી વાર હતી અને બાળક ભૂખથી ખૂબ રડવા લાગ્યું હતું
ત્યાર બાદ સવારે 14.52 વાગ્યે રેલવે મંત્રીને મિહાલએ આ મામલે ટ્વિટ કર્યું. ત્યાં સુધીમાં ટ્રેન ભીમસેન સ્ટેશનથી નીકળી ગઈ હતી. આ ટ્વિટ બાદ રેલવે પ્રશાસન જે કઈ કર્યું તે સરહાનિય છે. રેલ્વે અધિકારીએ આ બાળક માટે દૂધની વ્યવસ્થા કરી દીધી હતી. જ્યારે ટ્રેન 15.15 વાગ્યે કાનપુર સેન્ટ્રલના પ્લેટફોર્મ નંબર નવ પર આવી ત્યારે કોચમાં જઈને ગરમ દૂધ આપવામાં આવ્યું હતું .દેશમાં આ ઘટનાને લઈને અધિકારી અને મંત્રીની સરહાના કરવામાં આવી રહી છે.