1. Home
  2. ગુજરાતી
  3. યાસીન મલિકે સજાથી બચવા માટે કોર્ટમાં ગાંધીજીના નામનો સહારો લીધો હતો
યાસીન મલિકે સજાથી બચવા માટે કોર્ટમાં ગાંધીજીના નામનો સહારો લીધો હતો

યાસીન મલિકે સજાથી બચવા માટે કોર્ટમાં ગાંધીજીના નામનો સહારો લીધો હતો

0
Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકને આતંકવાદી પ્રવૃતિ અને  ટેરરફંડીગ સહિતના ગંભીર ગુનામાં દિલ્હીની વિશેષ અદાલતે આજીવન કેદની સજા ફરમાવી હતી. ફાંસીની સજાથી બચવા માટે જ યાસીમ મલિકે કોર્ટમાં તમામ ગુનાની કબુલાત કરી હતી કોર્ટ રહેમ રાખીને મોતની સજા ના ફરમાવે તે માટે મલિકે ગુનાની કબુલાત કરી હોવાનું કાયદાના જાણકારો માની રહ્યાં છે. એટલું જ નહીં મલિકે આકરી સજાથી બચવા માટે ગાંધીવાદીનું કાર્ટ ખેલ્યું હતું. જો કે, કોર્ટે મલિકના ગુનાઓને ધ્યાનમાં રાખીને આજીવન કેદની સજા ફરમાવી હતી અને તેની તમામ રજૂઆત ફગાવી દીધી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર કોર્ટની સુનાવણી દરમિયાન મલિકે કહ્યું કે, તેમણે શસ્ત્રો છોડ્યા પછી ‘ગાંધી સિદ્ધાંતો’નું પાલન કર્યા હતા. ‘શસ્ત્ર છોડ્યા પછી મહાત્મા ગાંધીના સિદ્ધાંતોનું પાલન કર્યું હતું. તેમજ કાશ્મીરમાં અહિંસક રાજનીતિ કરી રહ્યો હતો. 1994માં હિંસા છોડી દીધી હતી. મલિક દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલા જવાબમાં કહેવામાં આવ્યું છે કે, “1994 માં યુદ્ધવિરામ પછી, જાહેર કર્યું હતું કે, મહાત્મા ગાંધીના શાંતિપૂર્ણ માર્ગને અનુસરશે અને અહિંસક રાજકીય સંઘર્ષમાં જોડઈશ.” એવા કોઈ પુરાવા નથી કે તેણે છેલ્લા 28 વર્ષમાં કોઈપણ આતંકવાદીને આશ્રય આપ્યો હોય અથવા કોઈપણ આતંકવાદી સંગઠનને કોઈ લોજિસ્ટિકલ સપોર્ટ આપ્યો હોય.

સ્પેશિયલ જજ પ્રવીણ સિંહએ નોંધ્યું હતું કે, ગુનેગારે વર્ષ 1994માં બંદૂક છોડી દીધી હશે, પરંતુ તેણે 1994 પહેલા થયેલી હિંસા માટે ક્યારેય કોઈ પસ્તાવો નથી કર્યો. દોશીએ દાવો કર્યો હતો કે તેઓ અહિંસાના ગાંધીવાદી સિદ્ધાંતને અનુસરે છે અને શાંતિપૂર્ણ અહિંસક સંઘર્ષનું નેતૃત્વ કરી રહ્યા છે. જો કે, કયા પુરાવાના આધારે આરોપો ઘડવામાં આવ્યા હતા અને કોણે તેને દોષી ઠેરવ્યો છે તે અલગ વાર્તા કહે છે. સમગ્ર આંદોલનને હિંસક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અહીં એ નોંધવું જોઈએ કે ગુનેગાર મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરી શકે નહીં અને તેમના અનુયાયી હોવાનો દાવો કરી શકે નહીં કારણ કે મહાત્મા ગાંધીના સિદ્ધાંતોમાં હિંસા માટે કોઈ સ્થાન નથી, પછી ભલે તે ગમે તેટલો મોટો હેતુ હોય. ચૌરી-ચૌરા હિંસાની એક નાની ઘટના પર મહાત્મા ગાંધીએ સમગ્ર અસહકાર ચળવળને બંધ કરી દીધી, જ્યારે ઘાટીમાં મોટા પાયે હિંસા હોવા છતાં મલિકે ન તો તેની નિંદા કરી કે ન તો તેના વિરોધનું કૅલેન્ડર પાછું ખેંચ્યું. મારા મતે આ દોષિતનો કોઈ સુધારો નહોતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code