1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકાના ઉચ્ચ આરોગ્ય નિષ્ણાંતે કહ્યું – ‘ભારતમાં રસીકરણ જ કોરોના સંકટનો એક માત્ર ઉપાય ‘
અમેરિકાના ઉચ્ચ આરોગ્ય નિષ્ણાંતે કહ્યું – ‘ભારતમાં રસીકરણ જ કોરોના સંકટનો એક માત્ર ઉપાય ‘

અમેરિકાના ઉચ્ચ આરોગ્ય નિષ્ણાંતે કહ્યું – ‘ભારતમાં રસીકરણ જ કોરોના સંકટનો એક માત્ર ઉપાય ‘

0
Social Share
  • અમેરિકી ડોક્ટરની ભારતને વેક્સિન ઉત્પાદન વધારવાની અપીલ
  • કોરોના સંકચનો એક માત્ર ઉપાય રસીકરણ જણાવ્યો
  • ડો.એન્થોની ફાઉચીએ આપી સલાહ

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે,ત્યારે અનેક લોકો દેશની મદદે રપણ આવી રહ્યા છે, જુદા જુદા નિષ્ણાંતો દ્રારા અનેક સલાહ સુચનો આપવામાં આવી રહ્યા છએ આવી સ્થિતિ વચ્ચે અમેરિકાના ટોચના જાહેર આરોગ્ય નિષ્ણાંત ડો. એન્થની ફાઉચીએ ફરી એકવાર ભારતમાં ચાલી રહેલી મહામારી અંગે સલાહ આપી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડેનના મુખ્ય તબીબી સલાહકાર એવા ડો.ફૌસીએ ભારતની સ્થિતિને લઈને જણાવ્યું હતું કે, દેશના લોકોનું રસીકરણ કરવું  એ ભારતના વર્તમાન કોરોના સંકટનો એકમાત્ર લાંબાગાળાનો ઉપાય છે. તેમણે આ જીવલેણ રોગચાળા સામે લડવા માટે વૈશ્વિક અને સ્થાનિક રીતે મોટા પાયે કોરોના વાયરસ રસીના ઉત્પાદનમાં વધારો કરવાની અપીલ કરી છે.

ડો ફાઉચીએ એક મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે,આ તમામનો અંત લોકોનું રસીકરણ અપાવાથી  છે. ભારત વિશ્વનો સૌથી વધુ રસી ઉત્પાદક દેશ છે. તેમને તેમના સંસાધનો મળવા જોઈએ. આ સંસાધનો ફક્ત સ્થાનિક રીતે જ નહીં, પણ બહારથી પણ ઉપલબ્ધ કરાવવી જોઈએ. તેથી જ અન્ય દેશોએ એ જોવાનું રહેશે કે ભારતીયોને પોતાની રસી બનાવવા માટે કાચો માલ મળે અને તેમને રસી રાહત સામગ્રી આપવામાં આવે છે.તેમણે કહ્યું કે, આ કરવાની એક રીત છે કે મોટી કંપનીઓએ તેમની રસી ઉત્પાદન ક્ષમતાને મોટા સ્તરે વધારવી પડશે, જેથી તેઓ તેમના કરોડો ડોઝ મેળવી શકવા સક્ષમ થાય.

યુ.એસ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી અને ચેપી રોગોના ડિરેક્ટર એવા 80 વર્ષીય ઇમ્યુનોલોજિસ્ટ ડો,ફૌસીએ કહ્યું કે રસીકરણ એ એક રસ્તો છે, પરંતુ વર્તમાન કટોકટીનો સામનો કરવાની અન્ય રીતો પણ છે. તેમાંથી સરકારે પોતાને શટડાઉન કરવું પણ એક રસ્તો જ છે, તેમણે કહ્યું કે લોકડાઉન અંગે મેં પહેલા પણ ભારતને સલાહ આપી હતી, ખરેખર ભારતને લોકડાઉનની જરુરત છે.

ઉલ્લેખનીય છે કે હાલ ભારત કોરોના જેવા મહાસંટકમાંથી પસાર થઈ રહ્યું છે, વધતા દર્દીઓને લઈનૈ તબીબી સેવાઓના પુરવઠાના અભાવ વર્તાઈ રહ્યા છે જેને લઈને બહારના દેશઓ ભારતને મદદ કરી રહ્યા છે,ત્યારે આવી સ્થિતિમાં રસીકરણની ગતિને વેગ આપવાની કેન્દ્ર દ્રારા કવાયત હાથ ધરાઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code