1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પીએમ મોદીએ સીએમ નીતિશ કુમાર સાથે ફોન પર કરી વાતચીત,બિહારમાં કોરોનાની સ્થિતિની કરી સમીક્ષા
પીએમ મોદીએ સીએમ નીતિશ કુમાર સાથે ફોન પર કરી વાતચીત,બિહારમાં કોરોનાની સ્થિતિની કરી સમીક્ષા

પીએમ મોદીએ સીએમ નીતિશ કુમાર સાથે ફોન પર કરી વાતચીત,બિહારમાં કોરોનાની સ્થિતિની કરી સમીક્ષા

0
Social Share
  • પીએમએ સીએમ નીતીશ કુમાર સાથે કરી વાત
  • ટેલીફોનિક કરી વાતચીત
  • બિહારમાં કોરોનાની સ્થિતિની કરી સમીક્ષા

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી. પીએમ મોદીએ આ દરમિયાન સીએમ નીતિશ પાસેથી રાજ્યમાં કોવિડ -19 ની સ્થિતિની સમીક્ષા લીધી હતી.

પીએમ મોદીએ પોતાની ટેલિફોનિક વાતચીતમાં રાજ્યમાં કોવિડ -19 ની સ્થિતિ અને મહામારીને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા વિવિધ પગલાં વિશે પૂછપરછ કરી હતી. જોકે,ટેલિફોનિક વાતચીત દરમિયાન મુખ્યમંત્રી કચેરી દ્વારા મોડી સાંજ સુધી વડાપ્રધાન અને નીતિન કુમાર વચ્ચે ચર્ચાતી બાબતો અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું ન હતું.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે,વડાપ્રધાને મુખ્યમંત્રી સાથે રાજ્યમાં કોવિડ -19 ની સ્થિતિ પર વાતચીત કરી. જ્યારે મુખ્યમંત્રીના પ્રધાન સચિવ દીપક કુમારનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે બેઠક અંગે કે ચર્ચા કરેલા મુદ્દાઓ વિશે કોઈ ટિપ્પણી કરી ન હતી.

અગાઉ મુખ્યમંત્રી નીતીશે ટ્વિટ કરીને લોકોને કોવિડ -19 પ્રોટોકોલોને સમર્થન આપવા અને સરકારને ટેકો પૂરો પાડવા મહામારી સામે લડવા માટે એક થવાની વિનંતી કરી હતી. તેમણે મહામારી દરમિયાન સખત મહેનત કરવા બદલ પોલીસ,તબીબી કર્મચારીઓ,નર્સો અને સ્વચ્છતા કર્મચારીઓ સહિતના ફ્રન્ટ લાઇન કાર્યકરોનો પણ આભાર માન્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code